Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તીર્થયાત્રાઓ -
""
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
तीर्थेषु बभ्रमणतो न भवे भ्रमन्ति ।
તીર્થયાત્રાનો મુસાફર સંસારની મુસાફરીથી મુક્ત થઇ જાય છે લગભગ ૫૯ વર્ષના દીક્ષા પર્યાયમાં શ્રીમદે તીર્થયાત્રાનો પણ અનન્ય લાભ લીધો છે. જ્યારે સમ્મેત શીખરજીની યાત્રાની અભિલાષા થઇ ત્યારે તીર્થ સ્થાન અતિદૂર, આહાર પાણીની અગવડ અને વિકટ વિહાર હોવાથી અન્ય કોઇ મુનિ હામ ભીંડી શક્યા નહીં; ત્યારે શાસ્ત્ર આજ્ઞાને સંપૂર્ણ માન આપી, એકાકી વિહારનો કોઇ પણ પ્રકારે આદર ન કરતાં, અન્ય મુનિની ગવેષણા કરવા માંડી, તે અવસરે પદ્મશેખર નામના એક ખરતરગચ્છીય મુનિવર મળી આવ્યા. શુદ્ધ હૃદયની ઉત્કટ અભિલાષા આગળ અંતરાય ક્યાં ટકી શકે ! બે મુનિવરો તૈયાર થયા. કોઇ પણ ગૃહસ્થની સહાય વિના ગગનની માફક નિરાલંબ અને વાયુ પેરે અપ્રતિબદ્ધ વિહાર કરી, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસ ત્યાગ રૂપ તપનું બહુમાન કરતા, સંવત ૧૮૮૯, ૯૦ અને ૯૧ માં અનુક્રમે બનારસ, કીસનગઢ અને પુષ્કરણામાં ચાતુર્માસિક સ્થિરતા કરી, સમ્મેતશીખરાદિ તીર્થોની યાત્રા કરી, તીર્થંકર મહારાજાઓનાં પુનિત પાદકમળથી પવિત્ર થયેલ ભૂમિની સ્પર્શના કરી, જન્મ સફળ કર્યાં. પુરૂષ પ્રયત્ન શું ન કરે ! પીસ્તાલીસવાર સિદ્ધાચળજીની યાત્રાઓ કરી, તેમાં ત્રણ ચોમાસાં કર્યા અને કેટલીએ વાર નવ્વાણુ યાત્રાઓ કરી. સાતવાર ગિરનારની યાત્રાઓ કરી. પાંચવાર અર્બુદગિરિની યાત્રા કરી. ત્રણવાર અમદાવાદની શહેરયાત્રા કરી. બે વાર સૂર્યમંડન પાર્શ્વનાથને ભેટ્યા. એકવાર સૌરાષ્ટ્રનાં સર્વ તીર્થોનાં દર્શન કર્યાં. એકવાર શંખેશ્વર પાર્શ્વનાથજીનાં ચરણોની સ્પર્શના કરી. ગૃહસ્થાવાસમાં પણ એકવાર સિદ્ધાચલજી, એકવાર ગિરનાર અને બેવાર આબુતીર્થની યાત્રાઓ કરી હતી, રેલ્વે વિગેરે સાધનોનો જ્યારે અભાવ હતો તેવા અવસરમાં પણ સિદ્ધાચળ, ગિરનાર અને આબુજીની તીર્થયાત્રાનો લાભ અપાવનાર માબાપની ધાર્મિક સ્થિતિ કેવી સુંદર ભાવનાવાળી હશે તે આ ઉપરથી જ જણાઇ આવે છે.
ગુરૂપ્રેમ :
એમની દીક્ષા પછી એઓશ્રી ગુરૂ મહારાજ સાથે કેટલાં રહ્યા તે સાધનના અભાવે જાણવામાં આવ્યું નથી, પરંતુ એમનો ગુરૂ પ્રેમ અને ગુરૂ ભક્તિ તો અદ્વિતીય હતી, એમ તેમના આચરણો ઉપરથી પણ જાણી શકાય છે. કહેવાય છે કે ગરૂમહારાજના અવસાન પછી પણ જ્યારે સમુદાયમાં કોઇ મુનિને પેટમાં દુ:ખાવો વિગેરે સામાન્ય વ્યાધિ થાય ત્યારે એ (સરળ અને ગુરૂભક્ત દાદાશ્રી મણિવિજયજી મહારાજ) પોતાના ગુરૂવર્ય તપસ્વી કસ્તુરવિજયજી મહારાજના નામનો જાપ કરતા કરતા દર્દીના પેટ ઉપર હાથ ફેરવતા એટલે તેનો દુ:ખવો શાંત થઇ જતો, જોકે એ પોતેજ સરળ અને શાંત તપસ્વી હોવાથી એમનો હાથ જ એવો લબ્ધિવાન હોઇ શકે છતાં ગુરૂ પ્રત્યે કેટલું બધું એમના હૃદયમાં માન અને શ્રદ્ધા હશે ? આજે હશે કોઇ એવો પુન્યશાળી શ્રદ્ધાળું ગુરૂ ભક્ત !
શ્રીમદ્દ્ના અપ્રતિમ ગુણો :
બાલ્યાવસ્થાથીજ સદ્ગુણી અને ધર્માત્મા માબાપના ઉત્સંગમાં ઉછરેલા આ મહાત્માના ગુણોનું
Jain Education International
""
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org