Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 107
________________ ૯૩ અનેકાંત અમૃત હવે એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી એમ નક્કી કરે છે : ટીકા :- પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે; અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું (-રહેતું) પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે (પ્રતિભાસમય મહાસામાન્ય) પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે; અને તે વિશેષોનાં (-ભેદોનાં) નિમિત્ત સર્વ દ્રવ્યપર્યાયો છે. હવે જે પુરુષ સર્વ દ્રવ્યપર્યાયો જેમનાં નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવપ્રત્યક્ષ કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્ય (-વ્યપાવાયોગ્ય) જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમનાં નિમિત્તભૂત સર્વ દ્રવ્યપર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી (જાણી) શકે? ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી. હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં; આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંતક હોવાથી, જ્ઞાતા અને શેયનું વસ્તપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય, આત્માની-જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત-એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે-જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે-અનુભવે છે-જાણે છે; અને પોતાને જાણતાં સર્વજોયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે-જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી શેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જ આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. ભાવાર્થ :- ૪૮ ને ૪૯ મી ગાથામાં એમ દર્શાવ્યું કે જે સર્વને જાણતો નથી તે પોતાને જાણતો નથી, અને જે પોતાને જાણતો નથી તે સર્વને જાણતો નથી. પોતાનું જ્ઞાન અને સર્વનું જ્ઞાન એકીસાથે જ હોય છે. પોતે અને સર્વ-એ બેમાંથી એકનું જ્ઞાન હોય અને બીજાનું ન હોય એ અસંભવિત છે. આ કથન એકદેશ જ્ઞાનની અપેક્ષાએ નથી પરંતુ પૂર્ણ જ્ઞાનની (કવળજ્ઞાનની) અપેક્ષાથી છે. ૪૯ ૧. જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વદ્રવ્યો અને પર્યાયો છે. ૨. નિખાત= ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું. @

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137