Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 8
________________ ડુંગરની બાજુમાં મકાન બંધાવી આપી રામપળથી અંદર પેસતાં મોટું ચોગાન ખુલ્લું કરાવ્યું. હિસાબની તપાસણી અને બજેટની પદ્ધતિ સને ૧૯૨૬ સુધી પેઢીના હિસાબે પ્રાદેશિક ટ્રસ્ટીઓમાંથી એક અથવા બે વ્યક્તિને નમી તપાસરાવવામાં આવતા હતા. તે કામ સંતોષકારક થતું ન હતું એટલે ચાર્ટર્ડ એકાઉન્ટને મહેનતાણું આપી હિસાબે તપાસરાવવાનું નક્કી કર્યું, જેથી પેઢીના હિસાબે સારી રીતે તપાસરાઈ નાની-મોટી ખામીઓ દૂર કરવામાં આવે છે. સને ૧૦૦ની સાલથી પેઢીમાં જે ખર્ચ કરવાનું હોય તેમાં બજેટ પદ્ધતિ દાખલ કરી, એટલે કે દરેક તીર્થના મુનમે આગામી વર્ષમાં કેટલી કેટલી ચીજવસ્તુઓ જોઈશે અને તેનું શું ખર્ચ થશે તે લખી જણાવે અને અમદાવાદથી મંજૂર થાય તે પ્રમાણે ખર્ચ કરે. બારેટના હો ગિરનારના બારેટના હકો આપણે વેચાણ લીધેલા હોવાથી પાલીતાણાના બારોટને તેમના હક્કો વેચાણ આપવા ઈચ્છા થઈ, જે આપણે બારેટોને વાર્ષિક રૂ. ૪૦૦૦૦-૦૦ (ચાલીસ હજાર) આપવાની શરતે તા. ૨૪-૧૦-દરના દસ્તાવેજથી વેચાણ લીધા. આ રકમ નકકી કરવામાં બારેટ કોને છેલ્લાં ત્રણ વર્ષમાં જે ઊપજ થઈ હતી તેની ગણતરી કરી નક્કી કરી હતી. એ વખતે પેઢીની ગુપ્તભંડારની વાર્ષિક આવક રૂ. ૩૭૫૦૦-૦૦ હતી. આ હક્કો વેચાણ લીધા બાદ આપણી આવક કમે કમે વધતી રહી છે અને સં. ૨૦૩૧ની આવક રૂ. ૪૭૫૦૦૦-૦૦ થઈ છે. કામદાર મંડળ સામે મક્કમતા પાલીતાણું ગિરિરાજ ડુંગર કામદાર મંડળની સ્થાપના સને ૧૯૬૭માં થઈ અને તે મંડળ તેમણે રજિસ્ટર કરાવ્યું, અને પગારવધારાની તથા બીજી માટી માંગણીઓ રજૂ કરી, જે અંગે લેબરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42