Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 89
________________ અનેકાંત અમૃત ૭૫ છે. જ્ઞાન તો એક જ હતું પણ બે ભેદ થઈ જાય છે. વિષયની અપેક્ષાએ કોઈ સ્વને વિષય કરે તો સમ્યજ્ઞાન-પરને વિષય કરે તો મિથ્યાજ્ઞાન. એ લખે છે- (૧) સમ્યજ્ઞાન કાં મિથ્યાજ્ઞાન. વિષયભેદ કર્યો-જો શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ સમયે પર જણાતું નથી તો સમ્યજ્ઞાન થઈ જાય છે. અને એ જ શેયાકાર જ્ઞાનમાં પોતાનો આત્મા જણાતો નથી અને રાગ જણાય છે. શરીર જણાય છે, મોટર જણાય છે, પણ જણાય છે તો એ મિથ્યાજ્ઞાન થઈ ગયું. એક સમયનો પુરુષાર્થ છે. એક સમયનો સંસાર માં એક સમયનો મોક્ષમાર્ગ. કાં તો જ્ઞાનનું જ્ઞાનવ થઈ જાય કાં તો જ્ઞાનનું અજ્ઞાન. એ ઉપયોગમાં આ ઉપયોગનું પછી વિશેષ થાય છે-ઉપયોગ સામાન્ય છે પણ વિષયના ભેદે એનું નામ વિશેષ જ્ઞાન થઈ ગયું-વિષયના ભેદે જે સામાન્ય જ્ઞાન હતું એનું વિશેષ જ્ઞાન થઈ જાય, વિષયના ભેદ. સ્વને જાણે તો સમ્યજ્ઞાન-વિશેષ જ્ઞાન એટલે સમ્યજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન...વિષયના ભેદે આમ થઈ ગયું. ચાર પ્રકાર બહુ સરસ આવ્યા આજે. (શ્રોતા :- બહુ સરસ-એકદમ સ્પષ્ટ અભૂત) હમણાં પેલો કાગળ આવ્યો છે ને એટલે ધોલન વધી જાય. (શ્રોતા :- વિશેષ વિષયના ભેદે નામ ભેદ પામે છે) નામ ભેદ પામે છે-જ્ઞાન તો એક જ હતું. ઉપયોગ-જ્ઞાન હતું તેનું નામ. જાણવું જાણવું હતું. (શ્રોતા :- એનું મૂળ નામ તો એક જ હતું) એક જ (શ્રોતા :- એનું જે વિશેષ વિષયભેદ નામભેદ પામે છે. જો આત્માનો વિષય કરે તો સમ્યજ્ઞાન-પરનો વિષય કરે તો મિથ્યાજ્ઞાન) ખલાસ- બસ એક સમયનો પુરુષાર્થ છે. (શ્રોતા :- વિષયભેદે નામ ભેદ દેખાય છે પણ વસ્તુ તો અભેદ એકરૂપ જ્ઞાનરૂપ છે) એ જ્ઞાનરૂપ છે પણ એમાં સુખદુઃખ નથી અને પ્રયોજન તો જીવને સુખનું છે. એટલે જ્ઞાન સામાન્યમાં સુખ દુઃખ નથી. સમજી ગયા. પ્રયોજન તો અનાદિકાળથી જે દુઃખી છે એ દુઃખનો પર્યાય વ્યય થઈ અને આત્મિક સુખ કેમ પ્રગટ થાય-એ જીવમાત્રને પ્રયોજન છે સુખનું એ સુખ કેમ પ્રગટ થાય-કે મને શેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે પર જણાતું નથીવિધિ નિષેધ કરવો પડે, અહીંયા જોરદાર હો. વિધિ નિષેધમાં બે વિકલ્પ ઉત્પન્ન થાય-નિષેધનો વિકલ્પ પહેલા ઉત્પન્ન થાય કે પરનો જાણતો જ નથી એ વિકલ્પ-પછી એ વિકલ્પ છૂટીને આવ્યો કે જાણનારો જણાય છે એ પણ છે વિકલ્પ-જાણનારો જણાય છે એ પણ વિકલ્પ, એમાં પણ અનુભવ નથી. જાણનારો જણાય છે. જુઓ હવે નિશ્ચયના પક્ષમાં આવ્યો-પણ એ પક્ષીતિક્રાંત થાય ત્યારે અનુભવ થાય છે. ત્યારે એ વિધિનો વિકલ્પ પણ છૂટી જાય. નિશ્ચયનય આવ્યો ત્યાં સુધી

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137