________________
८८
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા: તો દુઃખ ભોગવનાર આપણું શરીર છે કે બીજું કોઈ છે? દુઃખ કોણ ભોગવે છે ?
દાદાશ્રી : દુઃખ અહંકાર ભોગવે છે. આ જે દુઃખ થાય છે એ અહંકારને થાય છે અને સુખ થાય છે તેય અહંકારને થાય છે. આ અહંકાર વચ્ચે ફાચર છે અને તે જ અજ્ઞાનતા છે. અહંકાર એટલે હું કરું છું ને હું ભોગવું છું, એ જ અહંકાર છે. આ અહંકાર જતો રહે એટલે આત્મારૂપ થઈ જાય.
પ્રશ્નકર્તા : તો પછી આ પીડા આત્માને અડતી નથી ?
દાદાશ્રી : આત્માને ક્યારેય પીડા અડી નથી અને જો પીડા અડ ને, સ્પર્શ થાય તો એ પીડા સુખમય થઈ જાય. આત્મા તો અનંત સુખનું ધામ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ અડતું નથી.
આ બરફનો મોટો ગાંગડો હોય અને એની પર દેવતા ઉપર નાખીએ તો બરફ દઝાય ? બરફ દઝાય કે દેવતા ઓલવાય ?
પ્રશ્નકર્તા ઃ દેવતા ઓલવાય.
દાદાશ્રી : બરફ કોઈ દહાડો દઝાય નહીં, દેવતાને ઓલવાવું પડે. આ જેમ બરફ અહીં ઠંડો કંદ છે, એવું આત્મા આનંદનો કંદ છે. એટલે એને જો દુઃખ અડેને, તો તેય સુખરૂપ થઈ જાય.
તે આત્મા કેવા સુખનું ધામ હશે ! નર્યું સુખ ઉભરાયા જ કરે. ધોધમાર સુખની આવક છે.
આ બરફનો દાખલો એ તો જાણે કે સ્થૂળ દાખલો છે, “એક્કેક્ટ’ ના કહેવાય. પણ આત્મા અનંત સુખનો ધણી, એને દુઃખ અડે જ નહીં. કેવી રીતે અડે ? જે અડે તે સુખ થઈ જાય, ખાલી ચડવા માત્રથી સુખ થઈ જાય.
એક દહાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના