Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૫ ૩ અનેકાંત અમૃત પરથી જુદો પછી રાગથી જુદો પાડીને અનુભવ. (શ્રોતા:- પરથી ભેદજ્ઞાન કરી પ્રમાણમાં લાવ્યા છે. પ્રમાણમાં અટકવા માટે પ્રમાણમાં નથી લાવ્યા.) જો તમને કહું બેન કે જૈનદર્શન પહેલું, પ્રમાણમાં જ લાવે છે. વિકલ્પાત્મક પ્રમાણ સવિકલ્પ પ્રમાણ. એનું કારણ છે કે ઈ આખી દુનિયાથી જુદો પડી જાય છે. પૂરી દુનિયામાં એવો ધર્મ નથી કે પ્રમાણથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત છે જ નહીં. ક્યાંય છે જ નહીં. જો આખું તત્ત્વાર્થસૂત્ર જોઈ લ્યો તમે કે પ્રમાણ સપ્તભંગી છે. પરથી જુદું પાડે છે. પાંચ ભાવ જીવભાવ છે. પાંચભાવમાં મિથ્યાત્વભાવ આવી ગયો, એ જીવભાવ પરથી જુદું પાડે છે. બસ ! ત્યાં સુધી આવ્યા તત્ત્વાર્થસૂત્ર-પ્રવચનસાર સુધી, સમયસાર કોઈએ વાચ્યું જ નહીં. પૂ.ગુરુદેવ એક પુરુષ પાક્યા, આ સમયસાર વાંચીને વિસ્તાર કરવાવાળા. અનેકાંત કેળવીને ખાય તો અમૃત છે. સમજીને પ્રયોગ કરે તો અમૃત છે. (શ્રોતા :અનુભવ છે અનેકાંતનો) અનેકાંતમાં અનુભવ છે ને. અસ્તિનાસ્તિ અનેકાંત ભેદજ્ઞાન છે ને. ભેદજ્ઞાન પરખ છે એ જ્ઞાન પરખ છે. (શ્રોતા :- એ જ્ઞાન પરખ અનેકાંત ભેદજ્ઞાનપૂર્વક હોય છે) હા. ભેદજ્ઞાનને છોડો તો તો ઝેર થઈ ગયું અનેકાંત, ઉપાદેયવાળું થઈ જાય. બરાબર ! ચાલો કાંઈ નહીં. બેનને વિચાર આવ્યો છે સમ્યક છે, કે આ અનેકાંત ઉપર ચેપ્ટર લખવું છે. બરાબર છે. લખજો લખીને મને વંચાવજો. (શ્રોતા :- લોકોની ભૂલ અનેકાંતમાં જ છે ને) મેં બેનને કાલે ફોનમાં બહુ કહ્યું. સાવ જુદું અનેકાંત માને છે લોકો. મને કહે સાચી વાત છે. અમારે ત્યાં એવું જ ચાલે છે. બધા હવે કાંઈ નથી વાત. એક વ્યક્તિ પાસે ગયા'તા. અમે સોનગઢના છીએ ને એટલે એ અમને જાણે, તો કહે કે જૈનદર્શન અનેકાંતવાદ છે, સ્યાદ્વાદ છે. ઠીક આપણે તો કાંઈ ચર્ચા કરાય નહીં અને એને વિશેષ કાંઈ ખબર નથી. બુદ્ધ છે ઈ. એને તત્ત્વનો અભ્યાસ જ નથી. સ્વભાવ અત્યંત પ્રગટ થયેલા જ્ઞાન ધર્મરૂપ સ્વભાવના ભારથી સામર્થ્યથી સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે. સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે બરાબર. ભાવાર્થ :- કોઈ સર્વથા એકાંતી તો, જુઓ સર્વથા શબ્દ આવ્યો. અહીં સર્વથાનો પ્રયોગ છે ને કથંચિત્ જોઈએ પ્રમાણમાં, પ્રમાણની સિદ્ધિમાં સર્વથા નહીં અને નયની સિદ્ધિમાં કથંચિત ન હોય. નયમાં સર્વથા હોય અને પ્રમાણમાં કથંચિત્ હોય. (શ્રોતા :ભાઈ સૂત્રો નીકળે છે તો એકદમ. પ્રમાણની સિદ્ધિમાં સર્વથા ન હોય ને નાની સિદ્ધિમાં કથંચિત ન હોય) ન હોય. પણ પ્રમાણમાં જો સર્વથા દ્રવ્યરૂપ છે અને સર્વથા પર્યાયરૂપ છે એ તો અજ્ઞાન થઈ ગયું. ત્યાં કથંચિત્ હોય. પ્રમાણમાં કથંચિત્ લાગુ પડે. એટલે જ્ઞાનમાં

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137