________________
છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
એમ બાદર પૃથ્વીકાયા પણ એ ભેદે છે. એમ ચાર ચાર ભેદે કરીને અપકાયા, તેઉકાયા, વાયુકાયા ને વનસ્પતિકાયા. તે પણ સુક્ષ્મ ૧, ખાદર ૨, પર્યાપ્તા ૩, ને અપર્યાપ્તા ૪, એમ ચાર ચાર ભેદ કહેવા
પ્રશ્ન—હે ભગવત, ત્રસકાયા જીવ કૈટલે ભેદે છે?
ઉત્તર--હું ગાતમ, એ ભેદે છે, પર્યાપ્તા ૧, તે અપર્યાપ્તા ૨.
પ્રશ્ન-હે ભગવંત, પૃથ્વિકાયા જીવની કેટલા કાળની સ્થિતિ છે?
ઊ-તરહે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તોની અને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની સ્થિતિ છે.
એમ સર્વની સ્થિતિ કહેવી. ત્રસકાયાને જધન્યથી અંતર્મુહુર્ત્તની અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. અપર્યાપ્તા સર્વને જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે. પર્યાપ્તા સર્વેને જધન્યથી અ ંતર્મુહુર્તની અને ઉત્કૃષ્ટપણે આપ આપણી ઉત્કૃષ્ટી સ્થિતિ તે અ ંતર્મુહુ-તેં હણી કહેવી. ( અંતર્મુહુર્ત અપર્યાપ્તાપણાનો કાળ જાય તે માટે.)
[૧૬
પ્રશ્ન—હે ભગવંત, પૃથ્વીકાયા જીવ પૃથ્વીકાયાપણે કેટલા કાળ લગી રહે?
ઉ-તર---હે ગાતમ, જન્યથી અંતર્મુહુર્તો રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ. કાળથી અસ`ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણિ ને ક્ષેત્રથી અસંખ્યાતા લાકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી પૃથ્વીકાયાપણે રહે.
એમ અપકાયા, તેઉકાયા, ને વાયુકાયાને સ્થિતિ કહેવી. ને વનસ્પતિકાયા વનસ્પતિ માંહે જઘન્ય અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અના કાળ અનતી ઉત્સર્પિણી, અવર્સ પૈણી અનતા લાકના આકાશ પ્રદેશ પ્રમાણ રહે. આવળીકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય તેટલા પુદ્ગળ પરાવર્ત્ત લગી રહે. ત્રસકાયા જીવ ત્રસકાયાપણે જધન્યથી અંતમુહુર્ત્ત રહે, ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરેાપમ સંખ્યાતે વરસે અધીક એટલું રહે. વળી અપર્યાપ્તા હએ કાયના જીવ જધન્યથી તે ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્ત લગીજ રહે. (અપર્યાપ્તાપણે સખ્યાતા ભવ કરે પણ તે સર્વ થઇને અતર્મુહુર્ત્તજ થાય.) ને પર્યાપ્તા પૃથ્વી ૧, અપ ૨, વાયુ ૩, તે વનસ્પતિની કાયસ્થિતિ સ ંખ્યાતા હજાર વરસની હાય, (પર્યાપ્તાપણે ઉત્કૃષ્ટા પણ સંખ્યાતાજ ભવ કરે તે માટે.) ને પર્યાપ્તા તેઉકાયને સખ્યાતા દીવસની કાયસ્થિતિ હાય. ત્રસકાયા પર્યાપ્તાપણે સાગરોપમ સત પ્રયકત્વ ઝાઝેરાં રહે. એ પર્યાપ્તા સર્વને એમ કાયસ્થિતિ જાણવી.
પ્રશ્ન-હે ભગવત, પૃથ્વીકાયાને કેટલા કાળનું અંતર પડે?
ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુતૅનું ને ઉત્કૃષ્ટપણે અનંતા (વનસ્પતિનો) કાળ અંતર પડે, એમ અપકાયા, તેઉકાયા ને વાયુકાયાને પણ અંતર કહેવું. તે વનસ્પતિકાયાને અંતર જધન્ય અંતર્મુહુર્તીનું ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતો કાળ અંતર પડે. વળી ત્રસફાયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org