Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 413
________________ ૩૩૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) તમે જાણી જશો. અત્યારે જો આરોપણ કરશો તો મૂરખ બનશો. અત્યારે આરોપણ કરશો તો અવળે રસ્તે જતા રહેશો. અત્યારે તો એમ જ કહેવું કે “એ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે, ઉપયોગમય આત્મા છે.” એ બધું અત્યારે તો બોલવાનું. આપણે સુરતના સ્ટેશને હોઈએ અને પછી કહીએ, મુંબઈ આવી ગયું. ઊતરી જઈએ તો શું થાય ? પ્રશ્નકર્તા રખડી મરે. દાદાશ્રી : અત્યારે તો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે. આ તો તમને જાણવા માટે કહું છું કે મૂળ હકીકત શું છે તે. પ્રશ્નકર્તા આત્માને નિર્વિશેષ કહો છો તો એય એનું વિશેષણ થયું કે નહીં ? દાદાશ્રી : ના, એ આપણે સમજવા માટે છે. એટલે એ મૂળ આત્મા માટે નથી. વિકલ્પો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી દાટા માર માર કર્યા આ લોકોએ. વિકલ્પોને દાટા માર માર કર્યા છે, પણ તોય આગળ વિકલ્પ ઊભા થાય તો ફટ દાટો મારી આપે. આત્માને વિશેષણો વ્યવહારની ભાષામાં, તત્ત્વ રૂપે તિર્વિશેષ પ્રશ્નકર્તા ઃ એટલે એને વિશેષણો લગાડવાની જરૂર નથી. દાદાશ્રી : આત્મા નિર્વિશેષ છે, એને વિશેષણ હોય જ નહીં. પણ છતાં વ્યવહારમાં કહેવું પડે, ઓળખવા માટે. વ્યવહારમાં આપણે શું કહેવું પડે ? કે ભઈ, આ ઘઉંની ગુણ છે એટલે તમે વેપારીને પૂછો કે આ ઘઉંની ગૂણો છે ? ત્યારે કહે, હા. પણ આપણે ખાતરી ના થાય, વખતે ખોટી હોય ને બીજી વળગાડે તો શું થાય ? એટલે આપણે બીજા કોઈને, બહારવાળાને બોલાવીએ, તે બહારવાળા હવે ચીપિયો નાખીને જુએ અંદર ને પછી કહે કે ભઈ, ઘઉંની જ છે, તમે લઈ જાવ. પછી આપણે એ ઘઉંની પાંચ ગૂણો લઈ ગયા એટલે પછી ઘેર વાઈફને કહીએ કે હું દળવા માટે મોકલી દઉં છું, ત્યારે એ ના પાડે. કેમ ના પાડતા હશે ? પ્રશ્નકર્તા ઃ અંદર કચરો હોય.

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450