________________
૨૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : એ પ્રાણ આયુષ્યકર્મ બાંધેલું તે તેના આધારે વીંટાયેલો છે. એટલે જેટલું આયુષ્યકર્મ છે એટલો એ પ્રાણ વીંટાયેલો છે. એટલે પ્રાણ જેટલો વધારે વપરાઈ જાય એટલું આયુષ્યકર્મ પછી ખપી જાય વધારે. એટલે ક્રોધ-માન-માયા-લોભમાં વધારે ખપી જાય. દુષ્યારિત્ર કરે ત્યારે એકદમ ખપી જાય અને સારા ચારિત્રવાળાને પ્રાણ ઓછો ખપે, તો એ વધારે જીવે સારી રીતે.
દેહ મરવાતો તે “હું અમર એ રિયલપદ પ્રશ્નકર્તા આગળ કહ્યું એમ દેહાધ્યાસવાળા પ્રાણને આધારે જીવે મરે છે એટલે આ રિલેટિવમાં જ કરવાનું હોય છે ને રિયલમાં તો કશું નહીંને ?
દાદાશ્રી : એટલે જો તમે મરવાના છો, તો રિલેટિવમાં છો અને તમને પોતાને જો એવી ખાતરી થઈ ગઈ કે હું અમર જ છું અને દેહ મરવાનો છે, તો તમે રિયલમાં છો.
આ તો જ્યાં મરવાનું પદ છે ત્યાં જ તું માનું છું કે હું જ ચંદુ છું. એ પદ આખું બદલાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું.
એ ચંદુ તો ઓળખવાનું સાધન છે. ખરેખર હું શું છું એ જાણવું જ જોઈએ ને? ખરેખર એ તું જાણું એટલે પછી તારે મરવાનું રહ્યું જ નહીં, એ અમરપદ થયું.
મૃત્યુ પર વિજય, અધ્યાત્મ વિજ્ઞાનથી પ્રશ્નકર્તા: અમરપદ વિશે સમજાવશો ?
દાદાશ્રી : અમરપદ એટલે શું ? આત્મજ્ઞાન થાય એટલે અમરપદ. પોતે આત્મા છું' એવું ભાન રહે તો એ અમર જ છે. પછી મરવાનું હોય જ નહીંને ! પછી તમે ચંદુભાઈ હોય તો મરોને ? ચંદુભાઈ (પદ) છૂટી ગયું. હવે મરી જઈશ કે જીવતો રહીશ ?
પ્રશ્નકર્તા: તો અમર છું ને, દાદા ! ચંદુ મરી જવાનો છે.