Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 94
________________ ૮O અનેકાંત અમૃત સ્વ ને પર બધું આવી ગયું. પ્રકાશમાન લોકાલોકના આકારોથી, આકાર એટલે સ્વરૂપ, લોકાલોકનું જેવું સ્વરૂપ છે એવો અહીંયાં ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. એ જે પ્રતિભાસ થાય છે એ પણ સ્વચ્છતા જ છે. એ મલિનતા નથી. સ્વચ્છ રહેવું એ ઉપયોગનો સ્વભાવ છે. પ્રતિભાસ થાય લોકાલોકનો-મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે. આ ઉપયોગનું લક્ષણ શું-કે સ્વપરને જાણવું એમ લીધું નથી. ગુરુદેવના પ્રતાપે ઘણાં વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવ્યા એટલે ઘણું ઘણું તો સાંભળ્યું અને સમજ્યા તો ખરૂં પણ એક મહત્વની વાત છે એ આપણે મુખ્ય કરીએ છીએ. ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે આની ઉપર-ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ, દ્રવ્યમાં સ્વચ્છત્વશક્તિ છે.એના જ્ઞાન ગુણમાં સ્વચ્છત્વશક્તિ શક્તિરૂપે છે અને ઉપયોગમાં વ્યક્તિરૂપે સ્વચ્છત્વશક્તિ છે. ઉપયોગ તો પ્રગટ થાય છે સમયે-સમયે એમાં સ્વચ્છતા આવે છે. એ દ્રવ્યગુણમાં જે છે શક્તિમાં એ પ્રવાહ પર્યાયમાં આવ્યો સ્વચ્છત્વ શક્તિ, બધા જીવોને એ લાગુ પડે. ભવી હો કે અભવી-મિથ્યાદૃષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ એ એનો સ્વભાવ છે. ઉપયોગનો સ્વભાવ લોકાલોકનો પ્રતિભાસ થાય એવો સ્વભાવ છે એ ઉપયોગનું લક્ષણ છે. લક્ષણ એટલે એનો સ્વભાવ છે ઈ અનાદિ અનંત. જેમ ઉપયોગ અનાદિ અનંત છે એમ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત છે. એ ગુણ છે દોષ નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ ઉપયોગનો ગુણ છે એ ઉપયોગનો દોષ નથી. ઉપયોગ મલિન નથી, એમાં રાગનો પ્રતિભાસ થાય. લોકાલોક એમાં આવી ગયું ને. રાગનો પ્રતિભાસ થાય. સમજી ગયા. મિથ્યાદૃષ્ટિ હોય એને મિથ્યાત્વનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વ ઉપયોગમાં ન આવે. એ ઉપયોગ તો સ્વચ્છ જ રહે છે. એ ઉપયોગ ને રાગ ભિન્ન ભિન્ન છે. રાગ તો શેયમાં જાય છે અને ઉપયોગ તો આત્મામાં આવે છે. પણ એનો પ્રતિભાસ થાય છે છતાં એ સ્વચ્છ છે એ મલિન થતો નથી. ઉપયોગ કોઈ કાળે મલિન ન થાય. એવો એનો સ્વભાવ છે. ઉપયોગનો જાણવું અને જાણવા ઉપરાંત સ્વચ્છત્વ એ એનો સ્વભાવ છે. એટલે દર્પણમાં કોલસો, અગ્નિ પ્રતિભાસે તો પણ દર્પણ કાળો ન થાય. દર્પણની પર્યાય (કાળી ન થાય) અને દર્પણની પર્યાય ગરમ પણ ન થાય. એ એનો સ્વભાવ છે સ્વચ્છ. દર્પણની પર્યાયનો સ્વભાવ છે સ્વચ્છ અને સ્વચ્છ સ્વભાવ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે? ના. દ્રવ્યમાં રહેલી શક્તિ છે એના ગુણમાં શક્તિ છે દર્પણની અને એ સ્વચ્છત્વ શક્તિ બહાર આવે છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે દર્પણમાં. એવી રીતે આ જ્ઞાન છે ઉપયોગ એ સ્વભાવ છે. જ્ઞાયકસ્વભાવ છે ત્રિકાળ, ઉપયોગ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137