Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 582
________________ આમ છતાં પૂર્વજન્મના ઋણાનુંબંધથી પૂર્વજન્મની આરાધના-બળે પ્રબલ વૈરાગ્યવાસિત શ્રી સુનંદાકુમારીએ- “ લે! મારા પતિ લગ્ન પછી દીક્ષા લે! મારે પણ તે બહાને સંયમ-પ્રાપ્તિ સુલભ થશે.” એમ કહી માતા-પિતાની અનિચ્છા છતાં તે ધનગિરિ સાથે લગ્ન–માટેની તૈયારી બતાવી. પરિણામે બંને જન્મજાન-વૈરાગ્યસંપન્ન છતાં કર્મના સંસ્કારોને તેડવાના પુરૂષાર્થની સંજોગવશ—ખામીના કારણે લો-ગ્રંથિથી જોડાયા. ભાવીયેગે સુનંદાને ગર્ભ રહ્યો અને ધન ગિરિજી ટુંક સમયમાં આ. સિંહગિરિજી મ. પાસે સંયમી બન્યા. ચિત્રમાં જમણે ઉપરના ભાગે બાળકના જન્મ-સમયે ઘરમાં કઈ પુરૂષ ન હોઈ જોઈએ તેવા ઉમંગ-ઠાઠથી જન્મોત્સવ ન થઈ શકવાથી સુનંદા અને તેની સહેલી વાતચીતમાં વ્યાવહારિક ધોરણે બેલી ઊઠી કે આના બાપે દીક્ષા ન ૯ ધી હતી તે આજે કેવો સરસ જન્મોત્સવ થાત !” નવજાત–બાલકના કણ પર દીક્ષા શબ્દ પડતાં જ ગત-ભવના શુભ-સંસ્કારો જાગૃત થયા* નવજાત-શિશુ પૂર્વજન્મમાં તિર્યકર્જુભક-દેવના ભવમાં ચ્યવનકાળ જ્યારે સમીપ હતું, ત્યારે શ્રી અષ્ટાપદજીની યાત્રાએ ગયેલ, ત્યાં પૂ. અનંત-લબ્ધિ-નિધાન પ્રથમ-ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મ.ના શ્રીમુખથી પુંડરીક-કંડરીક અધ્યયનના શ્રવણ દ્વારા વિષય-વિરાગની ભૂમિકા સુદઢ કરેલ. માતા તથા સહેલી બેના મુખથી જસવ સંબંધી વાતચીત દરમ્યાન પિતાજીની દીક્ષા સંયમ–ચારિત્રની વાત વારંવાર સાંભળવાથી નવજાત-શિશુને જાતિસ્મરણ જ્ઞાન થયું. પરિણામે પૂજ્યશ્રી ગૌતમ-સ્વામીજી મ.ના સ્વમુખથી સાંભળેલ સંસારની રોમાંચક વિષમતાને સાંભળી કેળવેલ–વેરાગ્યની ભૂમિકા તાજી થઈ, ફળતઃ આ જન્મમાં વહેલામાં વહેલી દીક્ષા મળે તે સંસારના કીચડથી સાવ નિર્લેપ રહેવાય, એવા શુભ-અધ્યવસાયથી વયના વિકાસની ખામીએ બીજો કઈ બોલવા વિગેરેને સંગ અનુકૂળ ન હોઈ માતાને કંટાળો ઉપજાવવા “વાસાનાં દતિ વ સૃતિ પ્રમાણે એકધારું-રુદન ચાલુ રાખી વિવિધ કડવા-ઔષધના પાન, માર–ગુડ આદિને સહન કરીને પણ નવ તત-શિશુએ છ મહિનામાં માતાને ત્રાસ પમાડી તેબા પોકારાવી. વિહાર-કમે આ. સિંહગિરિજી મ. પુનઃ પધાર્યા, શ્રી ધનગિરિજી ગોચરી જતા હતા, પૂ. આચાર્યદેવે કહ્યું કે–આજે ગોચરમાં સચિત્ત મળે તે ચમકશો નહિ.” ગુરુ-આજ્ઞા તન કરી ધનગિરિજી બીન સાધુઓ સાથે ભિક્ષા ગોચરીની ગવેષણ કરતાં કરતાં સાહજિક રીતે સુનંદાના ઘરે આવ્યા. સુનંદા ધનગિરિ મુનિને જોતાં જ રાજી થઈ “આમણે દીક્ષા લઈ નાહક મને આબાળકની પલેજમાં ફસાવી મારી” એવું વિચારવા લાગી. સાહેલીઓ દ્વારા ગોચરી વહાવ્યા પછી સુનંદાએ કંટાળાની તીવ્રતા સાથે ધનગિરિ-મુનિને કહ્યું કે “લઈ જાઓ તમારું આ લફરું ! હું તે હેરાન-પરેશાન થઈ ગઈ” ધનગિરિ

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644