Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Author(s): Aryarakshit, Punyavijay, Jambuvijay
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
વિધિઓ તેમને હાથે અનેકવાર થઇ સંભવે છે. શા. બહેચરદાસ સીરસ્તેદાર જેઓ પોતાના સૌજ્જન્યથી રાજનગરમાં એક નામાંકિત પુરૂષ થયા છે, તેમણે મહારાજશ્રી પાસે ઉપધાન વહન કરી માળા પહેરી હતી. તે અવસરે ઉપધાન વહનની ક્રિયાનો આદર વિશેષ હતો, એમ તે કાલીન મુનિવર્યોનાં ચરિત્રો ઉપરથી જાણવામાં આવે છે.
સંવત ૧૯૨૩ ના આસો શુદિ બીજને રવિવારે મહારાજશ્રીના ઉપદેશથી એક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. શ્રાવક મગનલાલ વખતચંદજી તેમાં અગ્રેશ્વરી તરીકે ભાગ લેતા હતા. જ્યારે સ્થાપનાકરવામાં આવી ત્યારે ગુરૂમહારાજના પવિત્ર હસ્તે સ્થાપના કરાવી. એ અવસરે મુનિ કપૂરસાગરજી વિગરે અનેક મુનિઓ તથા ૧ નગરશેઠ મયાભાઇ પ્રેમાભાઇ ૨ શા. ઉમાભાઇ હઠીસીંહ કેસરીસીંહ ૩ શા. ભગુભાઇ પ્રેમચંદ (મનસુખભાઇ શેઠના પિતાશ્રી) ૪ શા. ડાહ્યાભાઇ અનુપચંદ ૫ મંછાભાઇ ગોકળભાઇ ૬ કાઉશાહ ૭ ત્રિકમદાસ નથ્થુભાઇ ૮ વાડીલાલ પાનાચંદ ૯ વકીલ માણેકચંદ મોતીચંદ ૧૦ વિમળના ઉપાશ્રયવાળા જોઇતારામ મોદી ૧૧ વિદ્યાશાળાવાળા રવચંદ જેચંદ સુબાજી ૧૨ શા. ગીરધરલાલ હીરાભાઇ ન્યાયાધીશ ૧૩ શા. મગનલાલ વખતચંદ વિગેરે મહાન શ્રાવક સમુદાય એકઠો મળ્યો હતો. પુસ્તકાલયની સ્થાપના જેવા એક ધર્મ કાર્યમાં પણ ભાગ લેનારા શ્રાવક વર્ગના જે નામો જોવામાં આવે છે તે ઉપર થી તે અવસરે શ્રીમાન વર્ગનો પણ ધર્મ કાર્યોમાં ભાગ લેવામાં કેવો સારો રંગ હતો તે જણાઇ આવે છે. પ્રથમ નામ નગરશેઠનું જોવામાં આવે છે ત્યારે બીજું પણ અમદાવાદ શહેર બહાર વાડીમાં દહેરાસર બંધાવી લાખો દ્રવ્યનો વ્યય કરનાર શેઠ હઠીસંગ કેસરીસીંગના સુપુત્ર ઉમાભાઇ શેઠનું નામ જોવામાં આવે છે. ત્રીજું પણ આણંદજી કલ્યાણજી ની પેઢીમાં તન મન ને ધનથી તનતોડ મહેનત કરનાર, ઉદાર અને બાહોશ શેઠ મનસુખભાઇના પીતાશ્રી ભગુભાઇ શેઠનું નામ જોવામાં આવે છે. તે સિવાયના બીજાઓ પણ તે અવસરના પ્રખ્યાત નેતાઓ છે. એ ખરૂંજ છે જે : - અગ્રેશ્વરીઓ જે ધર્મ કાર્યો માં ભાગ લે છે તેમાં બીજાઓ પણ હોસથી જોડાય છે, મંદિરો, ઉપાશ્રયો, પુસ્તકાલયો ધર્મશાળાઓ, દાનશાળાઓ, વિગેરે સાધનો કરી કરાવી જ્ઞાન, દર્શન ચારિત્રના આરાધનોમાં જ્યારે જ્યારે અગ્રેશ્વરીઓએ સારો ભાગ લીધો છે. ત્યારે ત્યારે મધ્યમ વર્ગોએ પણ તેમાં સારો ભાગ લીધો છે. એ આપણે જૈન શાસનના પૂર્વના ઇતિહાસથી સારી પેઠે જાણી શકીએ છીએ. જ્યારે વસ્તુપાળ જેવા એક મંત્રીએ સંઘ કાઢ્યો, ત્યારે અનેક સંઘપતિઓ તૈયાર થયા અને તીર્થયાત્રા, સાધર્મિકવાત્સલ્ય, દીનોદ્વારાદિ અનેક કાર્યો થયાં. એક થાવચ્યા પુત્રે બત્રીસ સ્ત્રીઓને ત્યાગી, ક્રોડો સોનૈયાનો મોહ નિવારી, માતાને સમજાવી દીક્ષા અંગીકાર કરી ; ત્યારે એક હજાર શ્રેષ્ઠી પુત્રાદિઓએ તેમની સાથે દીક્ષા અંગીકાર કરી, વિદ્યાવિલાસી ભોજ રાજાનું નગર બધું વિદ્વાન, થોડા વર્ષો ઉપર અમદાવાદમાં સુબાજી રવચંદ જેચંદની વિદ્યાશાળામાં શેઠ મનસુખભાઇ, ઝવેરી છોટાભાઇ, શા. મગનલાલ વિગેરે પોતાની બાલ્યાવસ્થામાં શાસ્ત્રાભ્યાસ કરતા હતા, તે અવસરે વિદ્યાશાળામાં શહેરના અનેક વિદ્યાર્થીઓ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. જેમાંના કેટલાએ શાસ્ત્રના જાણ સારા શ્રોતાઓ થઇ શક્યા હતા. શાસ્ત્રકારો પણ કહે છે જે : - મજ્ઞાનનો ચેન યત: સ પન્થા: । અગ્રગામીઓને આમાં કરવું, કરાવવું, અને અનુમોદન કરવું એ ત્રણેનો લાભ મળી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૨
www.jainelibrary.org