________________
બધાં જ મિશ ઉપર ચૂનાનાં પ્લાસ્ટર કરી દેવામાં આવ્યાં હતાં. અમે જેમ જેમ તે કાઢી નાંખી મરામત કરાવતા ગયા તેમ તેમ આ મદિરામાં પણ અનેાખું શિલ્પ છે તેમ પુરવાર થતું ગયું.
શત્રુંજય તીર્થ ઉપર પ્રતિમાજી બેસાડવાની જૈન ભાઈ એની તીવ્ર ઈચ્છાને કારણે ઘણી મૂર્તિ એ ગમે ત્યાં બેસાડી દેવામાં આવેલી. જો આ મદિરાનેા જીર્ણોદ્ધાર કરવા હાય તા આ મૂતિઓને ` ઉત્થાપત કરવી જ જોઈ એ, એમ જણાયુ, અને અમે તેમ કરવા નક્કી કર્યું. આમાં સંખ્યાબંધ પ્રતિમાજીનુ... ઉત્થાપન કરવાનું હતું અને કેટલાક જૈન ભાઈ ઓ તથા પાલીતાણા સંઘ તરફથી એના વિરાધ પણ કરવામાં આવ્યેા હતા, જેથી આ ઉત્થાપન કરવું શાસ્ત્રીય છે કે કેમ તે માટે— (૧) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી, (૨) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરીજી, (૩) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી અને (૪) પૂજ્ય આચા મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીને પૂછી તેમની લેખિત સંમતિ મેળવી તા. ૨૬-૮-૬૪ના રાજ ઉત્થાપન કર્યું..
ચૂનાનુ` પ્લાસ્ટર કાઢી નાંખી, ભાંગ્યાતૂટ્યા ભાગે સમરાવી લીધા છે. હાલ જે દિશ નજરે પડે છે તેમાં ઊંચા પ્રકારનુ શિલ્પ છે, એટલુ જ નહિ, પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. છેલ્લાં ૧૪ વર્ષથી ફક્ત દાદાની ટ્રંકનું જ મરામત-કામ ચાલી રહ્યું છે અને તેમાં રૂ. ૧૯,૦૦૦૦૦-૦૦ ( ઓગણીસ લાખ રૂપિયા ) ખર્ચ થયુ છે. હજુ આ કામ પૂરું' કરતાં ત્રણેક વર્ષ થશે તેમ લાગે છે.
દાદાના દરબારમાં જવા માટે જે પાંચ મુખ્ય દ્વારા હતાં તેમાં કેટલાકમાં પાશ્ચાત્ય શિલ્પ હતું તેમ જ તે દ્વારા જર્જરિત થઈ ગયાં હતાં, તેથી તે પાંચે દ્વાર નવાં કરાવ્યાં, જેમાં રૂ. ૩૫૦૦૦૦-૦૦ (ત્રણ લાખ પચાસ હજાર) ના ખચ થયા છે.
માતીશાની ટૂંકના માણસે તે મંદિરની સામે જ રહેતા હતા, તેથી મદિરની ભવ્યતા જોઈ એ તેવી દેખાતી ન હતી. તેથી તેમને