Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 437
________________ ૩પ૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) લઈ લેવાનું નથી. પણ સ્વાદ ના આવે એનો, સ્વાદ આવે નહીં રાજાનો. થોડી-થોડી સમાધિ રહે છે ને ? થયું ત્યારે ! એમ કરતા કરતા પણ આ બધું સમજી લેશો અને આખો દહાડો નવરાશ હોય ત્યારે આત્માના પોતાના ગુણ ગા-ગા કરવા એટલે પુદ્ગલ બંધ થઈ ગયું. પ્રશ્નકર્તા : પુગલ બંધ થઈ ગયું ! દાદાશ્રી : હા.. પુદ્ગલની હુકુમતમાંય ના રહ્યા. પોતાના સ્વક્ષેત્રમાં વાત થઈ. એ પોતાના ગુણોનું વર્ણન કર્યા જ કરવું. એને સિદ્ધ સ્તુતિ કહી છે ભગવાને પોતાના ગુણો જ “હું અનંત જ્ઞાનવાળો છું' એવું પચ્ચીસ-પચાસ વખત બોલી, “હું અનંત દર્શનવાળો છું’ એમ પચ્ચીસપચાસ વખત, પછી અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું. અવ્યાબાધ સ્વરૂપ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુલઘુ સ્વભાવવાળો છું, અવિનાશી છું, અવ્યય છું, અય્યત છું, અરૂપી છું, ટંકોત્કીર્ણ છું', ટંકોત્કીર્ણ તો સો-સો વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ એટલે શું કહે છે કે મારે પુદ્ગલ સાથે લેવાદેવા જ નહોતી પહેલેથી. તો પછી પુદ્ગલ સમજી જાય કે આપણી જોડે વ્યવહાર તોડી નાખ્યો આ લોકોએ. આ તો આવું બોલવું જોઈએ આપણે કંઈક.. સાયન્સ છે ને આ તો. સાયન્સના પ્રમાણે, કહ્યા પ્રમાણે કરે નહીં, તો પછી એનું ફળ આવું મળે નહીં. આ તો ભગવાન મહાવીર જેવું રાખે એવું છે, પણ આ એવું છે ને કરો તો ને ?!.. આજ્ઞા એ જ ધર્મ રહ્યું. આપણે અહીંયા આગળ બીજું કશું રહ્યું નહીં. બોલો, હવે પછી શું કહે છે ? શારીરિક ખોડ વખતે બોલવું, “હું નિર્વામી છું' પ્રશ્નકર્તા: કોઈવાર શરીરનો આકાર બદલાઈ જાય, કંઈ વાગ્યે હોય કે એમ કંઈ થયું હોય, પગ-બગ લંગડાઈ ગયો તે વખતે હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્માણી છુંએ રીતે બોલવાથી આ ટંકોત્કીર્ણવતુ એના જેવી જ અસર થાય આ તમને. “પોતે” ને આ બન્ને ભિન્ન જ છે. સંપૂર્ણ અનુભવમાં આવી જાય એ રીતે. એટલે શરીરને જે થયું એની અસર ના રહે, કોઈ પણ પ્રકારની. હવે પાછું આ જ્ઞાન કેવું

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450