Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001517/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीमन्नागसेनाचार्यप्रणीत तत्त्वानुशासन (ગુજરાતી અનુવાદ સહિત) અનુવાદક : પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજી પ્રયોજક : શેઠ શ્રી. અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ. ની ન (ાં પ્રકાશક : શ્રી. નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ. એ. | મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ વિલેપારલે મુંબઈ–૫૭. Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीमन्नागसेनाचार्यप्रणीत तत्त्वानुशासन (ગુજરાતી અનુવાદ સહિત) અનુવાદક : પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજ્યજી પ્રયોજકઃ શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી, બી. એ. પ્રકાશક : શ્રી નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ. એ. મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ વિલેપારલે, મુંબઈ-૫૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કઃ નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ. એ. મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, ઘોડબંદર રોડ, ઈરલાબ્રીજ વિલેપારલે, મુંબઈ-પ૭ પ્રથમ આવૃત્તિ ૧૦૦૦ મૂલ્ય રૂા. ૧• ૦૦ ઈ. સ. ૧૯૬૧ (વિ. સં. ૨૦૧૭) મુ પ્રકઃ વિ. પુ. ભાગવત મૌજ પ્રિન્ટિંગ બ્યુરો ખટાઉ મકનજી વાડી ગિરગાંવ, મુંબઈ-૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ . = . . H * AT ! ៖ # Ya 4 = = = H Page #5 -------------------------------------------------------------------------- ________________ णमो णमो 00000000 णमो णाण -दिवायररस "साहित्य विकास 后 मंडल' 100-11000 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. નિવેદન ૨. એ બોલ ૩. તવાનુશાસન અનુક્રમણિકા શ્રી. નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ. એ. પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજી આચાર્ય શ્રી નાગસેન પ્રથમ અધ્યાય : સારભૂત ચતુષ્ટય મંગલાચરણ સર્વજ્ઞાસ્તિવસિદ્ધિ સર્વજ્ઞકથિત તત્ત્વ હેય તત્ત્વ ઉપાદેય તત્ત્વ બંધની વ્યાખ્યા અને ભેદો બંધનું કાર્ય બંધના હેતુઓ મિથ્યાદર્શનની વ્યાખ્યા મિથ્યાજ્ઞાનની વ્યાખ્યા મિથ્યાચારિત્રની વ્યાખ્યા કર્મબંધનું પ્રધાન કારણુ—મોહરાજ મોહરાજના સેનાપતિ સમકારનું સ્વરૂપ અહંકારનું સ્વરૂપ સમકાર-અહંકારનું કારણ અને કાર્ય મોહાદિના નાશ માટે પ્રેરણા બંધહેતુઓના નાશનો ઉપાય મોક્ષનો હેતુ પૃષ્ઠ નવ પંદર لیلی 2 3 ૩ ૩ ૩ ૪ 6 6 m 2 2 - પ્ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનની વ્યાખ્યા સમ્યગ્નાનની વ્યાખ્યા સમ્યક્ચારિત્રની વ્યાખ્યા મોક્ષહેતુના પ્રકારો નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ -વ્યવહારથી મુક્તિહેતુ નિશ્ચયથી મોક્ષહેતુ દ્વિતીય અધ્યાય : મોક્ષનું પ્રધાન કારણ—યાન ચતુર્વિધ ધ્યાન શુકલધ્યાનના અધિકારી ધર્મધ્યાન ધર્મધ્યાનનાં અંગો ધ્યાતાનું લક્ષણ ધર્મધ્યાનના સ્વામી ધ્યાતા અને ધ્યાનના પ્રકાર ધર્મ અને ધર્મધ્યાનની વ્યાખ્યાઓ ધ્યાનનું લક્ષણ - એકાગ્ર ચિંતાનિરોધ’નો વિશેષાર્થ ધ્યાનની અન્ય વ્યાખ્યાઓ તૃતીય અધ્યાય : ધ્યાન માટેની સામગ્રી અને પ્રેરણા ધર્મધ્યાન માટે આ કાળ યોગ્ય છે ચતુર્થ અધ્યાય : પરાશ્રય ધ્યાન ધ્યાનનો પ્રદેશ અને ધ્યાતાનું સ્વરૂપ સ્વરૂપાલંબન અને પરાલંબન ધ્યાન નામાદિ ચતુર્વિધ ધ્યેય નામ ધ્યેય ७ VV V ८ ૯ ૯ ૧૦ ૧૦ ૧૦ ૧૧ ૧૧ કર ૧૩ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૮ 1 ૨૨ ૨૫ ૨૫ ૨૬ ૨૭ २७ Page #8 -------------------------------------------------------------------------- ________________ સાત o o o ૩૫ ૩૮ Go ૪૨ K સ્થાપના ધ્યેય દ્રવ્ય ધ્યેય ભાવ ધ્યેય શ્રી સિદ્ધાત્માનું સ્વરૂપ શ્રીઅરિહંતનું સ્વરૂપ કિવિધ ધ્યેય દ્રવ્ય ધ્યેય અને ભાગ્યેય પંચમ અધ્યાય : સ્વાત્માલંબન યાન મૃતભાવના સ્વસંવેદન સ્વસંવેદનનું ફળ નૈરાગ્યવાદ અને અતવાદનો સમન્વય ષષ્ઠ અધ્યાય: “અહ”નું અભેદ પ્રણિધાન અને ધ્યાનનાં ફળો એક શંકા સમાધાન પ્રકારાંતરે સમાધાન ધ્યાનની સામગ્રી ધ્યાનના મુખ્ય હેતુઓ શુકલધ્યાનની વ્યાખ્યા સપ્તમ અધ્યાય : મુકતામાનું સ્વરૂપ સિદ્ધસુખવિષયક શંકા સમાધાન મોક્ષ સ્યાદવાદીને જ ઘટે અષ્ટમ અધ્યાય : ઉપસંહાર પર પ૭ - ૫૮ જ જા ૪. શબ્દસૂચિ Page #9 -------------------------------------------------------------------------- ________________ YOXO OXoYXOYOT Page #10 -------------------------------------------------------------------------- ________________ નિવેદન - લગભગ અઢીસો શ્લોક પ્રમાણુની આ કૃતિ ધ્યાન જેવા ગંભીર વિષય પર સારો પ્રકાશ પાડે છે. જો કે આમાં ધ્યાન અંગેની અનેકવિધ પ્રક્રિયાઓ, પ્રણાલિકાઓ, અનુષ્ઠાનો કે આમ્નાયોની વિગતપૂર્ણ માહિતી આપવાનું કે તેનો સમન્વય કરવાનું દૃષ્ટિબિંદુ નથી; પરંતુ વ્યવસ્થિત વર્ગીકરણ અને વ્યાખ્યાનિર્દેશ દ્વારા ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરનાર માટે ઉચિત ભૂમિકા બાંધવાનું ધ્યેય છે અને તે ધ્યેય કર્તાએ સફળ રીતે પાર પાડયું છે. ધ્યાનનો વિષય એવો ગહન છે કે તેમાં ચાંચ બૂવી ધારીએ એટલી સરળ નથી; અને કૃતિના કર્તા નાગસેન મુનિ પણ પોતાની મર્યાદાનો અતિ વિનમ્રભાવે સ્વીકાર કરતાં કહે છે કેઃ “આ ધ્યાનવિષય અત્યંત ગંભીર છે, મારા જેવાની તેમાં પહોંચ નથી; છતાં પણ અહીં કેવળ ધ્યાન પરની ભક્તિથી પ્રેરાયેલા મેં પ્રયત્ન કર્યો છે. (શ્લોક નં. ૨૫૩).” તેમ છતાં એટલું આપણે નિઃશંકપણે કહી શકીએ કે કર્તાએ ધ્યાનના વિષયમાં જે આ પ્રયત્ન કર્યો છે તે ખૂબ પ્રશસ્ય તથા મનનીય છે; અને તેમને જે વાતની જાણ છે તેનો જ બિલકુલ મોટાઈ વિના નિશ્ચયાત્મક રીતે અને નકકર પણે નિર્દેશ કર્યો છે. - સમસ્ત કૃતિનું મુખ્ય લક્ષ્ય “મોક્ષ” છે; અને જીવનનું લક્ષ્ય પણ એ જ હોઈ શકે. મોક્ષમાર્ગને રુંધનાર બંધ છે અને તેનાં પણ અનેક કારણો છે. તે કારણે દૂર થતાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મોક્ષપ્રાપ્તિના મહત્ત્વના ઉપાય તરીકે સ્થાનને ખૂબ અગત્ય આપવામાં આવી છે અને ધ્યાનસિદ્ધિનો આધાર મન છે; કારણ કે સ્થિર મનને જ ધ્યાન કહેવામાં આવે છે. (તત થિર મનો ધ્યાનં......શ્લોક નં. ૬૮). ટૂંકમાં, મનુષ્યનું મન તેના બંધ કે મોક્ષ માટે કારણભૂત છે (મનઃ મનુષ્યનાં વંધમોક્ષયોઃ) અને આ સનાતન સત્યનો કર્તાએ સારભૂત ચતુષ્ટય (બંધ– બંધહેતુ, મોક્ષ–મોક્ષહેતુ–ચહ્ન વધ% નોર્થ તત્વ ર ચતુષ્ટયમ્) તરીકે વિશેષ વિસ્તાર કર્યો છે. કર્તા પોતે પણ ગ્રંથના વસ્તુની સ્પષ્ટતા કરતાં કહે છે કેઃ “આ ગ્રંથમાં ચાર સારભૂત તત્ત્વો કહ્યાં છે–બંધ, બંધના હેતુઓ, Page #11 -------------------------------------------------------------------------- ________________ દસ મોક્ષ અને મોક્ષના હેતુઓ. એ બધામાં પણ સારભૂત મોક્ષ છે; તે પ્રશસ્ત ધ્યાનપૂર્વક જ હોય છે–એમ સમજીને આ ગ્રંથમાં મેં ધ્યાનનું જ કંઈક વર્ણન કર્યું છે. (લો. ૨પર)” આ રીતે કર્તાએ ધ્યાન ”ના વર્ણન પાછળ મનને કેન્દ્રિત કર્યું છે, તેમ છતાં તેમનામાં રહેલી કવિત્વશકિત અછતી રહેતી નથી; અને તે આ કતિની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે. ધ્યાન જેવો ગંભીર અને ગહન વિષય હોવા છતાં કર્તાએ ભાષાની મધુરતા છોડી નથી. વર્ણ, પદ કે શબ્દની પસંદગીમાં તેઓ ધ્યાની” કરતાં પણ “કવિ” વિશેષ રહ્યા છે અને તેને પરિણામે આવેલ સૌષ્ઠવમાં કવિની આગવી પ્રતિભા વરતાઈ આવે છે. આમ આ કૃતિમાં જે વર્ણમાધુર્ય, પદલાલિત્ય કે વાણીની પ્રાસાદિકતાનાં દર્શન થાય છે તે કર્તામાં રહેલા ભાષાપ્રભુત્વનો આપણને પરિચય કરાવે છે. ટૂંકમાં, એમ કહી શકીએ કે ધ્યાન અને સાહિત્ય એમ બન્ને રીતે અભ્યસનીય એવી આ કૃતિનું પ્રકાશન આ વિષયમાં પ્રવેશ કરનારને અવશ્ય ઉપયોગી થઈ પડશે. અહીં એક ખાસ નોંધ લેવાની કે જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી હાલ મુદ્રિત થઈ રહેલ “નમાર થય' (સંસ્કૃત વિભાગ)માં આ કૃતિમાંથી નમસ્કારવિષયક સંદર્ભ તારવીને ગુજરાતી અનુવાદ સાથે સમાવિષ્ટ કરવામાં આવેલ છે; પરંતુ આ સંદર્ભ વાંચ્યા પછી પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને “તત્ત્વાનુશાસન'ની આખી કૃતિનું અવલોકન કરવાની , ભાવના થઈ અને તે અનુસાર સંસ્થાના માનનીય પ્રમુખ શેઠ શ્રી. અમૃતલાલભાઈએ જેમાં આ કૃતિ સંપૂર્ણપણે મુદ્રિત થયેલ છે તે અધ્યાત્મગ્રંથસંગ્રહ”ની નકલ મેળવી આપી. પ્રસ્તુત સંગ્રહનું સંપાદન શ્રી. ધન્યકુમાર જૈને કરેલ છે અને તેનું પ્રકાશન દિગંબર જૈન આચાર્ય સૂર્યસાગર સંઘ, મંદસૌર તરફથી થયેલ છે. “તવાનુશાસન' ઉપરાંત વૈરાગ્યમણિમાલા” આદિ અનેક કૃતિઓ આમાં સંગૃહીત કરવામાં આવી છે અને તે સાથે તેનું હિંદી ભાષાંતર પણ આપવામાં આવ્યું છે. લગભગ પંદરેક વર્ષ પહેલાં આ સંગ્રહનું ભેટ પુસ્તક તરીકે પ્રકાશન થયેલ અને ત્યારબાદ તેની બીજી આવૃત્તિ થઈ નથી. હમણાં તેની નકલો ખાસ ઉપલબ્ધ Page #12 -------------------------------------------------------------------------- ________________ અગિયાર નથી; પરંતુ ઉપર જણાવ્યું તેમ શેઠ શ્રી. અમૃતલાલભાઈએ ખાસ પ્રયાસ કરી એક નકલ મેળવી પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને પહોંચાડી હતી. હિન્દી ભાષાંતરવાળી ઉપર્યુક્ત નકલ ન મળતી હોવાને કારણે તેમ જ આવી સુંદર કૃતિનું હજુ સુધી ગુજરાતી ભાષાંતર ન થયું હોવાને કારણે પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીને તેનું ગુજરાતી અનુવાદ સાથે સંપાદન કરવાની પ્રેરણા થઈ અને આ પ્રકાશન તે પ્રેરણાનું ફળ છે. આ કૃતિને ગુજરાતીમાં રજૂ કરી ધ્યાનવિષયક ગુજરાતી સાહિત્યમાં પૂ. મુનિવર્ય શ્રી. તત્ત્વાનંદવિજયજીએ નોંધપાત્ર ફાળો અર્યો છે અને તે બીના જેટલી તેમને માટે તેટલી સંસ્થા માટે પણ ગૌરવપ્રદ છે. પૂ. મુનિશ્રીની આ શ્રુત-સેવા બદલ અમે તેઓશ્રીનો સંસ્થા તરફથી હાર્દિક આભાર માનીએ છીએ. આ અનુવાદનું અનુમોદન કરીને સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્ય શ્રી. વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબે ખાસ સહકાર અર્યો છે અને તે ઉપકાર બદલ અમે તેઓશ્રીને ખૂબ ઋણી છીએ. વળી આ પ્રકાશનમાં જ્યારે જ્યારે આવશ્યકતા જણાઈ ત્યારે ત્યારે પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, ૫. પૂ. પં. શ્રી ભાનુવિજયજી ગણિવર્ય અને પ. પૂ. મુનિ સ્વ. ભુવનવિજયાતેવાસી મુનિવર્ય શ્રી જેબૂવિજયજી મહારાજસાહેબે ઉપયોગી સૂચનો કર્યા હતાં, જે બદલ એ સર્વે ગુરુવર્યોના અમે અત્યંત આભારી છીએ. “શ્રીમન્નાગસેનાચાર્યપ્રણીત તત્ત્વાનુશાસન –કૃતિને અપાયેલ આ શીર્ષક અંગે કેટલીક સ્પષ્ટતા કરવાની રહે છે. શ્રી. નાગસેન મુનિને આચાર્ય પદવી મળી હતી કે કેમ એ એક અણઉકલ્યો પ્રશ્ન છે. પ્રસ્તુત ગ્રંથને અંતે તેમણે પોતે પોતાના માટે “મુનિ' શબ્દનો પ્રયોગ કર્યો છે (શ્લોક નં. ૨૫૬, ૨૫૭); પરંતુ તેથી તો એમ ધારી શકાય કે તેમણે મુનિ અવસ્થામાં આ કૃતિની રચના કરી હશે. ઈતિહાસના ગ્રંથોમાં આ અંગે નિર્ણયાત્મક કહી શકાય એવી કંઈ માહિતી મળી નથી એટલે શ્રી. ધન્યકુમાર જૈને “અધ્યાત્મગ્રંથસંગ્રહમાં જે શીર્ષક આપ્યું છે તે જ અહીં કાયમ રાખ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ બાર - શ્રીનાગસેનમુનિ “આચાર્ય પદવી પામ્યા હતા કે નહીં એ પ્રશ્ન ઉ૫સંત બીજો પ્રશ્ન એ પણ છે કે આ કૃતિના કર્તા “શ્રી. નાગસેન' હતા કે શ્રી. રામસેન ”? ડૉ. એચ. ડી. વેલણકરે સને ૧૯૪૪માં પ્રકાશિત કરેલ “નિરત્ના ”માં “તવાનુરાસન અંગે જે માહિતી આપી છે તેમાં જણાવ્યું છે કે ૨૫૯ સંસ્કૃત શ્લોક પ્રમાણુની આ રચનાના કર્તા શ્રી. રામસેન હતા અને તેઓ શ્રી. નાગસેનના શિષ્ય હતા; અને તેમના બીજા ગુરુઓ શ્રી. વિજયદેવ, શ્રી મહેન્દ્રદેવ, શ્રી. પુણ્યમૂર્તિ તથા શ્રી. વીરચન્દ્ર હતા. અહીં રજૂ કરેલ પ્રકાશનને અંતે (શ્લોક નં. ૨૫૬) જણાવ્યું છે કે આ કૃતિના કર્તા શ્રી. નાગસેનમુનિ હતા અને શ્રી. વીરચન્દ્ર, શ્રી. શુભદેવ તથા શ્રી. મહેન્દ્રદેવ તેમના વિદ્યાગુરુ (શાસ્ત્રગુરુ) હતા અને પુણ્યભૂતિસમા (2) શ્રી. વિજયદેવ દીક્ષાગુરુ હતા. માણિક્યચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલાના પુસ્તક નં. ૧૩ તરીકે ઈ. સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલ “તરવાનુરાસનમાં તેના કર્તા તરીકે શ્રી. નાગસેન”નો ઉલ્લેખ છે, પરંતુ આ ઉલ્લેખ ભૂલથી થયો છે, એવો ખુલાસો જેન હિતૈષી” માસિકમાં કરવામાં આવ્યો હતો. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ (પાયધુની, મુંબઈ) ઈ. સ. ૧૯૦૯ (વિ. સં. ૧૯૬૫) માં પ્રકાશિત કરેલ જેનJOાવલી ના પૃષ્ઠ ૯૦ ઉપર “તીનુરાસન”ના કર્તા શ્રી. સમતભદ્ર હોવાનું જણાવ્યું છે. ' ઉપર જણાવ્યું તેમ માણિક્યચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા, મુંબઈ તરફથી સને ૧૯૧પમાં ‘તરવાનુરારિનનું સૌથી પ્રથમ પ્રકાશન થયેલ છે. ત્યારબાદ સને ૧૯૨૧માં સનાતન જેન ગ્રંથાવલિ, કલકત્તા તરફથી તે પ્રકાશિત થયેલ છે અને છેલ્લે સને ૧૯૪૬ (વીર સંવત ૨૪૭૨)માં પ્રકાશિત થયેલ અધ્યાત્મગ્રંથસંગ્રહ માં તેને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થતા આ પુસ્તકને માટે માત્ર “અધ્યાત્મગ્રંથસંગ્રહમાં મુદ્રિત થયેલ “તવાનુશાસન”ના મૂળપાઠને સામે રાખવામાં આવ્યો છે, કારણ કે આ પ્રકાશનનો મુખ્ય હેતુ “ગુજરાતી જુઓ—‘જેન હિતૈષી” પુસ્તક નં. ૧૪, પૃષ્ઠ નં. ૩૧૩. # જુઓ જૈન હિતૈષી” પુસ્તક નં. ૧૪, પૃષ્ઠ નં. ૩૧૨. Page #14 -------------------------------------------------------------------------- ________________ તેર અનુવાદ” રજૂ કરવાનો છે. એટલે મૂળપાઠને ચકાસી જેવા કે અન્ય પાઠાંતરો નોંધવાની દૃષ્ટિએ કોઈ હસ્તપ્રત મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી; જે કે ડૉ. વેલણકરે “બિનરત્નોરામાં જણાવ્યા અનુસાર તેની આઠેક હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે.. - શ્રીમદેવનંદિ અપનામ પૂજ્યપાદસ્વામીવિરચિત “ઘોરા” ઉપર પંડિત પ્રવર શ્રી આશાધરે સંસ્કૃતટીકા રચેલ છે અને એ ટીકામાં તેમણે તવાનુરાસન”ના કેટલાય લોકો સરખામણી માટે ટાંક્યા છે. હું અધ્યાત્મ (૧) ચન્દ્રપ્રભ જૈન મંદિર, ભુલેશ્વર; મુંબઈ (પન્નાલાલ દિગંબર જેન સરસ્વતી ભવન, મુંબઈ-૩ માંથી પ્રાપ્ત થયેલ સંગ્રહ)ની પોટલી નં. ૫૩ માંની હસ્તપ્રત. (૨) મધ્યપ્રાંત તથા વરાડમાં ફરીને રાયબહાદુર શ્રી. હીરાલાલે એકત્રિત કરેલ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની યાદી, જે નાગપુરથી ઈસ. ૧૯૨૬માં પ્રકાશિત થઈ છે તેના પૃષ્ઠ નં. ૬૪૮ પર નોંધાયેલ હસ્તપ્રત. (૩) દિગબર ભંડાર, ઈડર (જીલ્લો-અમદાવાદની) પોટલી નં. ૮૪માંની હસ્તપ્રત. (૪) પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન, ભુલેશ્વર; મુંબઈના પુસ્તકાલયમાં જે પ્રતોનો સંગ્રહ છે તેમાં જનરલ નં. ૧૬૪૩ની હસ્તપ્રત. (૫) જૈન સિદ્ધાન્ત ભવન, આરાના જ્ઞાનભંડારનું જે સૂચિપત્ર ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત થયેલ છે તેમાં નોંધાયેલ ૧૮૧ નંબરની હસ્તપ્રત. (૬) ચારુકીર્તિ ભટ્ટારક જ્ઞાનભંડાર, મુડબિકી (દક્ષિણ કેનેરા)માંની નં. ૯૫, ૩૮૬ અને ૧૭૫ ની પોટલીઓમાંની હસ્તપ્રતો. હું જુઓ :– तत्त्वानुशासन इष्टोपदेश પૃષ્ઠ–શ્લોક પૃષ્ઠ ૧૮- ૬૭ ૩૧ ૨૪– ૮૭ ४७ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગ્રંથસંગ્રહ”ના સંપાદક જૈનદર્શનાચાર્ય શ્રી. ધન્યકુમાર જેને જ તે “રુણોદ્દેશ” નું પં. આશાધરકૃત સંસ્કૃત ટીકા તથા હિંદી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ગદ્ય-પદ્ય અનુવાદો સાથે સંપાદન કરી તેને શ્રી રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલાના પુસ્તક નં. ૨૨ તરીકે પરમકૃતપ્રભાવક મંડળ (ચોકસી બજાર, ખારાકુવા, ઝવેરી બજાર, મુંબઈ-૨) તરફથી વિ. સં. ૨૦૧૦ (ઈ. સ. ૧૯૫૪)માં પ્રકાશિત કરેલ છે. આ પુસ્તકમાં “તાનુશાસન'ના કર્તા “શ્રી નાગસેન આચાર્ય હતા એવો સંપાદકે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. “તત્ત્વાનુશાસન' ઉપરાંત શ્રી નાગસેન આચાર્યે “આરાધનાસાર” નામનો લગભગ બે હજાર શ્લોક પ્રમાણનો ગ્રંથ રચ્યાનું જાણવા મળે છે. આ સિવાય બીજી કંઈ નોંધપાત્ર માહિતી ઉપલબ્ધ થઈ નથી. પુસ્તકને અંતે શબ્દસૂચિ આપી છે, જે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે. ભાદરવા સુદ ૧, વિ. સં. ૨૦૧૭ સોમવાર, તા. ૧૧–૯–૧૯૬૧ વિલેપારલે, મુંબઈ–પ૭ લિ. સેવક નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ.એ. મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૪૦–૧૫૮ ૪૫–૧૭૦ ૪૫–૧૭૨ ૫૩–૧૯૬ ૫૩–૧૯૭ ૫૮-૨૧૭ ૫૮–૨૨૦ ૬૦–૨૨૨૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ એ ખોલ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી ‘તત્ત્વાનુશાસન’ ગ્રંથનું મઁટર મારા ઉપર મોકલવામાં આવ્યું હતું. તેમાંથી કેટલોક વિભાગ ‘નમસ્કારસ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) ’ માટે લેવાનો હતો. ‘ તત્ત્વાનુશાસન ’ ગ્રંથનું પ્રથમ વાર જ્યારે અવલોકન કર્યું, ત્યારે તે ગ્રંથનો મન ઉપર સુંદર પ્રભાવ પડ્યો. તે વખતે એવું લાગ્યું કે ધ્યાનમાર્ગ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી હોવાથી તે પ્રત્યેક મુમુક્ષુના અધ્યયનનો વિષય ખનવો જોઈ એ. આ વિચારે સમગ્ર ગ્રંથના ગુજરાતી અનુવાદ માટે પ્રેરણા આપી. અધ્યાત્મગ્રંથસંગ્રહ’ નામના સંગ્રહાત્મક ગ્રંથમાં આ ગ્રંથ પૂર્વે હિંદી અનુવાદસહિત શ્રી લક્ષ્મીચંદ વણી, મંદસૌર, માલવા તરફથી પ્રકાશિત થયેલ છે. તેના સંપાદક ઇન્દોરના દર્શનશાસ્ત્રી શ્રી. ધન્યકુમાર જૈન, એમ.એ., છે. એ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી, તેની એક નકલ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રમુખ સુશ્રાવક શ્રી. અમૃતલાલ કાલિદાસ દોશીને મળી આવેલી,તેના ઉપરથી તેમણે એક નકલ લખાવી લીધેલી. એ નકલ અનુવાદ કરતી વખતે મને ઉપયોગી નીવડી છે. મૂલ ગ્રંથોમાં અધ્યાયોનો ક્રમ નથી, તે અમે કર્યો છે. ( ‘તત્ત્વાનુશાસન’ના કર્તા જૈન દિગંબર સંપ્રદાયના મુનિ (આચાર્ય) શ્રી. નાગસેન છે. તેમના શ્રી. વીરચંદ્ર, શ્રી. શુભદેવ અને શ્રી. મહેંદ્રદેવ વિદ્યાગુરુઓ હતા અને શ્રી. વિજયદેવ દીક્ષાગુરુ હતા, એમ પ્રશસ્તિ કહે છે. તિહાસના ગ્રંથોમાં ગ્રંથકર્તા વિશે ખાસ ઉલ્લેખ મળ્યો નથી. ગ્રંથની રચના ગ્રંથકર્તાની અગાધ વિદ્વત્તાને સ્વયં કહી આપે છે. આ ગ્રંથનો વિશિષ્ટ ક્રમ વાચકના મનને પ્રભાવિત કરે છે. રચના સુંદર ભાષામાં અને તર્કપ્રધાન શૈલીમાં છે. સમગ્ર ગ્રંથનો મુખ્ય વિષય ધ્યાન છે. ગ્રંથમાં બંધ, બહેતુ, મોક્ષ અને મોક્ષહેતુએ ચાર સારભૂત તત્ત્વોનું સુંદર વર્ણન છે. ગ્રંથકર્તાએ ધ્યાનનું સ્વરૂપ, પરાશ્રય ધ્યાન, સ્વાશ્રય ધ્યાન, ધ્યાનની Page #17 -------------------------------------------------------------------------- ________________ સોળ સામગ્રી, ધ્યાનનાં ફળો, ધ્યાનનું માહાત્મ, ધ્યાન માટે પ્રેરણા, વગેરે ધ્યાનસંબંધી અનેક વિષયો વિશિષ્ટ ક્રમે રજૂ કર્યા છે. આ સંપૂર્ણ અનુવાદને ધ્યાનમાર્ગના જાણકાર પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય કાળજીપૂર્વક જોઈ ગયા છે. એ માટે હું તેઓશ્રીનો અત્યંત ઋણી છું. ' . પ્રસ્તુત અનુવાદથી અનુવાદકના આત્મામાં જે કાંઈ પુણ્ય એકત્ર થયું હોય, તેનાથી સર્વ જગતનું કલ્યાણ થાઓ. શ્રાવણ સુદ ૯, ૨૦૧૭ પાલી રાજસ્થાન –મુનિ તવાનંદવિજય Page #18 -------------------------------------------------------------------------- ________________ श्रीमन्नागसेनाचार्यप्रणीत तत्त्वानुशासन પ્રથમ અધ્યાય સારભૂત ચતુષ્ટય (અંધ-બંધહેતુ-મોક્ષ–મોક્ષહેતુ ) મંગલાચરણ सिद्धस्वार्थानशेषार्थस्वरूपस्योपदेशकान् । परापरगुरून् नत्वा, वक्ष्ये तत्त्वानुशासनम् ॥ १ ॥ જેઓનાં સર્વ સ્વપ્રયોજનો સિદ્ધ થયાં છે અને જેઓ નિખિલ પદાર્થોના સ્વરૂપનો ઉપદેશ કરનારા છે એવા પર અને અપર ગુરુઓને નમસ્કાર કરીને હું ‘તત્ત્વાનુશાસન ’ કહું છું. ॥ ૧ ॥ સર્વજ્ઞાસ્તિવસિદ્ધિ अस्ति वास्तव सर्वशः सर्वगीर्वाणवन्दितः । घातिकर्मक्षयोद्भूत स्पष्टानन्तचतुष्टयः ॥ २ ॥ ચારે ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થયાં છે સ્પષ્ટ રૂપમાં ચાર અનંતા-(અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) જેમને અને જેઓ સર્વ દેવોથી વંદાયેલા છે, ‘શ્રી સર્વજ્ઞ ભગવંત ’ વાસ્તવિકરૂપે છે જ. ॥ ૨ ॥ એવા 112 ત. ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન સર્વજ્ઞકથિત તત્ત્વ तापत्रयोपतप्तेभ्यो, भव्येभ्यः शिवशर्मणे । तत्त्वं हेयमुपादेयमिति द्वेधाऽभ्यधादसौ ॥३॥ એ શ્રી સર્વજ્ઞ ભગવંતે ત્રિવિધ તાપથી તપેલા ભવ્ય જીવોને મોક્ષ–સુખની પ્રાપ્તિ માટે હેય અને ઉપાદેય એમ બે પ્રકારનું તત્ત્વ કહ્યું છે. કા હેય તત્ત્વ बन्धो निबन्धनं चास्य, हेयमित्युपदर्शितम् । हेयं स्याद् दुःखसुखयोर्यस्माद् बीजमिदं द्वयम् ॥४॥ સાંસારિક સુખદુઃખનું બીજ હોવાથી કર્મબંધ અને એનું કારણ એ બંને હેય છે, એમ દર્શાવેલું છે. તે ૪ ઉપાદેય તત્ત્વ मोक्षस्तत्कारणं चैतदुपादेयमुदाहृतम् । उपादेयं सुखं यस्मादस्मादाविर्भविष्यति ॥५॥ મોક્ષ અને તેનું કારણ ઉપાદેય કહેલ છે, કેમકે ઉપાદેય જે લોકોત્તર) સુખ તે એનાથી પ્રકટ થાય છે. પણ બંધની વ્યાખ્યા અને ભેદો તત્ર પર (વ) હેતુઓ, સંક્ષિા जीवकर्मप्रदेशानां, स प्रसिद्धश्चतुर्विधः ॥६॥ તેમાં જીવ અને કર્મના પ્રદેશોનો જે પરસ્પર સંલેષ તે બંધ છે. તે સ્વહેતુઓ (મિથ્યાત્વાદિ)થી થાય છે અને પ્રકૃતિબંધાદિ ચાર ભેદે પ્રસિદ્ધ છે. તે ૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય બંધનું કાર્ય बन्धस्य कार्यः (य) संसारः, सर्वदुःखप्रदोऽङ्गिनाम् । द्रव्यक्षेत्रादिभेदेन, स चानेकविधः स्मृतः ॥७॥ બંધનું કાર્ય (ફળ) પ્રાણીઓને સર્વપ્રકારનાં દુઃખ આપનારો સંસાર છે. અને તે દ્રવ્યસંસાર, ક્ષેત્રસંસાર વગેરે ભેદોથી અનેક પ્રકારનો કહેલો છે. ૭ | બંધના હેતુઓ स्युमिथ्यादर्शनज्ञानचारित्राणि समासतः । बन्धस्य हेतवोऽन्यस्तु, त्रयाणामेव विस्तरः ॥८॥ સંક્ષેપમાં મિથ્યાદર્શન, મિયાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ બન્ધના હેતુઓ છે. અન્ય હેતુસમુદાય તો એ ત્રણનો જ વિસ્તાર છે. ૮ મિથ્યાદર્શનની વ્યાખ્યા अन्यथाऽवस्थितेष्वर्थेष्वन्यथैव रुचिर्नृणाम् । दृष्टिमोहोदयान्मोहो, मिथ्यादर्शनमुच्यते ॥ ९॥ દર્શનમોહનીય કર્મના ઉદયથી, પદાર્થો જે રૂપે રહેલા છે તેમાં તેથી અન્ય પ્રકારની રુચિરૂપ થતી મૂઢતાને મિથ્યાદર્શન કહેવાય છે. ૯ મિથ્યાજ્ઞાનની વ્યાખ્યા शानावृत्युदयादर्थेष्वन्यथाऽधिगमो भ्रमः । अशानं संशयश्चेति, मिथ्याज्ञानमिह त्रिधा ॥ १०॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાનુશાસન જ્ઞાનાવરણીય કર્મના ઉદ્દયથી, પદાર્થોમાં અન્યપ્રકારની (અયથાર્થ) સમજ તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. તે ભ્રમ, અજ્ઞાન અને સંશય એમ ત્રણ પ્રકારનું છે. | ૧૦ || * મિથ્યાચારિત્રની વ્યાખ્યા वृत्तिमोहोदयाज्जन्तोः, कषायवशवर्तिनः । योगप्रवृत्तिरशुभा, मिथ्याचारित्रमूचिरे ॥ ११ ॥ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી કષાયવશવી જીવની મન-વચન-કાયાથી થતી અશુભ પ્રવૃત્તિને મિથ્યાચારિત્ર કહેલ છે. ॥ ૧૧ ॥ કર્મબંધનું પ્રધાન કારણ-મોહરાજ बन्धहेतुषु सर्वेषु, मोहश्च प्राक् प्रकीर्तितः । मिथ्याज्ञानं तु तस्यैव, सचिवत्वमशिश्रियत् ॥ १२ ॥ સર્વ બંધહેતુઓમાં મોહને સૌથી પ્રથમ કહ્યો છે અને મિથ્યાજ્ઞાને તો તેનું જ મંત્રીપણું સ્વીકાર્યું છે. ॥ ૧૨ ॥ મોહરાજના સેનાપતિ ममाऽहङ्कारनामानौ, सेनान्यौ तौ च तत्सुतौ । यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्त्तते ॥ १३ ॥ જેમને આધીન અત્યંત દુર્ભેદ્ય એવો મોહ વ્યૂહ પ્રવર્તે છે, તે એ મમકાર અને અહંકાર નામના મોહુરાજના પુત્રો એ તેના સેનાપતિઓ છે. । ૧૩ । Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય મમકારનું સ્વરૂપ शश्वदनात्मीयेषु स्वतनुप्रमुखेषु कर्मजनितेषु । आत्मीयाभिनिवेशो ममकारो मम यथा देहः ॥ १४॥ કર્મ ઉત્પન્ન કરેલા અને પરમાર્થથી કદી પણ પોતાના ન થનારા એવા સ્વપુત્રાદિ વિષે આત્મીયતાનો અસદાગ્રહ તે મમકાર છે, જેમ કે “મારું શરીર” વગેરે. આ ૧૪ . અહંકારનું સ્વરૂપ ये कर्मकृता भावाः परमार्थनयेन चात्मनो भिन्नाः। तत्रात्माऽऽत्माभिनिवेशोऽहङ्कारोऽहं यथा नृपतिः ॥१५॥ કર્મ સર્જેલા ભાવો જે પરમાર્થ (નિશ્ચય) નયથી આત્માથી ભિન્ન છે, તેમાં પોતાપણાને અભિનિવેશ તે અહંકાર છે જેમ કે “હું રાજા” વગેરે. ૧૫ મમકાર-અહંકારનું કારણ અને કાર્ય मिथ्याशानान्वितान्मोहान्ममाहङ्कारसंभवः । इमकाभ्यां तु जीवस्य, रागो द्वेषस्तु जायते ॥१६॥ . મિથ્યાજ્ઞાનથી યુક્ત મોહના કારણે મમકાર અને અહંકાર ઉપજે છે અને આ બેથી જ જીવને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. તે ૧૬ છે. ताभ्यां पुनः कषायाः स्यु!कषायाश्च तन्मयाः। તેઓ યોગા પ્રવર્તત્ત, તતઃ વિધાવિયઃ ૨૭ વળી તે રાગદ્વેષથી કષાયો અને કષાયમય નોકષાયો થાય છે. તેથી યોગ પ્રવર્તે છે. તેથી જીવહિંસાદિ થાય છે. ( ૧૭ ) Page #23 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન તે વળિ વત્તે, સંત પુતિકુળતા તર થાઃ પ્રજ્ઞાચજો, વિજ્ઞાન નિયાળિ ા ૨૮ તે હિંસાદિથી કમોં બંધાય છે. તેથી સદગતિ અને દુર્ગતિ થાય છે. ત્યાં શરીરો અને શરીર સાથે પ્રાપ્ત થનારી ઈન્દ્રિયો પણ ઉત્પન્ન થાય છે. તે ૧૮ II तदर्थानिन्द्रियैर्गृह्णन्, मुह्यति द्वेष्टि रज्यते । ततो बन्धो भ्रमत्येवं, मोहव्यूहगतः पुमान् ॥१९॥ ઈન્દ્રિયોના વિષયોને ઈન્દ્રિયો વડે ગ્રહણ કરતો જીવ મૂઢ બને છે, અણગમતા વિષયો પર દ્વેષ કરે છે અને મનગમતા વિષયો પર રાગ કરે છે. તેથી પાછો કર્મબંધ થાય છે. આ પ્રમાણે મોહના ચકાવામાં ચઢેલો પુરુષ (સંસારમાં) ભમે છે. મે ૧૯ મહાદિના નાશ માટે પ્રેરણા तस्मादेतस्य मोहस्य, मिथ्याज्ञानस्य च द्विषः। ममाऽहङ्कारयोश्चात्मन् , विनाशाय कुरूधमम् ॥२०॥ તેથી હે જીવ! આ શત્રુભૂત મોહ, મિથ્યાજ્ઞાન, મમકાર અને અહંકારનો વિનાશ કરવા માટે ઉદ્યમ કર. ૨૦ बन्धहेतुषु मुख्येषु नश्यत्सु क्रमशस्तव । शेषोपि रागद्वेषादिबन्धहेतुर्विनश्यति ॥२१॥ કર્મબન્ધના મુખ્ય હેતુઓનો નાશ થતાં અનુક્રમે રાગદ્વેષ વગેરે સર્વ બન્ધહેતુઓનો પણ વિનાશ થશે. ૨૧ . Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય ततस्त्वं बन्धहेतूनां, समस्तानां विनाशतः। बन्धप्रणाशमुक्तः सन् , न भ्रमिष्यसि संसृतौ ॥ २२॥ સમસ્ત બન્ધહેતુઓના વિનાશથી બંધનો સર્વથા નાશ પામશે. એ રીતે મુક્ત થવાથી તે સંસારમાં નહીં ભમે. ૨૨ In બંધહેતુઓના નાશનો ઉપાય વશ્વવિનાશાસ્તુ, મોક્ષrgઉદા परस्परविरुद्धत्वाच्छीतोष्णस्पर्शवत्तयोः ॥२३॥ બહેતુઓનો વિનાશ મોક્ષના હેતુઓના સ્વીકારથી થાય છે, કેમ કે તે બન્ને શીત અને ઉષ્ણ સ્પર્શની જેમ પરસ્પર વિરુદ્ધ છે. તે ૨૩ . મોક્ષનો હેતુ स्यात्सम्यग्दर्शनशानचारित्रत्रितयात्मकः । मुक्तिहेतुर्जिनोपज्ञं निर्जरा-संवरक्रियः ॥ २४ ॥ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યકારિત્ર એ ત્રિતયરૂપ મુક્તિહેતુને શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ પ્રથમ જામ્યો છે. તેનાથી સંવર અને નિર્જરાની કિયા થાય છે. ૨૪ . સમ્યગ્દર્શનની વ્યાખ્યા जीवादयो नवाप्यर्था, ये यथा जिनभाषिताः । ते तथैवेति या श्रद्धा, सा सम्यग्दर्शनं स्मृतम् ॥२५॥ જીવ આદિ નવપદાથને શ્રી જિનેશ્વરોએ જેવા સ્વરૂપવાળા કહ્યા છે, “તે તેવા જ છે,” એવી જે શ્રદ્ધા તેને સમ્યગ્દર્શન - કહ્યું છે. ૨૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન સમ્યજ્ઞાનની વ્યાખ્યા प्रमाण-नय-निक्षेपैर्यो याथात्म्येन निश्चयः । जीवादिषु पदार्थेषु, सम्यग्ज्ञानं तदिष्यते ॥२६॥ જીવાદિ તત્ત્વોને વિષે પ્રમાણ-નય અને નિક્ષેપ વડે યથાર્થ નિશ્ચય તે સમ્યગજ્ઞાન છે. ૨૬ in સમારિત્રની વ્યાખ્યા चेतसा वचसा तन्वा, कृतानुमतकारितैः । पापक्रियाणां यस्त्यागः, सच्चारित्रमुषन्ति तत् ॥ २७॥ મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવા વડે પાકિયાના ત્યાગને સરચારિત્ર કહે છે. આ ૨૭ મોક્ષહેતુના પ્રકારે मोक्षहेतुः पुनद्वैधः, निश्चयव्यवहारतः। तत्रायः साध्यरूपः स्याद्, द्वितीयस्तस्य साधनम् ॥२८॥ વળી આ મોક્ષહેતુ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારનો છે. તેમાં પહેલો નિશ્ચય સાધ્યરૂપ છે અને બીજે વ્યવહાર તેનું સાધન છે. ૨૮ . નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ अभिन्नकर्तृकर्मादिविषयो निश्चयो नयः । व्यवहारनयो भिन्नकर्तृकर्मादिगोचरः ॥२९॥ કર્તા, કર્મ વગેરે વિષયોને અભેદ ભાવે સ્વીકારનારો નિશ્ચય નય છે. કર્તા, કર્મ વગેરે વિષયોને ભિન્ન ભિન્ન માનનાર વ્યવહારનય જાણવો ૨૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યાય વ્યવહારથી મુકિતહેતુ धर्मादिश्रद्धानं सम्यक्त्वं, ज्ञानमधिगमस्तेषाम् । चरणं च तपसि चेष्टा, व्यवहाराद् मुक्तिहेतुरयम् ॥ ३०॥ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ, તેમના અધિગમરૂપ જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર, એ વ્યવહારથી મુક્તિહેતુ છે. . ૩૦ | નિશ્ચયથી મોક્ષહેતુ निश्चयनयेन भणितस्त्रिभिरेभिर्यः समाहितो भिक्षुः। नोपादत्ते किञ्चन च मुञ्चति मोक्षहेतुरसौ ॥३१॥ ઉપર્યુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રના બળે સમાધિમાં રમતો જે સાધુ કંઈ ગ્રહણ કરે નહિ અને કંઈ તજે નહિ, તે નિશ્ચયનયથી મોક્ષહેતુ છે. u ૩૧ / यो मध्यस्थः पश्यति, जानात्यात्मानमात्मनात्मन्यात्मा। दृगवगमचरणरूपःस्ल, निश्चयान्मुक्तिहेतुरितिजिनोक्तिः॥३२॥ મધ્યસ્થ એવો જે આત્મા આત્માને આત્મા વડે (આત્મમાટે, આત્માથી) આત્મામાં જુએ છે અને જાણે છે તે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ હોવાથી નિશ્ચયથી મુક્તિ હેતુ છે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. આ ૩ર ! મને એમ t: Dા Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય મોક્ષનું પ્રધાન કારણુ : ધ્યાન स च मुक्तिहेतुरिद्धो ध्याने यस्मादवाप्यते द्विविधोऽपि । तस्मादभ्यस्यन्तु ध्यानं सुधियः सदाप्यपास्यालस्यम् ॥ १ ॥ ३३ ॥ આ બન્ને પ્રકારનો દીપ્તિમાન (સળ, સમૃદ્ધ, સમર્થ) મુક્તિનો હેતુ ધ્યાનમાં (ધ્યાનના મળે) પ્રાપ્ત થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષોએ આળસને તજીને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈ એ. ॥ ૧ ॥ ૩૩ ॥ ચતુર્વિધ ધ્યાન आते रौद्रं च दुर्ध्यानं, वर्जनीयमिदं सदा । धर्म शुक्लं च सद्ध्यानमुपादेयं मुमुक्षुभिः ॥ २ ॥ ३४॥ તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અને દુર્ધ્યાન છે. તે સદા વર્ષનીય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન શુભધ્યાન છે. તે સદા ઉપાદેય છે. ॥ ૨ ॥ ૩૪ ॥ શુક્લધ્યાનના અધિકારી वज्रसंहननोपेताः, पूर्वश्रुतसमन्विताः । दध्युः शुक्लमिहातीताः श्रेण्योरारोहणक्षमाः ॥ ३ ॥ ३५ ॥ વઋષભનારાચ (પ્રથમ) સંઘયણને પામેલા, પૂર્વગતશ્રુતને ધારણ કરનારા અને શ્રેણી પર ચઢવામાં સમર્થ એવા પૂર્વપુરુષોએ આ ક્ષેત્રમાં શુક્લધ્યાનને ધ્યાયું હતું. ॥ ૩ ॥ ૩૫ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય ધર્મધ્યાન तादृक्सामग्र्यभावे तु, ध्यातुं शुक्लमिहाक्षमान् । ऐदंयुगीनानुद्दिश्य, धर्मध्यानं प्रचक्ष्महे ॥४॥३६॥ પરંતુ આ ક્ષેત્રમાં તેની સામગ્રીના અભાવે શુકલધ્યાન કરવા માટે અસમર્થ એવા વર્તમાનકાલીન જીવોને ઉદ્દેશીને ધર્મધ્યાનને કહીએ છીએ. જે ૪ ૩૬ . ધર્મધ્યાનનાં અંગો ध्याता ध्यानं फलं ध्येयं, यस्य यत्र यदा यथा । इत्येतदत्र बोद्धव्यं, ध्यातुकामेन योगिना ॥५॥३७॥ પ્રસ્તુતમાં ધ્યાતા, ધ્યાન, ધ્યાનનું ફળ, યેય, જેનું , જ્યાં, જ્યારે અને જે પ્રકારે –એ આઠ અંગો ધ્યાનની ઈચ્છાવાળા યોગીએ જાણવાં જોઈએ. પ . ૩૭ गुप्तेन्द्रियमना ध्याता, ध्येयं वस्तु यथास्थितम् । एकाग्रचिन्तनं ध्यानं, निर्जरा-संवरौ फलम् ॥ ६॥३८॥ ઈન્દ્રિયો અને મનને વશ કરનાર તે યાતા, યથાસ્થિત– અકાલ્પનિક વસ્તુ તે ધ્યેય, એકાગ્રચિંતન તે ધ્યાન અને નિર્જરા-સંવર તે ફળ સમજવાં. . ૬ . ૩૮ છે. देशः कालश्च सोऽन्वेष्य; सा चावस्थानुगम्यताम् । यदा यत्र यथा ध्यानमपविघ्नं प्रसिद्धयति ॥७॥३९॥ જ્યારે, જ્યાં, જે પ્રકારે વિશ્વ વિના ધ્યાન સિદ્ધ થાય, તે કાળ, તે પ્રદેશ અને તે અવસ્થાને શોધો અને અનુસરો. . ૭. ૩૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ તવાનુશાસન इति संक्षेपतो ग्राह्यमष्टाङ्गं योगसाधनम् । विवरीतुमदः किश्चिदुच्यमानं निशम्यताम् ॥ ८॥ ४०॥ એ પ્રમાણે સંક્ષેપમાં યોગમાં સાધનભૂત આઠ અંગો મેળવવાં જરૂરી છે. તેનું વિવરણ કરવા માટે થોડુંક કહું છું, તે સાંભળો. તે ૮ ૪૦ | દયાતાનું લક્ષણ તત્રાસન્ન(0)મુરિ (), વિરાવાઇ વાળYI विरक्तः कामभोगेभ्यस्त्यक्तसर्वपरिग्रहः ॥९॥४१॥ अभ्येत्य सम्यगाचार्य, दीक्षां जैनेश्वरी श्रितः । તપસંયમપૂ, પ્રમાદિતારાયઃ | ૨૦ | કર ! सम्यग्निर्णीतजीवादि-ध्येयवस्तुव्यवस्थितिः। आर्तरौद्र परित्यागाल्लब्धचित्तप्रसत्तिकः ॥११॥४३॥ मुक्तलोकद्वयापेक्षः पोढाऽशेषपरिषहः। अनुष्ठितक्रियायोगो, ध्यानयोगे कृतोद्यमः ॥ १२॥४४॥ महासत्त्वः परित्यक्तदुर्लेश्याऽशुभभावनः। इतीगलक्षणो ध्याता, धर्मध्यानस्य सम्मतः ॥१३॥ ४५ ॥ મુક્તિની નજીક આવેલો (આસન્નભવ્ય), કોઈ પણ નિમિત્તને પામીને કામભોગોથી વિરક્ત થયેલો, સર્વપરિગ્રહનો ત્યાગી, આચાર્ય ભગવાન પાસે ભાવપૂર્વક આવીને જેણે જૈનેશ્વરી દીક્ષા લીધી છે એવો, તપ અને સંયમથી સંપન્ન, પ્રમાદરહિત ચિત્તવાળો, જીવાદિ શ્રેય વસ્તુઓની વ્યવસ્થાનો જેણે સારી રીતે નિર્ણય કર્યો છે એવો, આર્ત અને રૌદ્રધ્યાનના પરિત્યાગથી ચિત્તની પ્રસનતાને પામેલો, ઉભય લોકની આશંસાથી રહિત, સર્વ પરીષહોને સહન કરનાર, ક્રિયાયોગને વિધિપૂર્વક કરી ચૂકેલો, Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય ૧૩ ધ્યાન યોગમાં ઉદ્યમશીલ, સત્ત્વશાળી અને અશુભ લેહ્યાઓ તથા ભાવનાઓથી રહિત એવો યાતા ધર્મધ્યાનને માટે યોગ્ય મનાયો છે. જે ૯-૧૩ ૪૧-૪૫ / ધર્મધ્યાનના સ્વામી अप्रमत्तः प्रमत्तश्च सदृष्टिदेशसंयतः । धर्मध्यानस्य चत्वारस्तत्त्वार्थे स्वामिनः स्मृताः ॥१४॥४६॥ ગુણસ્થાનકની અપેક્ષાએ શ્રી તસ્વાર્થાધિગમસૂત્રમાં અપ્રમત્ત, પ્રમત્ત, દેશવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચારને ધર્મધ્યાનના સ્વામી કહ્યા છે. / ૧૪ i ૪૬ मुख्योपचारभेदेन, धर्मध्यानमिह द्विधा । अप्रमत्तेषु तन्मुख्यमितरेष्वौपचारिकम् ॥१५॥४७॥ અહીં મુખ્ય અને ઉપચાર એ બે ભેદથી ધર્મધ્યાન બે પ્રકારે છે, તેમાં અપ્રમત્ત મુનિઓને તે મુખ્ય (નિશ્ચયથી) હોય છે અને તે સિવાયના (પ્રમત્ત ગુણસ્થાનક સુધીના) જીવોને તે ઉપચાર (વ્યવહાર)થી હોય છે . ૧૫ ૪૭ n ધ્યાતા અને ધ્યાનના પ્રકાર द्रव्यक्षेत्रादिसामग्री, ध्यानोत्पत्तौ यतस्त्रिधा। ध्यातारस्त्रिविधास्तस्मात्, तेषां ध्यानान्यपि त्रिधा ॥१६॥४८॥ ધ્યાનની ઉત્પત્તિમાં (પ્રાપ્તિમાં) કારણભૂત દ્રવ્ય, ક્ષેત્ર વગેરે સામગ્રી (ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ) ત્રણ પ્રકારની હોવાથી ધ્યાન કરનારા ત્રણ પ્રકારના હોય છે, તેથી તેઓનાં ધ્યાનો પણ ત્રણ પ્રકારનાં હોય છે ૧૬ . ૪૮ in Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તરવાનુશાસન सामग्रीतः प्रकृष्टाया, ध्यातरि ध्यानमुत्तमम् । स्याजघन्यं जघन्याया, मध्यमायास्तु मध्यमम् ॥ १७॥४९॥ ઉત્તમ સામગ્રીના બળે યાતામાં ઉત્તમ ધ્યાન, જઘન્ય સામગ્રીથી જઘન્ય અને મધ્યમ સામગ્રીથી મધ્યમ ધ્યાન પ્રાપ્ત થાય છે. તે ૧૭ ૧૪૯ છે श्रुतेन विकलेनापि, ध्याता स्यान्मनसा स्थिरः । प्रबुद्धधीरधः श्रेण्यो, धर्मध्यानस्य सुश्रुतः॥१८॥५०॥ અપૂર્ણ શ્રત વડે પણ ધ્યાતા (ધર્મધ્યાનમાં) મનથી સ્થિર થઈ શકે છે પરંતુ શ્રેણીની નજીકનું ઉત્તમ ધર્મધ્યાન તો પ્રાયઃ વિકસિત બુદ્ધિવાળા સુશ્રુતને જ હોય છે. તે ૧૮ ૫૦ | ધર્મ અને ધર્મધ્યાનની વ્યાખ્યાઓ सदृष्टि-ज्ञान-वृत्तानि, धर्म धर्मेश्वरा विदुः । तस्माद्यदनपेतं हि, धर्म्य तद्धयानमभ्यधुः ॥१९॥५१॥ શ્રી તીર્થકર ભગવંતોએ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહ્યો છે. તે ધર્મથી યુક્ત જે ધ્યાન તેને ધર્મધ્યાન કહ્યું છે. . ૧૯ / ૧ / आत्मनः परिणामो यो, मोहक्षोभविवर्जितः। स च धर्मोऽनपेतं यत् , तस्मात्तद्धर्म्यमित्यपि ॥२०॥५२॥ અથવા મોહના વિકારથી રહિત આત્માનો જે પરિણામ તે ધર્મ છે. તેનાથી યુક્ત (જે ધ્યાન) તે ધર્મધ્યાન છે, એમ પણ કહ્યું છે. તે ૨૦ પર છે Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય ૧૫ शून्यीभवदिदं विश्वं, स्वरूपेण धृतं यतः। तस्माद्वस्तुस्वरूपं हि, प्राहुर्धर्म महर्षयः ॥२१॥५३॥ અથવા શૂન્ય બની જતા આ વિશ્વને સ્વરૂપ ધારણ કરી રાખ્યું-ટકાવ્યું છે, તેથી મહર્ષિઓ વસ્તુસ્વરૂપને જ ધર્મ કહે છે. તે ૨૧ ૫૩ / ततोऽनपेतं यज्ज्ञातं तद्धर्म्य ध्यानमिष्यते। धर्मो हि वस्तु याथात्म्यमित्यार्षेप्यभिधानतः ॥ २२॥ ५४॥ વસ્તુસ્વરૂપથી યુક્ત જે જ્ઞાન થાય છે તે ધર્મધ્યાન કહેવાય છે. આગમમાં પણ વસ્તુનું યથાસ્ય (સ્વરૂપ) તે ધર્મ છે” એમ કહેલું છે. તે ૨૨ . પ यस्तूत्तमः क्षमादिः स्याद, धर्मो दशतया परः। ततोऽनपेतं यद्धयानं, तद्वा धर्म्यमितीरितम् ॥ २३॥ ५५ ॥ અથવા તો ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રેષ્ઠ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન કહેલું છે. આ ૨૩ પપ . ધ્યાનનું લક્ષણ एकाग्रचिन्तारोधो यः, परिस्पन्देन वर्जितः। तद्धयानं निर्जराहेतुः, संवरस्य च कारणम् ॥२४॥५६॥ પરિસ્પદ (ચંચલતા-ચિત્તના વિષયાંતર ગમન) થી રહિત એવો એક જ વસ્તુના સ્થિર ચિંતન–અધ્યવસાનરૂપ ચિત્તનિરોધ તે ધ્યાન છે. તે નિર્જરાનું અને સંવરનું કારણ છે. ૨૪ . ૫૬ છે * વઘુસદ્દો ધો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાનુશાસન ‘એકાગ્ર ચિંતાનિરોધનો વિશેષાર્થ एकं प्रधानमित्याहुरग्रमालम्बनं मुखम् । चिन्तां स्मृतिं निरोधं तु, तस्यास्तत्रैव वर्त्तनम् ॥ २५ ॥ ५७ ॥ · એકાગ્રચિન્તારોધમાં એક એટલે પ્રધાન-શ્રેષ્ઠ, અગ્ર એટલે આલંબન અથવા મુખ (એ મન્નેનો અર્થ ધ્યેયવસ્તુ, ઉપાય, દ્વાર વગેરે થાય છે), ચિન્તા એટલે સ્મૃતિ અને નિરોધ એટલે સ્મૃતિનું એક પ્રધાન આલંબનમાં જ સ્થિર થવું, એમ મર્ષિઓએ કહ્યું છે. ॥ ૨૫ ॥ ૫૭ ॥ દ્રવ્ય-પર્યાયોર્મધ્યે, પ્રાધાન્ચેન થવિતમ્ । तत्र चिन्ता निरोधो यस्तद्वयानं बभणुर्जिनाः ॥ २६ ॥ ५८ ॥ દ્રવ્ય અને પર્યાય પૈકી જેને (ધ્યાનમાં) મુખ્યપદ આપ્યું હોય (ધ્યાનમાં જેની મુખ્યતા રાખી હોય) તેમાં ચિંતાનો નિરોધ (સ્થિર સ્મરણ) તેને શ્રીજિનેશ્વર ભગવંતો ધ્યાન કહે છે. ૨૬ ॥ ૫૮ ॥ एकाग्रग्रहणं चात्र, वै व्यग्रविनिवृत्तये । ચર્મ ઘ(દિ)જ્ઞાનમૈવ થાયાનમેળાપ્રમુતે ॥ ૨૭ ॥ ૬ ॥ અહીં (ધ્યાનમાં) એકાત્રનું (એક જ શ્રેષ્ઠ આલંબનનું) ગ્રહણ કર્યું છે, તે વ્યગ્રતાના (ભિન્ન ભિન્ન વિષયમાં મનની ચંચલતાના) વારણ માટે છે. વ્યગ્રતા અજ્ઞાન (માત્ર જ્ઞાન ?) રૂપ જ છે; એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. || ૨૭ || ૫૯ || " प्रत्याहृत्य यदा चिन्तां नानालम्बनवर्तिनीम् । જિવન Õનાં, નિર્વાધ વિશુદ્ધીઃ ॥ ૨૮ ॥ ૬૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય तदास्य योगिनो योगश्चिन्तैकाग्रनिरोधनम् । प्रसंख्यानं समाधिः स्याद्वयानं स्वेष्टफलप्रदम् ॥ २९ ॥ ६१ ॥ જ્યારે નિર્મળ બુદ્ધિવાળો ધ્યાતા વિવિધ આલંબનો (વિષયો)માં ક્રૂતી આ ચિન્તા (સ્મૃતિ)ને પ્રત્યાહરીને (ખેંચીને) એક જ આલંબન (વિષય)માં રોકે છે, ત્યારે આ યોગીનો એક જ વિષયમાં સ્મૃતિના સ્થિરીકરણરૂપ યોગ ‘પ્રસંખ્યાન સમાધિ ’ કહેવાય છે. આવું ધ્યાન પોતાના ઈષ્ટ ફળને આપનારું છે. ૫ ૨૮-૨૯ || ૬૦-૬૧ ॥ 6 अथवाङ्गति जानातीत्यग्रमात्मा निरुक्तितः । તવેષુ ચામ્રાજ્યત્વાાવમિતિ સ્મૃતઃ ॥ ૩૦ || ૬૨ ॥ ( અથવા અગ્ર ' પદનો નિર્યુક્તિથી (પદચ્છેદથી) અર્થ અકૃતિ=નાનાતિ કૃતિ ત્રં=ઞાત્મા' જે જાણે છે તે અગ્ર એટલે આત્મા થાય છે. અથવા જીવાદિ તત્ત્વોમાં અગ્ર-પ્રથમ સ્થાને ગણાતો હોવાથી આ આત્માને અગ્ર કહેલો છે ૩૦ || ૬૨ ॥ ત, ર द्रव्यार्थिकनयादेकः केवलो वा तथोदितः । અન્તઃવૃત્તિસ્તુ ચિન્તા તૈયો નિયંત્રના ॥ રૂ૨ ॥ ૬૩ ॥ દ્રાર્થિક (સંગ્રહ)* નયથી આત્માને એક અથવા કેવલ (અદ્વિતીય) કહ્યો છે. ચિંતા તે અન્તઃકરણની વૃત્તિ છે અને રોધ એટલે નિયંત્રણા સમજવી ॥ ૩૧ ॥ ૬૩ ॥ ૧૭ अभावो वा निरोधः स्यात् स च चिन्तान्तरव्ययः । જિન્નામો યદા, વિશ્વન્તયોનિસઃ ॥ ૩૨ || ૬૪ ॥ ** ( ì આયા ' ! —શ્રી સ્થાનાંગસૂત્ર, સ્થાન ૧. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તરવાનુશાસન અથવા નિરોધ એટલે અભાવ અને તે (અભાવ) અન્ય વિષયની ચિન્તાના અભાવરૂપ કોઈ એક જ પદાર્થની સ્મૃતિરૂપ સમજવો, અથવા સર્વ ચિન્તાઓ (સ્મૃતિઓ)થી રહિત માત્ર આત્મસંવેદન (આત્માનુભવ)રૂપ સમજવો. તે ૩૨ મ ૬૪ છે तत्रात्मन्यसहाये यच्चिन्तायाः स्यान्निरोधनम् । तद्धयानं तदभावो वा स्वसंवित्तिमयश्च सः ॥ ३३ ॥६५॥ તેમાં અસહાય-કેવળ આત્મામાં ચિત્તાનું જે રોકાણ તે ધ્યાન છે અથવા તેવી ચિન્તાનો અભાવ તે ધ્યાન છે. આવો અભાવ સ્વ(આત્મ)સંવેદનામય હોય છે. . ૩૩ + ૬૫ | ધ્યાનની અન્ય વ્યાખ્યાઓ श्रुतज्ञानमुदासीनं यथार्थमतिनिश्चलम् । स्वर्गापवर्गफलदं ध्यानमांतरमुहूर्त्ततः ॥३४॥६६॥ રાગ-દ્વેષથી રહિત, યથાર્થ અને અત્યંત નિશ્ચલ એવા શ્રુતજ્ઞાનને ધ્યાન કહેવાય છે, તે અંતર્મુહૂર્તમાં સ્વર્ગ અથવા મોક્ષરૂપ ફળને આપનારું છે. તે ૩૪ ૬૬ ध्यायते येन तद्धयानं यो ध्यायति स एव वा । यत्र वा ध्यायते यद्वा ध्यातिर्वा ध्यानमिष्यते ॥ ३५॥ ६७ ॥ જેનાવડે અથવા જેમાં ધ્યાન કરાય છે, અથવા જે ધ્યાન કરે છે તેને, અથવા “સ્થતિ ને ધ્યાન કહેવાય છે. જે ૩૫ ૬૭ * ચાતિ = ધ્યાનક્રિયા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દ્વિતીય અધ્યાય श्रुतज्ञानेन मनसा यतो ध्यायन्ति योगिनः। ततः स्थिरं मनोध्यानं श्रुतज्ञानं च तात्त्विकम् ॥ ३६॥ ६८॥ યોગીઓ શ્રુતજ્ઞાન સહિત મનવડે ધ્યાન કરતા હોવાથી સ્થિર એવું મન ધ્યાન કહેવાય છે અને તાત્વિક એવું શ્રુતજ્ઞાન પણ દયાન કહેવાય છે. ૩૬ ૬૮ . ज्ञानादर्थान्तरादात्मा न स्याज्ज्ञानं न चान्यतः । एक पूर्वापरीभूतं ज्ञानमात्मेति कीर्तितम् ॥ ३७॥ ६९॥ ध्येयार्थालम्बनं ध्यानं ध्यातुर्यस्मान्न भिद्यते । द्रव्यार्थिकनयात्तस्माद्धयातैव ध्यानमुच्यते ॥ ३८॥ ७० ॥ જે જ્ઞાનને અર્થાન્તર-આત્માથી ભિન્ન પદાર્થ માનીએ તો આત્મા ન રહે (આત્મ જ્ઞાનરહિત-જડ બની જાય) અને આત્મા વિના બીજાથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી; એવી રીતે આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્મામાં જ્ઞાન પૂર્વે પણ છે અને પછી પણ છે. તેથી જ્ઞાન આમા છે ? એમ આગમમાં કહ્યું છે. એવી જ રીતે (“જ્ઞાન આમા છે”ની જેમ) ધ્યેય અર્થ છે આલંબન જેમાં એવું ધ્યાન ધ્યાતાથી ભિન્ન ન હોવાથી દ્રવ્યાર્થિક નયથી ધ્યાતા જ ધ્યાન કહેવાય છે. ૩૭-૩૮ છે ૬૯-૭૦ છે ध्यातरि ध्यायते ध्येयं यस्मान्निश्चयमाश्रितैः । तस्मादिदमपि ध्यानं कर्माधिकरणद्वयम् ॥ ३९ ॥ ७१॥ જે કારણે નિશ્ચયનયનો આશ્રય લેનારાઓ વડે ધ્યાતામાં દયેયનું ધ્યાન કરાય છે તેથી કર્મ(કારક) અને અધિકરણ(કારક) બને પણ ધ્યાન છે |૩૯ ૭૧ . ૨. જે વિવારે સે આયા ! –-શ્રી આચારાંગ સૂત્ર. એક થર (અધિકરણ), ચેયં (કર્મ). Page #37 -------------------------------------------------------------------------- ________________ તાનુશાસન इष्टे ध्येये स्थिरा बुद्धिर्या स्यात्संतानवर्तिनी । ज्ञानान्तराऽपरामृष्टा सा ध्यातिानमीरिता ॥ ४० ॥ ७२ ॥ ઈષ્ટ દયેય (વસ્તુ)માં સ્મૃતિની પરંપરાવાળી અને અન્ય જ્ઞાનને (આલંબનને) નહિ સ્પર્શતી (જ્ઞાનાન્તરવડે અસંબદ્ધ) એવી જે સ્થિર બુદ્ધિ તે ધ્યાતિ છે, તેને ધ્યાન કહ્યું છે કાબુરા एकं च कर्ता करणं कर्माधिकरणं फलम् । • ध्यानमेवेदमखिलं निरुक्तं निश्चयानयात् ॥४१॥ ७३ ॥ વધુ શું કહીએ? નિશ્ચય નયથી જે કાંઈ છે તે ધ્યાન જ છે. તે જ કર્તા, કરણ, કર્મ, અધિકરણ અને ફળ છે ૪૧ ૭૩ स्वात्मानं स्वात्मनि स्वेन, ध्यायेत् स्वस्मै स्वतो यतः । षट्कारकमयस्तस्माद्ध्यानमात्मैव निश्चयात् ॥४२॥ ७४॥ નિશ્ચયથી તો આત્મા-પોતાને, પોતામાં, પોતાના બળે, પોતાના માટે, પોતાની મેળે જ દયાન કરે છે તેથી ષકારકમય આમા જ યાન છે. . ૪૨ ૭૪ | Page #38 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય ધ્યાન માટેની સામગ્રી અને પ્રેરણું सङ्गत्यागः कषायाणां निग्रहो व्रतधारणम् । मनोऽक्षाणां जयश्चेति सामग्री ध्यानजन्मने ॥१॥७५॥ ધ્યાનને ઉત્પન્ન કરવામાં પરિગ્રહનો ત્યાગ, કષાયોન નિગ્રહ, વ્રતોનો સ્વીકાર (પાલન) અને મન તથા ઈન્દ્રિયોનો ય એ (મુખ્ય) સામગ્રી છે. ૧૭પ इन्द्रियाणां प्रवृत्तौ च निवृत्तौ च मनः प्रभुः । मन एव जयेत्तस्माजिते तस्मिजितेन्द्रियः ॥२॥७६ ॥ ઈન્દ્રિયોને (વિષયોમાં પ્રવર્તાવવામાં અને રોકવામાં મન સમર્થ છે. તેથી મનને જ જીતવું જોઈએ. મનને જીતે છતે ઇન્દ્રિયોનો પણ જય થાય જ છે. ૨ . ૭૬ છે. ज्ञान-वैराग्यरज्जूभ्यां नित्यमुत्पथवर्तिनः । जितचित्तेन शक्यन्ते धर्तुमिन्द्रियवाजिनः ॥३॥७७॥ નિત્ય ઉલટા (સંસારના) માર્ગે દોડતા ઈન્દ્રિયરૂપી ઘોડાઓને મનનો વિજેતા જ્ઞાન અને વૈરાગ્યરૂપ બે રજજુઓ (લગામ) વડે રોકવા સમર્થ બની શકે છે. . ૩૭૭ | येनोपायेन शक्येत सन्नियन्तुं चलं मनः । स एवोपासनीयोऽत्र न चैव विरमेत्ततः॥४॥७८॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન જે ઉપાય દ્વારા ચંચળ ચિત્તને કબજે કરી શકાય તે જ ઉપાય અહીં (ધ્યાનમાં) સતત સેવવો જોઈએ અને તેનાથી અટકવું ન જોઈએ . ૪ ૭૮ संचिन्तयन्ननुप्रेक्षाः स्वाध्याये नित्यमुद्यतः। जयत्येव मनः साधुरिन्द्रियार्थपराङ्गमुखः ॥५॥७९॥ ઈન્દ્રિયોના વિષયોથી પરાપ્રમુખ થયેલો (પાછો ફરેલો), સ્વાધ્યાયમાં સદા ઉદ્યમશીલ અને ભાવનાઓને સારી રીતે ચિંતવતો યોગી મનને વશ કરી જ શકે છે. પા ૭૯ स्वाध्यायः परमस्तावजपः पञ्चनमस्कृतेः। पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ॥६॥ ८०॥ એકાગ્ર મનથી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રનો જાપ અથવા શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રાનું અધ્યયન એ સર્વોત્કૃષ્ટ સ્વાધ્યાય છે. ૬ મે ૮૦ || स्वाध्यायाधयानमध्यास्तां ध्यानात्स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या परमात्मा प्रकाशते ॥७॥ ८१ ॥ સ્વાધ્યાયથી ધ્યાનમાં ચઢે અને દયાનથી સ્વાધ્યાયને સવિશેષ ચિંતવે, એમ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સંપત્તિથી પરમાત્મતત્વનો (શુદ્ધાત્મસ્વરૂપનો) પ્રકાશ થાય છે . ૭ ૧ ૮૧ ધર્મધ્યાન માટે આ કાળગ્ય છે येऽत्राहुन हि कालोऽयं ध्यानस्य ध्यायतामिति । तेऽर्हन्मतानभिज्ञत्वं ख्यापयन्त्यात्मनः स्वयम् ॥ ८॥ ८२॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય આ (પંચમ) કાળ ધ્યાનનો (ધ્યાનને યોગ્ય) કાળ નથી, તેથી ધ્યાન ન કરો” એમ જેઓ (આ વિષયમાં) કહે છે, તેઓ જાતે જ પોતાનું શ્રી જિનમત સંબંધી અજાણપણું જાહેર કરે છે. || ૮ | ૮૨ . अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः। धर्मध्यानं पुनः प्राहुः श्रेणीभ्यां प्राग्विवर्तिनाम् ॥९॥ ८३॥ અહીં (ભારતમાં) વર્તમાનમાં (પંચમ કાળે) શ્રીજિનેશ્વરી શુકલધ્યાનનો નિષેધ કરે છે, કિન્તુ ઉભય શ્રેણીઓના નીચેના ગુણસ્થાનકે રહેલા આત્માઓને ધર્મધ્યાન કરવાનું તો વિધાન કરે જ છે. I ૯ ૮૩ | यत्पुनर्वज्रकायस्य ध्यानमित्यागमे वचः। श्रेण्योानं प्रतीत्योक्तं तन्नाधस्तानिषेधकम् ॥१०॥ ८४॥ વળી વજaષભનારાચ સંઘયણવાળાને દયાન હોય એવું જે આગમમાં કહ્યું છે તે બન્ને શ્રેણીઓના ધ્યાનને ઉદ્દેશીને કહ્યું છે, તેથી તે વચન શ્રેણીની નીચેના ધ્યાનનો નિષેધ કરતું નથી. તે ૧૦ ૫ ૮૪ | ध्यातारश्चेन्न सन्त्यध श्रुतसागरपारगाः। तत्किमल्पश्रुतैरन्यै नं ध्यातव्यं स्वशक्तितः ॥ ११ ॥ ८५॥ મૃતસાગરના પારગામી એવા ધ્યાની મહાત્માઓ આજે નથી, તેથી શું અપહ્યુતવાળા અન્ય પુરુષોએ પોતાની શક્તિમુજબ ધ્યાન ન ધરવું? ૧૧ મે ૮૫ // Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તવાનુશાસન चरितारो न चेत्सन्ति यथाख्यातस्य सम्प्रति । तत्किमन्ये यथाशक्तिमाचरन्तु तपस्विनः ॥ १२ ॥ ८६ ॥ જો આજે યથાખ્યાત ચારિત્રવાળા નથી, તો અન્ય તપસ્વીઓએ યથાશક્તિ ચારિત્ર શા માટે ન પાળવું? (અહીં સામા પક્ષને પ્રતિબંધિ ઉત્તર છે) ૫ ૧૨ ॥૮॥ सम्यग्गुरुपदेशेन समभ्यस्यन्ननारतम् । धारणासौष्ठवाद्ध्यानप्रत्ययानपि पश्यति ॥ १३ ॥ ८७ ॥ અનુભવી ગુરુના ઉપદેશથી નિરંતર સારી રીતે ધ્યાનનો અભ્યાસ કરતો આત્મા ધારણાશક્તિની અતિશાયિતાથી ધ્યાન સંબંધી પ્રત્યયોને (વિશ્વાસમાં વૃદ્ધિ કરનારાં સુસ્વપ્નાદિ ચિહ્નોને) પણ જુએ છે ॥ ૧૩ ॥ ૮૭ ॥ यथाभ्यासेन शास्त्राणि स्थिराणि स्युर्महान्त्यपि । तथा ध्यानमपि स्थैर्य लभतेऽभ्यासवर्तिनाम् ॥ १४ ॥ ८८ ॥ જેમ અભ્યાસના મળે મોટાં પણ શાસ્ત્રો સ્થિર (દઢ સ્મૃતિવાળાં) થાય છે, તેમ પુનઃ પુનઃ અભ્યાસ કરનારાઓનું ધ્યાન પણ સ્થિરતાને પામે છે ॥ ૧૪ ॥ ૮૮ ॥ यथोक्तलक्षणो ध्याता ध्यातुमुत्सहते यदा । तदैव परिकर्मादौ कृत्वा ध्यायतु धीरधीः ॥ १५ ॥ ८९ ॥ પૂર્વોક્ત લક્ષણવાળો સ્થિતપ્રજ્ઞ ધ્યાતા જ્યારે પણ ધ્યાન માટે ઉત્સાહિત થાય ત્યારે પરિકર્માદિ (સ્વભૂમિકાને ઉચિત શાસ્ત્રોક્ત અનુષ્ઠાન) કરીને ધ્યાન કરે ॥ ૧૫ ॥ ૮૯ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય પરાશ્રય દયાન ધ્યાનનો પ્રદેશ અને દયાતાનું સ્વરુપ शून्यागारे गुहायां वा दिवा वा यदि वा निशि। स्त्रीपशुक्लीबजीवानां क्षुद्राणामप्यगोचरे ॥ १॥९०॥ अन्यत्र वा क्वचिद्देशे, प्रशस्ते प्रासुके समे। चेतनाऽचेतनाऽशेषध्यानविघ्नविवर्जिते ॥२॥९१॥ भूतले वा शिलापट्टे सुखासीनः स्थितोऽथवा । सममृज्वायतं गात्रं निःकम्पावयवं दधत् ॥ ३ ॥९२॥ नासाग्रन्यस्तनिष्पन्दलोचनो मन्दमुच्छ्वसन् । द्वात्रिंशद्दोषनिर्मुक्तकायोत्सर्ग व्यवस्थितः ॥४॥९३॥ प्रत्याहृत्याक्षलुटाकांस्तदर्थेभ्यः प्रयत्नतः । चिन्तां चाकृष्य सर्वेभ्यो, निरुध्य ध्येयवस्तुनि ॥५॥९४॥ निरस्तनिद्रो निर्मीतिनिरालस्यो निरन्तरम् । स्वरूपं पररूपं वा, ध्यायेदन्तर्विशुद्धये ॥६॥९५॥ निन शुभां, रात्रे मथवा हिवसे, स्त्री, पशु, નપુંસક અને શુદ્ર જીવો જ્યાં ન હોય ત્યાં અથવા ધ્યાનમાં વિઘભૂત એવા સર્વ સચેતન અને અચેતન નિમિત્તેથી રહિત, સુંદર, નિર્જીવ, સપાટ એવા બીજા કોઈ પ્રદેશમાં, ભૂમિતલ અથવા શીલાપટ્ટ પર, સુખાસને અથવા કાયોત્સર્ગમુદ્રામાં રહેલો, સમ, સરલ, અસંકુચિત અને અવયવોના કંપથી રહિત એવા શરીરવાળો, નાસિકાના અગ્રભાગ પર સ્થિર છે દૃષ્ટિ જેની એવો, મન્દ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાનુશાસન શ્વાસોચ્છ્વાસવાળો, ખત્રીશ દોષથી રહિત, કાયોત્સર્ગમાં રહેલો, નિદ્રારહિત, નિર્ભય અને આળસ વિનાનો ધ્યાતા ઇન્દ્રિયોરૂપી લુંટારાઓને પ્રયત્નપૂર્વક તેમના વિષયોમાંથી પ્રત્યાહરીને-ખેંચીને અને સ્મૃતિને સર્વમાંથી ખેંચીને ધ્યેય વસ્તુમાં સ્થિર કરે અને પછી આત્મવિશુદ્ધિ માટે સ્વરૂપ અથવા પરરૂપનું નિરંતર ધ્યાન કરે. ॥ ૧-૬ ॥ ૯૦-૯૫ ॥ સ્વરુપાલંમત અને પરાલંમન ધ્યાન निश्चयाद् व्यवहाराच्च ध्यानं द्विविधमागमे । स्वरूपालम्बनं पूर्व परालम्बनमुत्तरम् ॥ ७ ॥ ९६ ॥ આગમમાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી એમ બે પ્રકારનું ધ્યાન કહેલું છે. તેમાં સ્વરૂપનું ધ્યાન કરવું તે પહેલું (નિશ્ચયથી) અને પરરૂપનું ધ્યાન કરવું તે ખીજું (વ્યવહારથી) સમજવું. ॥ 9 ॥ ૯૬ ॥ अभिन्नमाद्यमन्यत्तु भिन्नं तत्तावदुच्यते । भिन्ने हि विहिताऽभ्यासोऽभिन्नं ध्यायत्यनाकुलः ॥ ८ ॥ ९७ ॥ તેમાં પહેલું (સ્વરૂપનું) ધ્યાન આત્માથી અભિન્ન અને બીજું (પરરૂપનું) ધ્યાન ભિન્ન કહેવાય છે. પ્રથમ ભિન્ન ધ્યાનમાં દઢ અભ્યાસી બનેલો પછી નિરાકુળપણે (સુગમતાથી) અભિન્ન ધ્યાનને કરી શકે છે. | ૮ | ૯૭ आज्ञापायो विपाकं च संस्थानं भुवनस्य च । यथागममविक्षिप्तचेतसा चिन्तयेन्मुनिः ॥ ९ ॥ ९८ ॥ ૧. અભેદ પ્રણિધાન. ૨. ભેદ પ્રણિધાન. Page #44 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય આજ્ઞા, અપાય વિપાક અને લોક્ના સંસ્થાનને મુનિ આગમને અનુસારે સ્થિરચિત્તથી ચિંતવે. ॥ ૯ ॥ ૯૮ ॥ નામાદિ ચતુર્વિધ ધ્યેય नाम च स्थापनं द्रव्यं भावश्चेति चतुर्विधम् । समस्तं व्यस्तमप्येतद्धेययमध्यात्मवेदिभिः ।। १० ।। ९९ ॥ નામઘ્યેય, સ્થાપનાધ્યેય, દ્રવ્યધ્યેય અને ભાવધ્યેય એમ ધ્યેય ચાર પ્રકારનું છે. અધ્યાત્મના જાણકાર મહાત્માઓએ એનું (ચતુર્વિધધ્યેયનું) ભેગું અથવા પ્રત્યેકનું જુદું જુદું ધ્યાન કરવું જોઈ એ. ॥ ૧૦ ॥ ૯૯ ॥ वाच्यस्य वाचकं नाम प्रतिमा स्थापना मता । गुणपर्ययवद् द्रव्यं भावः स्याद् गुणपर्ययौ ॥ ११ ॥ १०० ॥ વાચ્ચ-અભિધેય પદાર્થના વાચક શબ્દને નામ અને પ્રતિમાને સ્થાપના કહેવાય છે. ગુણ અને પર્યાયવાળું તે દ્રવ્ય છે; અને ગુણ અને પર્યાય તે ભાવ છે. ।। ૧૧ | ૧૦૦ | નામ ધ્યેય आदौ मध्येऽवसाने यद्वाङ्गमयं व्याप्य तिष्ठति । हृदि ज्योतिष्मदुद्गच्छन्नामध्येयं तदर्हताम् ॥ १२ ॥ १०१ ॥ ૨૭ જે (વાડ્મય–સર્વશાસ્ત્રની) આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ સકલ વાડ્મયને વ્યાપીને રહેલું છે; તે જ્યોતિર્મય અને ઊર્ધ્વગામી એવા શ્રી અરિહંત ભગવંતના નામનું હૃદયમાં ધ્યાન કરવું જોઈએ. (ધ્યેયનામ – ‘ અરિહંત ', ‘૪ ’વગેરે) | ૧૨ || ૧૦૧ ॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન हृत्पङ्कजे चतुःपत्रे ज्योतिष्मन्ति प्रदक्षिणम् । અ-સિગા-૩જ્ઞાસા ધ્યેયોનિ પછિનામ્ ૨૨ા ૨૦૨૫ ચાર દલવાળા હદયકમળમાં જ્યોતિર્મય એવા દેશ-ણિ-ગા૩-” એ પરમેષ્ઠિઓના આદ્ય અક્ષરોનું પ્રદક્ષિણમાં ધ્યાન કરવું જોઈએ. સા| | | ૧૩ / ૧૦૨ . ध्यायेद् 'अ-इ-उ-ए-ओ'च तद्वन्मन्त्रानुदर्चिषः। मत्यादिज्ञाननामानि मत्यादिज्ञानसिद्धये ॥ १४॥ १०३ ॥ તે જ રીતે “ગ-૨-૩-g-aો” એ ઉજજવલ મંત્રોનું ધ્યાન કરે, તથા મત્યાદિ જ્ઞાનોની સિદ્ધિ માટે અત્યાદિ જ્ઞાનોના નામોનું ધ્યાન કરે. જે ૧૪ . ૧૦૩ . सप्ताक्षरं महामन्त्रं मुखरन्ध्रेषु सप्तसु । गुरूपदेशतो ध्यायेदिच्छन् दूरश्रवादिकम् ॥ १५॥ १०४॥ દૂર-શ્રવણાદિ લબ્ધિઓને ઇચ્છતા સાધકે “નમો અરિહંતા એ સપ્તાક્ષર મંત્રનું (બે કાનનાં, બે નાકનાં, બે આંખનાં અને એક મુખનું એમ) સાત મુખછિદ્રોમાં શ્રી ગુરુના ઉપદેશથી ધ્યાન કરવું જોઈએ (ચક્ષુ આદિની સીમાથી બહાર રહેલા રૂપાદિનું પ્રત્યક્ષ વગેરે પણ આ મંત્રના ધ્યાનથી થાય છે). છે ૧૫ ૧૦૪ हृदयेऽष्टदलं पद्मं वगैः पूरितमष्टभिः । दलेषु कर्णिकायाश्च नाम्नाऽधिष्ठितमहताम् ॥१६॥ १०५॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય गणभृद्धलयोपेतं त्रिःपरीतं च मायया । क्षोणीमण्डलमध्यस्थं ध्यायेदभ्यर्चयेच्च तत् ॥ १७॥ १०६॥ કણિકામાં શ્રી અરિહંત ભગવંતોના નામ (‘ગર્દે)થી અધિષ્ઠિત અને આઠ દલોમાં અષ્ટ વર્ગ (--4-૮----રા વર્ગ)થી પૂરિત એવા અષ્ટદલ કમલનું હૃદયમાં ધ્યાન કરવું. તે પર્વ ગણધરવલય (અડતાલીશ લબ્ધિપદો)થી સહિત અને માયા-હી કારથી ત્રણ વખત વેષ્ટિત છે, એમ ચિતવવું. આ ધ્યાનપૂર્વે એ બધાને ભૂમિમંડલ પર આલેખીને એની પૂજા પણ કરી શકાય. ૧૬-૧૭ / ૧૦૫–૧૦૬ अकारादि-हकारान्ताः मन्त्राः परमशक्तयः। स्वमण्डलगता ध्येया लोकद्वयफलप्रदाः ॥१८॥ १०७ ॥ a” થી “ સુધીના અક્ષરો ઈહલોક અને પરલોકના ફળને આપનારા પરમશક્તિવાળા મંત્રો છે. તેમનું આધારાદિ સ્વચકોમાં ધ્યાન કરવું. તે ૧૮ ૫ ૧૦૭ इत्यादीन्मन्त्रिणो मन्त्रानहन्मन्त्रपुरस्सरान् । ध्यायन्ति यदिह स्पष्टं नामध्येयमवैहि तत् ॥ १९ ॥ १०८ ॥ “ગઈ ' મંત્રથી પુરસ્કૃત એવા પૂર્વોક્ત અને બીજા મંત્રો, જેમનું માંત્રિકો ધ્યાન કરે છે, તે બધાને તમે અહીં ના મધ્યેય તરીકે સ્પષ્ટ રીતે જાણો. ૧૯ મે ૧૦૮ સ્થાપના દયેય जिनेन्द्रप्रतिबिम्बानि कृत्रिमाण्यकृतानि च । यथोक्तान्यागमे तानि तथा ध्यायेदशङ्कितम् ॥२०॥ १०९ ।। Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તવાનુશાસન - શાશ્વત અને અશાશ્વત એવી જિનપ્રતિમાઓનું આગમમાં જેવી રીતે વર્ણન કર્યું છે, તેવી રીતે શંકા વિના ધ્યાન કરો. ને ૨૦ મે ૧૦૯ લ દ્રવ્ય દયેય यथैकमेकदा द्रव्यमुत्पित्सु स्थास्नु नश्वरम् । तथैव सर्वदा सर्वमिति तत्त्वं विचिन्तयेत् ॥ २१ ॥११०॥ જેમ એક દ્રવ્ય એક જ વખતે ઉત્પાદશીલ, ધવ અને નશ્વર છે, તેવી જ રીતે સર્વ દ્રવ્યો સર્વદા (ઉત્પાદ-વ્યય થ્રવ્યયુકત) છે, એ તને ચિંતવવું . ૨૧ / ૧૧૦ | चेतनोऽचेतनो वार्थो यो यथैव व्यवस्थितः । तथैव तस्य यो भावो याथात्म्यं तत्त्वमुच्यते ॥ २२ ॥ १११ ।। ચેતન કે અચેતન પદાર્થ, જેવી રીતે વ્યવસ્થિત છે, તેનો તે પ્રકારનો જે ભાવ (સ્વરૂપ) તે “યાથાભ્ય” તત્ત્વ કહેવાય છે. તે ૨૨ / ૧૧૧ . अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजन्ति निमजन्ति जलकल्लोलवजले ॥२३॥ ११२॥ જલમાં જલતરંગોની જેમ અનાદિ-અનંત એવા દ્રવ્યમાં પોતાના પર્યાયો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. જે ૨૩ મે ૧૧૨ . यद्विवृत्तं यथापूर्वं यच्च पश्चाद्विवय॑ति । विवर्तते यदत्राध तदेवेदमिदं च तत् ॥२४॥११३॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય ૩૧ જેવી રીતે જે (દ્રવ્ય) પૂર્વે વિવર્લ્ડ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને પામ્યું) હતું, જે (દ્રવ્ય) પછી વિવર્ત (ઉત્પાદ-વ્યય-ધ્રવ્ય)ને પામશે અને જે (દ્રવ્ય) આજે વર્તમાનમાં વિવર્ત (ઉત્પાદ-વ્યયથ્રવ્યને પામે) છે તે જ આ છે અને આ જ તે છે. તાત્પર્ય કે પ્રત્યેક દ્રવ્ય દ્રવ્યરૂપે સર્વકાળ એકસરખું જ રહે છે ૨૪ ૧૧૩ सहवृत्ता गुणास्तत्र पर्यायाः क्रमवर्तिनः।। स्यादेतदात्मकं द्रव्यमेते च स्युस्तदात्मकाः ॥२५॥ ११४ ।। તેમાં સહભાવી તે ગુણો છે અને કમભાવી તે પર્યાયો છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે અને ગુણપર્યાયો દ્રવ્યાત્મક છે. | ૨૫ | ૧૧૪ . एवंविधमिदं वस्तुस्थित्युत्पत्तिव्ययात्मकम् । प्रतिक्षणमनाद्यन्तं सर्व ध्येयं यथास्थितम् ॥ २६ ॥ ११५॥ अर्थव्यञ्जनपर्याया मूर्ताऽमूर्त्ता गुणाश्च ये। यत्र द्रव्ये यथावस्थास्तांश्च तत्र तथा स्मरेत् ॥ २७ ॥ ११६ ॥ એવી જાતની આ વસ્તુ પ્રતિક્ષણ ઉત્પતિ–સ્થિતિ તથા વ્યયાત્મક અને અનાદિ-અનંત છે. સર્વ યેયનું યથાસ્થિતિરૂપે (જે જેવું હોય, તેનું તે પ્રકારે) ધ્યાન કરવું જોઈએ. ૨૬ ૧૧૫ In જે દ્રવ્યમાં અર્થપર્યાયો, વ્યંજન પર્યાય અને મૂર્ત કે અમૂર્ત ગુણો જેવી રીતે રહેલા હોય, તેવી રીતે તેમનું સ્મરણ કરવું. ૨૭ | ૧૧૬ | ૧ ટ’ શબ્દના પર્યાયવાચી શબ્દોકલશ, કુંભ વગેરે વ્યંજન (શબ્દ) પર્યાયો કહેવાય છે અને ઘટ' પદાર્થના રક્તત્વ, મૃત્મયત્વ વગેરે અર્થપર્યાયો કહેવાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 32 તરવાનુશાસન पुरुषः पुद्गलः कालो, धर्माधर्मों तथाम्बरम् । षड्विधं द्रव्यमाम्नातं, तत्र ध्येयतमः पुमान् ॥ २८ ॥ ११७ ॥ આત્મા, પુગલ, કાલ, ધર્મ, અધર્મ અને આકાશ એ છે પ્રકારનું દ્રવ્ય માનવામાં આવ્યું છે. તેમાં આત્મા તે દયેયતમ (श्रेष्ठ ध्येय) छ. ॥ २८ ॥ ११७॥ ભાવ દયેય सति हि ज्ञातरि ज्ञेयं ध्येयतां प्रतिपद्यते । ततो ज्ञानस्वरूपोऽयमात्मा ध्येयतमः स्मृतः ॥ २९ ॥ ११८॥ જ્ઞાતા હોય તો જ સેય દયેયતાને પામે છે. તેથી જ્ઞાનસ્વરૂપ मा आत्माने ध्येयतम यो छ. ॥ २८ ॥ ११८॥ तत्राऽपि तत्त्वतः पञ्च ध्यातव्याः परमेष्ठिनः। चत्वारः सकलास्तेषु सिद्धः स्वामीति निष्कलः ॥ ३०॥ ११९ ॥ જીવદ્રવ્યોમાં પણ તત્વથી પાંચ પરમેષ્ઠિઓ દયેય છે. તેમાં અરિહંત-આચાર્યાદિ સકલ-કર્માદિ ઉપાધિસહિત છે અને सिद्ध स्वाभी (?) डोपाथी न०४-नरुपाधि छ. ॥ ३० ॥११॥ શ્રીસિદ્ધાત્માનું સ્વરૂપ अनन्तदर्शनशानसम्यक्त्वादिगुणात्मकम् । स्वोपात्तानन्तरत्यक्तशरीराकारधारिणम् ॥ ३१ ॥ १२० ॥ साकारञ्च निराकारममूर्तमजरामरम् । जिनबिम्बमिव स्वच्छस्फटिकप्रतिबिम्बितम् ॥ ३२ ॥१२१ ॥ लोकाग्रशिखरारूढमुदूढसुखसम्पदम् । सिद्धात्मानं निराबाधं ध्यायेन्निधूतकल्मषम् ॥३३॥ १२२॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય અનંત એવા દર્શન, જ્ઞાન, સમ્યક્ત્વ વગેરે ગુણોવાળા, ચરમભવમાં જે દેહ પોતાને પ્રાપ્ત થયો હતો અને જે પોતે તજી દીધો તેના આકાર (ચરમદેહાકાર)ને ધારણ કરનારા, (એ અપેક્ષાએ) સાકાર, નિરાકાર, અમૂર્ત, જરારહિત, મૃત્યુરહિત, નિર્મલ સ્ફટિક રત્નમાં પ્રતિબિંખિત થયેલ જિનબિંખસદશ, લોકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ સુખસંપત્તિને વરેલા, પીડારહિત અને નિષ્કર્મ એવા શ્રી સિદ્ધાત્માનું ધ્યાન કરવું. ॥ ૩૧–૩૩ || ૧૨૦-૧૨૨ || શ્રી અરિહંતનું સ્વરુપ तथाद्यमाप्तमाप्तानां देवानामधिदैवतम् । પ્રક્ષીળયાતિમાંળ પ્રાપ્તાનન્તતુછ્યમ્ ॥ રૂ૪ ॥ ૨૨૩ ॥ दूरमुत्सृज्य भूभागं नभस्तलमधिष्ठितम् । परमौदारिकस्वांगप्रभाभत्सितभास्करम् ॥ ३५ ॥ १२४ ॥ '.૩ चतुस्त्रिंशन्महाश्वयैः प्रातिहार्यैश्च भूषितम् । મુનિ-તિર્યક્ન-સ્થિિસમાભિઃ સન્નિષવિતમ્ ॥ રૂ૬ ॥ ૨ ॥ जन्माभिषेकप्रमुखप्राप्तपूजातिशायिनम् । केवलज्ञाननिर्णीतविश्वतत्त्वोपदेशिनम् ॥ ३७ ॥ १२६ ॥ प्रभास्वल्लक्षणाकीर्णसम्पूर्णोदग्रविग्रहम् । 33 आकाशस्फटिकान्तःस्थज्वलज्ज्वालानलोज्ज्वलम् ॥ ३८ ॥ १२७॥ तेजसामुत्तमं तेजो ज्योतिषां ज्योतिरुत्तमम् । परमात्मानमर्हन्तं ध्यायेन्निःश्रेयसाप्तये ॥ ३९ ॥ १२८ ॥ તથા, આપ્નોમાં આદ્ય આપ્ત, દેવોના પણુ અધિદૈવત, ઘાતિકર્મરહિત, અનંતચતુષ્ટયને પામેલા, પૃથ્વીતલને દૂર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તરવાનુશાસન છોડીને (ઊંચે) આકાશપ્રદેશમાં રહેલા પોતાના પરમ દારિક શરીરની પ્રભાથી સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી, મહાશ્ચર્યભૂત ચોત્રીશ અતિશયો અને આઠ પ્રાતિહાર્યોથી શોભતા, મુનિવરો, તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓની પર્ષદાઓથી ઘેરાચેલા, જન્માભિષેક વગેરેમાં પ્રાપ્ત થયેલ પૂજાના કારણે સૌથી ચઢિયાતા, કેવળ જ્ઞાનવડે નિર્ણત એવાં વિશ્વના તત્ત્વોના ઉપદેશક, ઉજજવલ એવા અનેક લક્ષણોથી વ્યાપ્ત, સવાંગ પરિપૂર્ણ અને ઉન્નતદેહવાળા, નિર્મલ (મહાન) સ્ફટિકરત્નમાં પ્રતિબિંબિત પ્રદીપ્ત જવાલાઓવાળા અગ્નિ સમાન ઉજજવલ, સર્વ તેમાં ઉત્તમ તેજ અને સર્વ જ્યોતિઓમાં ઉત્તમ જ્યોતિસ્વરૂપ એવા શ્રી અરિહંત પરમાત્માનું મોક્ષની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું. ૩૪-૩૯ / ૧૨૩–૧૨૮ . वीतरागोऽप्ययं देवो ध्यायमानो मुमुक्षुभिः।। स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादृशी ॥४०॥१२९ ॥ મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતા એવા આ દેવાધિદેવ વીતરાગ હોવા છતાં સ્વર્ગ કે મોક્ષ ફળને આપનારા છે, કારણ કે તેમની શક્તિ જ તે પ્રકારની અચિંત્ય છે. ૪૦ + ૧૨૯ सम्यग्ज्ञानादिसम्पन्नाः प्राप्तसप्तमहर्द्धयः। तथोक्तलक्षणा ध्येयाः सूर्युपाध्यायसाधवः ॥४१॥१३०॥ સમ્યજ્ઞાનાદિથી સંપન્ન, સાત મહાદ્ધિઓવાળા (?) અને શાસ્ત્રોકત લક્ષણોવાળા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોનું ધ્યાન કરવું. ૪૧ / ૧૩૦ | Page #52 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય દ્વિવિધ ધ્યેય एवं नामादिभेदेन ध्येयमुक्तं चतुर्विधम् । અથવા દ્રવ્યમાવાસ્યાં દ્વિધૈવ તસ્થિતમ્ ॥ ૪૨ ॥ ૨૩૨ ॥ એવી રીતે નામાદિ ભેદોથી ચાર પ્રકારનું ધ્યેય કહ્યું. અથવા તે (ધ્યેય) દ્રવ્ય અને ભાવ ભેદે એ પ્રકારનું જ છે. ॥ ૪૨ ૧૩૧ ॥ દ્રવ્યધ્યેય અને ભાવય द्रव्यध्येयं बहिर्वस्तु चेतनाचेतनात्मकम् । भावध्येयं पुनर्येयसन्निभध्यानपर्ययः ॥ ४३ ॥ १३२ ॥ ચેતન કે જડરૂપ માહ્ય વસ્તુ તે દ્રવ્યધ્યેય છે અને ધ્યેય (અરિહંતાદિ) સદેશ જે ધ્યાનનો પર્યાય તે ભાવધ્યેય છે || ૪૩ || ૧૩૨ ॥ ध्याने हि विभ्रति स्थैर्य ध्येयरूपं परिस्फुटम् । आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥ ४४ ॥ १३३ ॥ રૂપ ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. ॥ ૪૪ ॥ ૧૩૩ || धातुपिण्डे स्थितश्चैवं ध्येयोऽर्थो ध्यायते यतः । ध्येयं पिण्डस्थमित्याहुरत एव च केवलम् ॥ ४५ ॥ १३४ ॥ એ જ પ્રકારે જ્યારે સપ્ત ધાતુના પિંડમાં—દેહમાં ધ્યેય વસ્તુનું ધ્યાન કરાય છે ત્યારે તે ધ્યેયને (ધ્યાનને) પિંડસ્થ કહેવાય છે, એથી જ કેવલ (કૈવલ્ય, કૈવલજ્ઞાન ?) પ્રાપ્ત થાય છે ॥ ૪૫ ૫ ૧૩૪ ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન यदा ध्यानबलाद्धयाता शून्यीकृत्य स्वविग्रहम् । ध्येयस्वरूपाविष्टत्वात् तादृक् संपद्यते स्वयम् ॥ ४६ ॥ १३५॥ तदा तथाविधध्यानसंवित्तिध्वस्तकल्पनः। स एव परमात्मा स्याद् वैनतेयश्च मन्मथः ॥४७॥१३६ ॥ જ્યારે યાતા ધ્યાનના બળે સ્વદેહને (સ્વઆકૃતિને) શૂન્ય કરીને દયેયના સ્વરૂપમાં આવિષ્ટ–પ્રવેશેલ હોવાથી સ્વયં તેના જેવો બની જાય છે, ત્યારે તેવા પ્રકારના ધ્યાનના સંવેદનથી નાશ પામ્યા છે સર્વ વિકલ્પો જેના એવો તે પોતે જ પરમાત્મા, ગરૂડ અને કામદેવ બની જાય છે (ગરૂડ અને કામદેવ એ શબ્દોના વિશેષાર્થ માટે જુઓ શ્લોક નં. ૨૦૫). ૪૬-૪૭ ૧૩૫-૩૬ सोयं समरसीमावस्तदेकीकरणं स्मृतम् । एतदेव समाधिः स्याल्लोकद्वयफलप्रदः॥४८॥१३७ ॥ (આવી રીતે પરમાત્મા સાથેનો ધ્યાતાનો અભેદ) તે આ સમરસીભાવ” છે. તે જ “એકીકરણ” કહેવાયું છે. એ જ ઉભયલોકનાં ફળોને આપનારી “સમાધિ” છે. I ૪૮ ૧૩૭ किमत्र बहुनोक्तेन ज्ञात्वा श्रद्धाय तत्त्वतः। ध्येयं समस्तमप्येतन्माध्यस्थ्यं तत्र बिभ्रता ॥ ४९ ॥१३८ ॥ અહીં બહુ કહેવાથી શું? તાવિક રીતે જાણીને, તેવી જ રીતે તેના પર શ્રદ્ધા કરીને અને એ વિષયમાં માધ્યયે ધારણ કરીને આ બધું ધ્યાન કરવું જોઈએ. ૪૯ ૧૩૮ છે माध्यस्थ्यं समतोपेक्षा वैराग्यं साम्यमस्पृहा । वैतृष्ण्यं परमा शान्तिरित्येकोऽर्थोऽभिधीयते ॥५०॥१३९॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય માધ્યથ્ય, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્ય, નિસ્પૃહતા, વૈતૃશ્ય, પરમ-શાન્તિ–એ બધા શબ્દો વડે એક જ અર્થ કહેવાય છે. એ પ૦ મે ૧૩૯ | संक्षेपेण यदत्रोक्तं विस्तारात् परमागमे । तत्सर्व ध्यानमेव स्याद्धयातेषु परमेष्टिषु ॥५१॥ १४०॥ પંચપરમેષ્ટિઓનું ધ્યાન થતાં જ, અહીં (પૂર્વે) જે સંક્ષેપમાં કહ્યું છે અને પરમ આગામોમાં જે વિસ્તારથી કહેવામાં આવ્યું છે, તે બધું ધ્યાન થઈ જ જાય છે (અર્થાત્ પરમેષ્ટિધ્યાનમાં બીજું બધું ધ્યાન આવી જ જાય છે.) + ૫૧ . ૧૪૦ | Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય સ્વામાલંબન યાન व्यवहारनयादेवं ध्यानमुक्तं पराश्रयम् । निश्चयादधुना स्वात्मालम्बनं तन्निरूप्यते ॥१॥१४१॥ એવી રીતે વ્યવહારનયથી પરાલંબન ધ્યાન કહ્યું, હવે નિશ્ચયથી સ્વાતમાલંબન દયાન કહેવાય છે. તે ૧ ૧૪૧ ब्रुवता ध्यानशब्दार्थ यद्रहस्यमवादिषम् । तथापि स्पष्टमाख्यातुं पुनरप्यभिधीयते ॥२॥ १४२॥ ધ્યાન શબ્દના અર્થને કહેતાં સ્વાવલંબન ધ્યાનનું સુંદર રહસ્ય કહેવાયું હતું, તથાપિ વધુ સ્પષ્ટ રીતે કહેવા માટે ફરીથી પણ કહેવાય છે. / ૨ / ૧૪૨ / दिध्यासुः स्वं परं ज्ञात्वा श्रद्धाय च यथास्थितम् । विहायान्यदनर्थित्वात् स्वमेवावैतु पश्यतु ॥३॥१४३॥ ધ્યાન કરવાની ઈચ્છાવાળો પુરુષ, “સ્વાત્મા સર્વશ્રેષ્ઠ છે” એમ જાણીને, તેમાં યથાસ્થિત રીતે શ્રદ્ધા કરીને અને (આત્મ ભિન્ન) બીજું બધું અનુપયોગી હોવાથી (તેનો) ત્યાગ કરીને સ્વાત્માને જ સમ્યગ જાણે અને જુએ ૩ ૧૪૩ . पूर्व श्रुतेन संस्कार स्वात्मन्यारोपयेत्ततः। तत्रैकाग्र्यं समासाद्य न किञ्चिदपि चिन्तयेत् ॥४॥१४४ ॥ પ્રથમ પોતાના આત્મામાં શ્રુત વડે સંસ્કારનું આરોપણ કરે (શ્રુતમાં વર્ણવેલ આત્મસ્વરૂપની પુનઃ પુનઃ ભાવના કરે), પછી તેમાં એકાગ્રતાને મેળવીને કંઈ પણ ચિંતવે નહીં. ૪ ૧૪૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય यस्तु नालम्बते श्रौतीं भावनां कल्पनाभयात् ।। सोऽवश्यं मुह्यति स्वस्मिन् बहिश्चिन्तां बिभर्ति च ॥५॥१४५॥ જે શ્રોક્ત ભાવનાનો કાલ્પનિક ભયથી આલંબન લેતો નથી તે આત્માના વિષયમાં અવશ્ય મોહ પામે છે અને બાહ્ય ચિંતાને ધારણ કરે છે. (પરવસ્તુના અશુભ ધ્યાનમાં પડી જાય छ.) ॥ ५॥ १४५॥ तस्मान्मोहप्रहाणाय बहिश्चिन्तानिवृत्तये। स्वात्मानं भावयेत् पूर्वमैकाव्यस्य च सिद्धये ॥६॥१४६॥ તેથી મોહના નાશ માટે, બાહ્ય ચિંતાની નિવૃત્તિ માટે भने यतानी सिद्धि माटे स्वात्माने भाव ॥ ६ ॥ १४६॥ શ્રુત ભાવના तथा हि चेतनोऽसंख्यप्रदेशो मूर्तिवर्जितः । शुद्धात्मा सिद्धरूपोऽस्मि ज्ञानदर्शनलक्षणः ॥७॥१४७॥ नान्योऽस्मि नाहमस्त्यन्यो नान्यस्याहं न मे परः । अन्यस्त्वन्योऽहमेवाहमन्योऽन्यस्याऽहमेव मे ॥ ८॥१४८॥ अन्यच्छरीरमन्योहं चिदहं तदचेतनम् । अनेकमेतदेकोऽहं क्षयीदमहमक्षयः ॥९॥१४९॥ अचेतनं भवेन्नाहं नाहमप्यस्त्यचेतनम् । ज्ञानात्माहं न मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् ॥१०॥१५०॥ योऽत्र स्वस्वामिसम्बन्धो ममाभूद्वपुषा सह । यश्चैकत्वभ्रमस्सोऽपि परस्मान्न स्वरूपतः ॥११॥१५१ ॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० તવાનુશાસન जीवादिद्रव्ययाथात्म्यज्ञानात्मकमिहात्मना। पश्यन्नात्मन्यथात्मानमुदासीनोऽस्मि वस्तुषु ॥ १२॥ १५२॥ सद्-द्रव्यमस्मि चिदहं शाता द्रष्टा सदाप्युदासीनः। स्वोपात्तदेहमात्रस्ततः पृथग्गगनवदमूर्त्तः ॥१३॥१५३॥ सन्नवाहं सदाप्यस्मि स्वरूपादिचतुष्टयात् । असन्नेवास्मि चात्यन्तं पररूपाद्यपेक्षया ॥ १४॥१५४॥ यन्न चेतयते किञ्चिन्नाचेतयत किञ्चन । यच्चेतयिष्यते नैव तच्छरीरादि नास्म्यहम् ॥ १५॥ १५५ ॥ यदचेतत्तथा पूर्व चेतयिष्यति यदन्यथा । चेततीत्थं यदत्राद्य तच्चिद्व्यं समस्म्यहम् ॥१६॥ १५६ ॥ स्वयमिष्टं न च द्विष्टं किन्तूपेक्ष्यमिदं जगत् । नाहमेष्टा न च द्वेष्टा किन्तु स्वयमुपेक्षिता ॥ १७॥१५७ ॥ मत्तः कायादयो भिन्नास्तेभ्योऽहमपि तत्त्वतः । नाहमेषां किमप्यस्मि ममाप्येते न किञ्चन ॥ १८ ॥१५८ ॥ एवं सम्यग्विनिश्चित्य स्वात्मनं भिन्नमन्यतः। विधाय तन्मयं भावं न किश्चिदपि चिन्तयेत् ॥ १९ ॥ १५९ ॥ “ईयेतन, मध्यप्रदेशी, अभूर्त, शुद्धामा, ज्ञानहर्शन સ્વરૂપ અને સિદ્ધરૂપ છું. ___“ई मन्य (५२, मान्ने, मिन्न३५, मसिद्ध३५, सनात्म३५ વગેરે) નથી, અન્ય તે હું નથી, હું અન્યનો નથી, અન્ય મારો નથી, અન્ય તો અન્ય છે, હું હું જ છું, અન્ય અન્યનો છે, હું જ भारो छु. __ " शरी२ टुंछ, ई हो छु; ९ येतन छु, ते अन्यतन छ; એ અનેક છે, હું એક છું એ વિનશ્વર છે, હું અવિનાશી છું. Page #58 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય ૪૪ હું અચેતન થતો નથી, હું અચેતન પણ નથી, હું જ્ઞાનસ્વરૂપ છું, મારું કોઈ પણ નથી, હું પણ કોઈનો નથી. અહીં પૂર્વે મને શરીરની સાથે જે સ્વામિસંબંધ (શરીર એ મારું સ્વ, અને હું એનો સ્વામી એવો સંબંધ હતો અને જે તેની સાથેના મારા) એકત્વનો (“શરીર તે હું છું” એવો ભ્રમ હતો, તે પણ પર (કર્મ)ના કારણે હતો; સ્વરૂપથી નહીં. હવે અહીં જીવાદિ દ્રવ્યોના યથાર્થ જ્ઞાનરૂ૫ આત્માને આત્માવડે આત્મામાં જતો હું પર વસ્તુઓને વિષે ઉદાસીન છું. હું સત્ દ્રવ્ય છું, હું ચેતન છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સદા પણ ઉદાસીન છું, પોતે ઉપાર્જલા દેહના આકારવાળો છું, તેથી (દેહથી) ભિન્ન છું અને આકાશની જેમ અમૂર્ત છું. “સ્વરૂપાદિ (સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) ચતુષ્ટયથી હું સર્વદા પણ “સત્ ” જ છું અને પરરૂપ (પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ) આદિની અપેક્ષાએ હું અત્યંત (સર્વથા) અસત્ ” છું. જે કંઈ પણ જાણતું નથી, પૂર્વે કંઈ પણ જાણતું ન હતું અને કંઈ પણ જાણશે જ નહીં, તે શરીરાદિ (રપ) હું નથી. પૂર્વે જે તથા પ્રકારે જાણતું હતું, ભવિષ્યમાં જે બીજી રીતે જાણશે અને આજે અહીં આ પ્રકારે જાણે છે, તે ચેતન દ્રવ્ય હું જ છું. આ જગત્ સ્વયં ઈષ્ટ અને ટ્રેષ્ય નથી કિન્તુ ઉપેક્ષ્ય છે. હું સ્વયં રાગી અને દ્વેષી નથી કિન્તુ ઉપેક્ષિતા (મધ્યસ્થી છું. Page #59 -------------------------------------------------------------------------- ________________ તાનુશાસન નિશ્ચયથી મારાથી શરીરો ભિન્ન છે અને હું પણ તેમનાથી ભિન્ન છું, હું એમને કંઈ પણ નથી અને મારા પણ એઓ કંઈ પણ નથી.” એ રીતે “સ્વાત્મા અન્યથી ભિન્ન છે” એમ સારી રીતે નિશ્ચય કરીને અને સ્વરૂપમય ભાવ કરીને કાંઈ પણ ચિંતવવું નહીં. ૭–૧૯ / ૧૪૭–૧૫૯ चिन्ताभावो न जैनानां तुच्छो मिथ्यादृशामिव । दृग्बोधसाम्यरूपस्य यत्स्वसंवेदनं हि सः ॥२०॥ १६०॥ જૈનો ઈતરોની જેમ ચિંતાભાવને (પર વસ્તુની સ્મૃતિના અભાવને) તુચ્છ (અત્યંત અસત્, સર્વથા અભાવરૂપ) માનતા નથી; કારણ કે તે અભાવ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્માનું જે સ્વસંવેદન તદાત્મક છે. તે ૨૦ મે ૧૬૦ સ્વસંવેદન वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः। तत्स्वसंवेदनं प्राहुरात्मनोनुभवं दृशम् ॥२१॥१६१॥ - બૌદ્ધો વસ્તુના અભાવને “આકાશકુસુમ” જેવો અત્યંત અસત માને છે; પરંતુ જેનો અભાવને કથંચિત્ અસ-એટલે અપેક્ષાએ ભાવ (સત) રૂપ પણ માને છે. જેમકે ઘડો ફૂટી જાય ત્યારે ઘડાનો જે અભાવ થાય છે, તે પણ ઠીકરાના સદ્ભાવરૂપ છે. એવી જ રીતે પરપદાર્થોની સ્મૃતિનો અભાવ તે સર્વથા અભાવ-તુચ્છરૂપ નથી કિન્તુ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક આત્માના તે સ્વસવેદનરૂપ છે. સ્વાનુભવ તે જ ચિંતાભાવ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય યોગીને આત્માવડે આત્માનું જે વેધત્વ અને વેદકત્વ થાય છે તેને યોગીશ્વરોએ સ્વસંવેદન, આત્માનુભવ અથવા આત્મદર્શન કહ્યું છે. ॥ ૨૧ | ૧૬૧ ॥ स्वपरज्ञप्तिरूपत्वान्न तस्य कारणान्तरम् । તતશ્ચિન્તાં નૃત્યન્ય સ્વવિજૈવ વૈદ્યતામ્ ॥ ૨૨ ॥ ૬૨ ॥ તે સ્વપરજ્ઞપ્તિ (પ્રકાશ) રૂપ હોવાથી તેનું બીજું કોઈ કારણ નથી (કેવળ આત્મા જ કારણ છે); તેથી ચિંતાને છોડીને સ્વસંવેદનથી જ અનુભવવું જોઈએ. ॥ ૨૨ ॥ ૧૬૨ ॥ हग्बोधसाम्यरूपत्वाज्जानन् पश्यन्नुदासिता । ચિત્તામાવિશેષાત્મા સ્વાત્મનેવાનુંમૂયતામ્ ॥ ૨૩ ॥ ૬૬૨ ॥ આત્મા દર્શન, જ્ઞાન, અને સમતા (ચારિત્ર) રૂપ હોવાથી જુએ છે, જાણે છે અને મધ્યસ્થ રહે છે. તે સામાન્ય (દર્શન) અને વિશેષ (જ્ઞાન) ઉપયોગ સ્વરૂપ છે. તેને સ્વાત્મા વડે જ અનુભવો. ॥ ૨૩ ॥ ૧૬૩ ॥ कर्मजेभ्यः समस्तेभ्यो भावेभ्यो भिन्नमन्वहम् । સ્વમાવમુવાલીન પચેતાત્માનમાત્મના ॥ ર૪ ॥ ૬૪ ॥ ૪૩ ઉદાસીન 66 હું કર્મજન્ય સમસ્ત ભાવોથી ભિન્ન, જ્ઞાનસ્વભાવ અને , ” એમ આત્માને આત્માવડે જુએ. ॥ ૨૪ ॥ ૧૬૪ ॥ यन्मिथ्याभिनिवेशेन मिथ्याज्ञानेन चोज्झितम् । तन्मध्यस्थं निजं रूपं स्वस्मिन् संवेद्यतां स्वयम् ॥ २५ ॥ १६५ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન - મિથ્યાભિનિવેશ અને મિથ્યાજ્ઞાનથી રહિત એવું માધ્યત્ર્ય (જ) આત્માનું સ્વરૂપ છે. તેને આત્માએ આત્મામાં અનુભવવું જોઈએ. તે ૨૫ / ૧૬૫ न हीन्द्रियधिया दृश्यं रूपादिरहितत्वतः। वितर्कास्तन्न पश्यन्ति ते ह्यविस्पष्टतर्कणः ॥ २६ ॥ १६६ ॥ તે આત્મસ્વરૂપ ઈન્દ્રિયજન્ય જ્ઞાનથી ય નથી, કારણ કે તે રૂપાદિથી રહિત છે. તેને વિતક (તર્જાઘાત્મક મનોવૃત્તિઓ) પણ જોઈ શકતા નથી, કારણ તેઓ પોતે જ અસ્પષ્ટ તકરૂપ છે. તે ૨૬ ૧૬૬ ! उभयस्मिन्निरुद्धे तु स्याद्विस्पष्टमतीन्द्रियम् । स्वसंवेद्यं हि तद्रूपं स्वसंवित्त्यैव दृश्यताम् ॥ २७ ॥ १६७॥ ઈન્દ્રિયજન્યજ્ઞાન (ઇન્દ્રિયો) અને વિતર્કો (મન) બન્નેનો નિરોધ થાય તો જ અત્યંત સ્પષ્ટ અને અતીન્દ્રિય એવું તે . (આત્મસ્વરૂ૫) દેખાય. તે કેવળ સ્વસંવેદ્ય છે. તેથી સ્વસંવેદન વડે જ તેને અનુભવો. ૨૭ મે ૧૬૭ वपुषोऽप्रतिभासेऽपि स्वातन्त्र्येण चकासते। चेतनाज्ञानरूपोऽयं स्वयं दृश्यते एव हि ॥२८॥ १६८॥ શરીરનું ભાન ન હોય તો પણ તે ચેતન્ય સ્વયં સ્વતંત્ર પ્રકાશે છે, કારણ કે તે જ્ઞાનરૂપ હોવાથી સ્વયં દેખાય છે જ. | ૨૮ : ૧૬૮ . समाधिस्थेन यद्यात्मा बोधात्मा नानुभूयते। तदा (हि) न तस्य तद्धयानं मूर्छावान् मोह एव सः॥२९॥१६९॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય સમાધિસ્થ પુરુષ વડે જે જ્ઞાનસ્વરૂપ આત્મા ન અનુભવાય તો તે તેનું ધ્યાન જ નથી કિન્તુ મૂછથી યુક્ત એવો મોહ જ છે. ૨૯૧૬૯ સ્વસંવેદનનું ફળ तदेवानुभवश्चायमैकाग्यं परमृच्छति । तथात्माधीनमानन्दमेति वाचामगोचरम् ॥ ३०॥ १७० ॥ તે આત્મસ્વરૂપનો જ અનુભવ કરતો આ આમા પરમ એકાગ્રતાને પામે છે, તથા વચનાતીત અને સ્વાધીન પરમાનંદને પામે છે. જે ૩૦ ૧૭૦ || यथा निर्वातदेशस्थः प्रदीपो न प्रकम्पते । तथा स्वरूपनिष्ठोऽयं योगी नैकाग्र्यमुज्झति ॥३१॥ १७१ ॥ જેમ નિર્યાત પ્રદેશમાં રહેલો દીવો કંપતો નથી તેમ સ્વરૂપમાં નિષ્ઠ એવો આ યોગી એકાગ્રતાનો ત્યાગ કરતો નથી. છે ૩૧ ૧૭૧ | तदा च परमैकाथ्यावहिरर्थेषु सत्स्वपि । अन्यन्न किञ्चनाभाति स्वमेवात्मनि पश्यतः ॥ ३२॥ १७२॥ તે વખતે પરમ એકાગ્રતાથી આત્માને જ આત્મામાં જેતા એવા તેને (યોગીને) બાહ્ય અર્થે વિદ્યમાન હોવા છતાં કાંઈ પણ ભાસતું નથી (કિન્તુ કેવળ આત્મા જ ભાસે છે.) ૩૨ / ૧૭ છે Page #63 -------------------------------------------------------------------------- ________________ તવાનુશાસન નિરામ્યવાદ અને અદ્વૈતવાદને સમન્વય अत एवान्यशून्योऽपि नात्मा शून्यः स्वरूपतः। शून्याशून्यस्वभावोऽयमात्मनैवोपलभ्यते ॥ ३३॥ १७३ ॥ એથી જ આત્મા આત્મભિન્ન વસ્તુઓની અપેક્ષાએ શૂન્ય હોવા છતાં પણ સ્વરૂપથી શૂન્ય નથી. એ તો (અનેકાન્તદષ્ટિએ) શૂન્યાશૂન્ય (કથંચિત્ શૂન્ય અને કથંચિત્ અશૂન્ય) સ્વભાવવાળો. છે. એ (સ્વભાવ) આત્મા વડે જ અનુભવાય છે. તે ૩૩ . ૧૩ . ततश्च यजगुर्मुक्त्यै नैरात्म्याद्वैतदर्शनम् ।। तदेतदेव यत्सम्यगन्यापोढात्मदर्शनम् ॥ ३४॥ १७ ॥ તેથી મુક્તિ માટે બૌદ્ધોએ જે નૈરાગ્યદર્શન કર્યું છે અને વેદાંતીઓએ અતદર્શન કહ્યું છે તે આ “સમ્યગન્યાપોઢાત્મદર્શન જ છે.* [મૈરાગ્યદર્શન એટલે “સર્વ શૂન્ય, સર્વે વં” એવું શૂન્યવાદી બૌદ્ધોનું દર્શન. તેમના મતે આત્મા નિરાત્મા આત્મસ્વભાવરહિત અથવા શૂન્ય (સ્વરૂપથી પણ અસત્) છે. તેનો સમન્વય કરતાં જૈન દર્શન કહે છે કે–આત્મા શૂન્ય. (અસત્) અવશ્ય છે પણ તે અન્યાપોહ-પરરૂપથી. સારાંશ એ છે કે અન્ય પદાર્થોના આભાસ રહિત એવું જે કેવળ આત્માનું જ દર્શન તે જ તાત્વિક નરામ્યદર્શન અથવા અદ્વૈત દર્શન છે. ] તે ૩૪ ૧૭૪ परस्परपरावृत्ताः सर्वे भावाः कथञ्चन । नैरात्म्यं जगतो यद्वन्नैर्जगत्यं तथात्मनः ॥ ३५ ॥ १७५॥ - અન્યના આભાસથી રહિત એવું સમ્યક્ સ્વાત્મદર્શન. Page #64 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય સર્વ ભાવો (પદાર્થ) કોઈક અપેક્ષાએ પરસ્પર પરાવૃત્ત (વ્યાવૃત્ત, ભિન્ન) છે. એ અપેક્ષાએ જેમ જગતનું નિરામ્યઆત્મભિન્નત્વ છે તેમ આત્માનું પણ નિર્જગત્ય-જગભિન્નત્વ છે. [ અર્થાત્ જગતના (આત્મભિન્ન) સર્વ પદાર્થો જે આત્માથી ભિન્ન છે, તો આત્મા પણ જગતથી ભિન્ન છે. આ તો બૌદ્ધદર્શનનો સમન્વય થયો. એ જ રીતે વેદાંતનો સમન્વય પણ કરી શકાય. જગત આત્માથી કથંચિત્ અભિન્ન પણ છે અને આત્મા પણ કથંચિત્ જગતથી અભિન્ન પણ છે. જેમ બૌદ્ધોએ આત્માને શૂન્ય (સ્વરૂપથી અસત્) માનીને ભૂલ કરી છે તેમ વેદાંતીઓએ આત્માને અદ્વિતીય (પરરૂપથી પણ સત્) માનીને ભૂલ કરી છે. આત્માને જગતરૂપે સર્વથા સત્ માનવા જતાં આત્મા અને જગત એક જ સત્ બની જાય છે. સંગ્રહનયથી આ બરોબર છે, કિન્તુ ઈતર નયોને તે ઈષ્ટ નથી. એવી જ રીતે જુસૂત્રનયથી બૌદ્ધમતનો પણ સમન્વય થઈ જાય છે.] ૩૫ ૧૭૫ / अन्यात्माभावो नैरात्म्यं स्वात्मसत्तात्मकश्च सः।। स्वात्मदर्शनमेवातः सम्यग्नैरात्म्यदर्शनम् ॥ ३६॥ १७६ ॥ (આત્મભિન્ન) અન્ય વસ્તુઓનો અભાવ તે નિરામ્ય છે. તે સ્વાત્મસત્તારૂપ છે. તેથી કેવળ આત્માનું દર્શન તે જ તાત્વિક નિરામ્યદર્શન છે. ૩૬ / ૧૭૬ . आत्मानमन्यसंपृक्तं पश्यन् द्वैतं प्रपश्यति ।। पश्यन् विभक्तमन्येभ्यः पश्यत्यात्मानमद्वयम् ॥ ३७॥ १७७॥ આત્માને પરથી સંપૂત-સંબદ્ધ જેનાર તને જુએ છે, જ્યારે આત્માને પરથી વિભક્ત-અસંબદ્ધ જેનાર અદ્વિતને જુએ છે. તે ૩૭ ૧૭૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તવાનુશાસન पश्यन्नात्मानमैकाय्यात् क्षपयत्यर्जितान्मलान् । નિસ્તાનૢ મમ્મીમાવઃ સંતૃળોચનાનતાન્ ॥ ૨૮ ॥ ૨૭૮ ॥ એ રીતે પરમ એકાગ્રતાથી આત્માને જોતો યોગી પૂર્વસંચિત કર્મોની ક્ષપણા (ક્ષય) કરે છે તથા અહંકાર અને સમકારથી રહિત એવો તે નવા આવતા કર્મોનો સંવર કરે છે. ની ૩૮ || ૧૭૮ || यथा यथा समाध्याता लप्स्यते स्वात्मनि स्थितिम् । समाधिप्रत्ययाश्चास्य स्फुटिष्यन्ति तथा तथा ॥ ३९ ॥ १७९ ॥ જેમ જેમ સારી રીતે અત્યંત એકાગ્રતાથી ધ્યાન કરનાર ધ્યાતા આત્મામાં અધિક અધિક સ્થિર થતો જશે, તેમ તેમ તેને સમાધિ અને સમાધિવિષયક અનુભવો વધુ વધુ સ્પષ્ટ થતા જશે. ॥ ૩૯ ॥ ૧૭૯ ॥ एतद्द्वयोरपि ध्येयं ध्यानयोर्धर्म्य - शुक्लयोः । વિધિસ્વર્ગામમેવાનું તોર્મોઽવધાયતામ્ ॥ ૪૦ | ૨૮૦ ॥ આ સ્વસંવેદન ધર્મધ્યાન અને શુક્લધ્યાન બન્નેનું ધ્યેય છે, પણ વિશુદ્ધિ અને સ્વામી (ધ્યાતા)ના ભેદથી તે એ ધ્યાનોમાં ભેદ સમજવો ॥૪૦॥ ૧૮૦ | इदं हि दुःशकं ध्यातुं सूक्ष्मज्ञानावलंबनात् । જોષ્યમાનવ પ્રાજ્ઞને ચ ાવજતે ॥૪૨॥ ૨૮૬ ॥ આ સ્વાત્મધ્યાન અત્યંત દુઃશક્ય છે, કારણ કે એમાં સૂક્ષ્મજ્ઞાનનું અવલંબન લેવું પડે છે. આ ધ્યાન મહાન બુદ્ધિમાન Page #66 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય પુરુષો વડે સમજાવવામાં આવે તો પણ શીઘ્રત: સંપૂર્ણપણે લક્ષમાં આવતું નથી. ॥ ૪૦ | ૧૮૧ ॥ तस्मालक्ष्यं च शक्यं च दृष्टादृष्टफलं च यत् । જૂનું વિત માહત્મ્ય સ ્સ્થથંતુ શ્રીધનાઃ ॥ ૪૨ ॥ ૨૮૨ ॥ તેથી જે લક્ષ્ય હોય, જે કરવું શકય હોય અને જેનું ફળ પ્રત્યક્ષ અને અનુમાનથી જાણી શકાય એવું હોય, એવું ધ્યાન બુદ્ધિમાન પુરુષોએ સ્થૂલ વિતર્કને અવલખીને કરવું જોઈ એ ॥ ૪૧ ॥ ૧૮૨ ॥ ત. ૪ * બુદ્ધિમાન પુરુષો એને જાણે છતાં તેઓ વડે પણ તેનું લક્ષ-ધ્યાન તરત કરી શકાતું નથી, એમ પણ અર્થ થઈ શકે છે. ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અધ્યાય ‘અર્હ’નું અભેદ પ્રણિધાન અને ધ્યાનનાં ફળો હ 'अ' कारं मरुतापूर्ण कुंभित्वा 'रेफ' वह्निना । તેવા સ્વવપુષા મેં સ્વતો મમ્મ વિશેષ્ય = ॥ ૬ ॥ ૨૮૨ ॥ ‘દૂ’મન્ત્રો ન(મ)ત્તિ ધ્યેયઃ ક્ષાવૃત્તમાત્મનિ । તેનાઽન્વત્તિિનાંય પીયૂષમયમુજ્વમ્ ॥ ૨ ॥ ૨૮૪ ॥ तत्रादौ पिण्डसिद्धयर्थं निर्मलीकरणाय च । मारुतीं तैजसीमाप्यां विदध्याद्धारणां क्रमात् ॥ ३ ॥ १८५ ॥ ततः पञ्चनमस्कारैः पञ्चपिण्डाक्षरान्वितैः । पञ्चस्थानेषु विन्यस्तैर्विधाय सकलीक्रियाम् ॥ ४ ॥ १८६ ॥ पश्चादात्मानमर्हन्तं ध्यायेन्निर्दिष्टलक्षणम् । सिद्धं वा ध्वस्तकर्माणममूर्त्त ज्ञानभास्वरम् ॥ ५ ॥ १८७ ॥ (પૂરકના) વાયુવડે ‘’કારને પૂરિત કરીને અને (કુંભક વડે) કુંભિત કરીને રેક્માંથી નીકળતા અગ્નિ વડે પોતાના શરીરની સાથે (શરીર અને) કર્માને ખાળવાં. પછી શરીર અને કર્મોના દહનથી થયેલ ભસ્મનું પોતામાંથી વિરેચન કરવું (તે ભસ્મને પોતામાંથી દૂર કરવી). પછી જે આત્મા ઉપર અમૃત ઝરાવી રહ્યું છે, એવા ‘હુ’કાર મંત્રનું આકાશમાં ધ્યાન કરવું. પછી તે અમૃતથી એક નવા અમૃતમય ઉજ્જવલ શરીરનું નિર્માણ કરવું. તેમાં પ્રથમ દેહ (પિંડ)ની રચના માટે મારુતી (વાયવીય) ધારણા કરવી અને પછી નિર્મળ બનાવવા માટે તેજસી અને જલીય Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૪ અધ્યાય ધારણા ક્રમશઃ કરવી, તે પછી પાંચ * પિંડાક્ષરોથી યુક્ત અને શરીરના પાંચ સ્થાનોમાં ન્યાસ કરાયેલા એવા પંચનમસ્કારો વડે સકલીકરણ કરવું. તે પછી જેમનું સ્વરૂપ પૂર્વે કહેવામાં આવ્યું છે એવા શ્રી અરિહંત પરમાત્મારૂપે અથવા કર્રરહિત, અમૂર્ત અને જ્ઞાન વડે પ્રકાશમાન એવા શ્રી સિદ્ધ ભગવંતરૂપે પોતાના આત્માનું ધ્યાન કરવું. ॥ ૧-૫ ॥ ૧૮૩–૧૮૭ ॥ એક શંકા नन्वनर्हन्तमात्मानमर्हन्तं ध्यायतां सताम् । अतस्मिंस्तदूग्रहो भ्रान्तिर्भवतां भवतीति चेत् ॥ ६ ॥ १८८ ॥ જો તમારો આત્મા અરિહંત નથી તો પછી તેનું અરિહંત રૂપે ધ્યાન કરતા એવા તમને ‘અતમાં (જે જેવો નથી તેમાં) તત્’ની (તેવાની) બ્રાન્તિ તો નથી થતી ને? ॥ ૬ ॥ ૧૮૮ ॥ સમાધાન तन्न चोद्यं यतोऽस्माभिर्भावार्हन्नयमर्पितः । स चाहद्धयाननिष्ठात्मा ततस्तत्रैव तद्ग्रहः ॥ ૭ ॥ ૧૮૨ ॥ परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हद्धयानाविष्टो भावार्हः (र्हन्) स्यात्स्वयं तस्मात् ॥ ८ ॥ १९० ॥ येन भावेन यद्रूपं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥ ९ ॥ १९९ ॥ * આ પાંચ પિંડાક્ષરો પ્રાયઃ અ ત્તિ આ ૩ સા, ક્ષિ ૧ ૩ સ્વા ા અથવા ‘હો હો હો દૂ:’ હોવા જોઈએ. Page #69 -------------------------------------------------------------------------- ________________ તન્હાનુશાસન એવી શંકા ન કરવી, કારણ કે અમે અમારા આત્માની ભાવઅરિહંતરૂપે અર્પણ (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે નોઆગમથી ભાવઅરિહંત છે. તેથી “અતમાં તથ્રહરૂપ બ્રાન્તિ નથી કિંતુ “તત્ માં (તેમાં) જ “તતુની (તેની) યથાર્થ માન્યતા છે. જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે; તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંતભાવ) થકી પોતે જ ભાવઅરિહંત થાય છે. ઉપાધિસહિત એવા સ્ફટિકરત્નની જેમ આત્મજ્ઞ પુરુષ જે (અરિહંતાદિ) ભાવવડે જે (અરિહંતાદિ) રૂપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તન્મયતા (તદ્ભાવરૂપતા)ને પામે છે. (અર્થાત્ જેમ સ્ફટિકમણિ સામે રહેલી વસ્તુનું રૂપ ધારણ કરે છે, તેમ આત્મા પણ દયાન વડે દયેયમય બને છે.) . ૭-૯ કે ૧૮૯-૧૯૧ . પ્રકારતરે સમાધાન अथवा भाविनो भूताः स्वपर्यायास्तदात्मकाः। आसते द्रव्यरूपेण सर्वद्रव्येषु सर्वदा ॥ १०॥ १९२॥ ततोऽयमहत्पर्यायो भावी द्रव्यात्मना सदा । भव्येष्वास्ते सतश्चास्य ध्याने को नाम विभ्रमः ॥११॥१९३॥ અથવા સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભવિષ્યના સ્વપર્યાયો દ્રવ્યરૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂતભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે; તેથી સર્વ ભવ્યોમાં ભવિષ્યમાં થનારા એવા “અહમ્ પર્યાય (કેલિપર્યાય) Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અધ્યાય દ્રવ્યરૂપે સદા રહેલા છે. તો પછી વિદ્યમાન એવા એ પર્યાયનું ધ્યાન કરવામાં બ્રાન્તિ શી ? ॥ ૧૦-૧૧ ॥ ૧૯૨-૧૯૩ ॥ किञ्च भ्रान्तं यदीदं स्यात् तदा नातः फलोदयः । न हि मिथ्या जलाजातु विच्छित्तिर्जायते तृषः ॥ १२ ॥ १९४ ॥ प्रादुर्भवन्ति चामुष्मात् फलानि ध्यानवर्त्तिनाम् । धारणावशतः शान्तक्रूर रूपाण्यनेकधा ॥ १३ ॥ १९५ ॥ જો આ ધ્યાનને ભ્રાન્ત માનવામાં આવે તો, જેમ કલ્પિત જલથી તૃષાનો નાશ કદાપિ ન જ થાય, તેવી રીતે એ ધ્યાનથી લપ્રાપ્તિ ન થવી જોઈએ. કિન્તુ એથી ધ્યાનીઓને ધારણાના ખળે શાંત અને ક્રૂરરૂપ અનેક પ્રકારના ફ્લોની પ્રાપ્તિ થતી દેખાય છે. એથી આત્માનું અહૂપે ધ્યાન કરવું તે ભ્રાન્તિ નથી. ॥ ૧૨-૧૩ ૫ ૧૯૪–૧૯૫ ॥ ' ૫૩ गुरूपदेशमासाद्य ध्यायमानः समाहितैः । अनन्तशक्तिरात्माऽयं मुक्तिं भुक्तिं च यच्छति ॥ १४ ॥ १९६ ॥ શ્રી સદ્ગુરુના ઉપદેશને પ્રાપ્ત કરીને સમાહિત યોગીઓ વડે ધ્યાયમાન એવો આ અનંતશક્તિશાળી આત્મા મુક્તિ અને ભુક્તિને આપે છે. ૧૪ ॥ ૧૯૬ ॥ ध्यातोर्हत्सिद्धरूपेण चरमाङ्गस्य मुक्तये । तद्धयानोपात्तपुण्यस्य स एवान्यस्य भुक्तये ॥ १५ ॥ १९७ ॥ અર્જુન્ત અથવા સિદ્ધરૂપે જેનું ધ્યાન કરાયું છે એવો આ આત્મા ચરમશરીરીની મુક્તિ માટે થાય છે, અથવા તે ધ્યાન વડે પ્રાપ્ત કર્યું છે પુણ્ય જેણે એવા અન્ય (અચરમશરીરી)ની ભુક્તિ માટે થાય છે. ॥ ૧૫ ૫ ૧૯૭ ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ * તસ્વાનુશાસન ज्ञानं श्रीरायुरारोग्यं तुष्टिः पुष्टिर्वपुर्धतिः। यत्प्रशस्तमिहान्यच्च तत्तद्धयातुः प्रजायते ॥१६॥ १९८॥ (ભુતિને બતાવે છે –) તે તે પ્રકારનું ધ્યાન કરનારને આ લોકમાં અને પરલોકમાં જે જે પ્રશંસનીય છે તે બધું–જ્ઞાન, લક્ષ્મી, દીર્ધાયુ, આરોગ્ય, તૃષ્ટિ, પુષ્ટિ, સુંદર શરીર, ધૈર્ય, વગેરે –પ્રાપ્ત થાય છે. ૧૬ / ૧૯૮ણ तद्धयानाविष्टमालोक्य प्रकम्पन्ते महाग्रहाः। नश्यन्ति भूतशाकिन्यः क्रूराःशाम्यन्ति च क्षणात् ॥१७॥१९९॥ અરિહંત અથવા સિદ્ધના ધ્યાનમાં લયલીન એવા મહાત્માને જોઈને મોટા મોટા ગ્રહો પણ કંપે છે. ભૂત, પ્રેત, શાકિની, ડાકિની વગેરે દૂરથી ભાગી જાય છે અને અત્યંત ક્રૂર એવાં જતુઓ પણ ક્ષણવારમાં શાંત બની જાય છે. ૧૭મા ૧૯૯ો यो यत्कर्मप्रभुर्देवस्तद्धयानाविष्टमात्मनः। ध्याता तदात्मको भूत्वा साधयत्यात्मवाञ्छितम् ॥१८॥२००॥ જે દેવતા જે (શાંત્યાદિ) કર્મને સાધવામાં સમર્થ હોય તેના ધ્યાનથી આવિષ્ટ એવો ધ્યાતા તરૂપ (દેવતારૂપ) થઈને મનોવાંછિતને સાધે છે. ૧૮ / ૨૦૦ છે पार्श्वनाथाभवन्मन्त्री सक(फोलीकृतविग्रहः । महामुद्रां महामन्त्रं महामण्डलमाश्रितः ॥१९॥२०१॥ तैजसीप्रभृतीर्बिभ्रद्धारणाश्च यथोचितम् । निग्रहादीनुदग्राणां ग्रहाणां कुरुते द्रुतम् ॥२०॥२०२॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ અયાય ૫૫ યથોચિત રીતે સકલીકરણ વિધાન દ્વારા શરીરને સુરક્ષિત કરનાર; મહામુદ્રા, મહામંત્ર અને મહામન્ડલનો આશ્રય કરનાર અને તૈજસી વગેરે ધારણુઓને ધારણ કરતો એવો માંત્રિક (સ્વયં) પાર્શ્વનાથ થઈને (શ્રી પાર્શ્વનાથનું અભેદ ધ્યાન કરીને) મોટા મોટા ગ્રહોનો પણ તરત જ નિગ્રહ વગેરે કરે છે. . ૧૯-૨૦ મે ૨૦૧–૨૦૨ स्वयमाखण्डलो भूत्वा महामण्डलमध्यगः। किरीटकुण्डली वज्री पीतभूषाम्बरादिकः ॥२१॥२०३॥ कुम्भकीस्तम्भमुद्राधस्तम्भनं मन्त्रमुच्चरन् । स्तम्भकार्याणि सर्वाणि करोत्येकानमानसः ॥२२॥२०४॥ મુકુટ, કુંડલ વગેરે પહેરેલ, હાથમાં વજ ધારણ કરેલ, અને પીત વસ્ત્ર તથા અલંકારોથી શોભતા એવા ઇન્દ્ર જેવો તે બને છે અને મહામંડલના મધ્યભાગમાં રહીને તથા કુંભક પ્રાણાયામ, સ્તંભનમુદ્રા વગેરે કરીને સ્તંભન-મંત્રને એકાગ્ર મનથી ઉચ્ચારતો તે સર્વ સ્તંભન કાર્યો કરે છે. આ ૨૧-૨૨ા ૨૦૩-૨૦૪ स स्वयं गरूडीभूय क्ष्वेडं क्षपयति क्षणात् । कन्दर्पश्च स्वयं भूत्वा जगन्नयति वश्यताम् ॥ २३ ॥२०५॥ તે સ્વયં ગરૂડ થઈને ક્ષણમાત્રમાં વિષને હરે છે, તથા સ્વયં કામદેવ બનીને જગતને વશ કરે છે. આ ૨૩ ૨૦૫ ૨ एवं वैश्वानरो भूत्वा ज्वलज्ज्वालाशताकुलः। शीतज्वरं हरत्याशु व्याप्य ज्वालाभिरातुरम् ॥२४॥२०६॥ એવી જ રીતે જેમાંથી સંકડો જાજવલ્યમાન જવાળાઓ નીકળી રહી છે એવા અગ્નિરૂપ બનીને પોતાની જ્વાલાઓથી Page #73 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન શીતજવરથી પીડાતી વ્યક્તિને વ્યાપીને શીતજવરને તરત જ હરે છે. તે ૨૪ મે ૨૦૬ स्वयं सुधामयो भूत्वा वर्षन्नतमातुरे। अथैनमात्मसात्कृत्य दाहज्वरमपास्यति ॥२५॥२०७॥ સ્વયં અમૃતમય થઈને પીડિત ઉપર અમૃતને વરસાવતો યોગી એને પીડિતને) આત્મસાત (સ્વાધીન અથવા અમૃતમય) કરીને એના દાહવરને દૂર કરે છે. તે ૨૫ ૨૦૭ | क्षीरोदधिमयो भूत्वा प्लावयन्नखिलं जगत् । शान्तिकं पौष्टिकं योगी विदधाति शरीरिणाम् ॥२६॥२०८ ॥ સ્વયં ક્ષીરસાગરમય થઈને સકલ જગતને પ્લાવિત (તૃપ્ત) કરતો યોગી પ્રાણીઓના શાંતિકૃત્ય અને પુષ્ટિકૃત્યને કરે છે. તે ૨૬ / ૨૦૮ . किमत्र बहुनोक्तेन यद्यत्कर्म चिकीर्षति । तद्देवतामयो भूत्वा तत्तन्निर्वर्त्तयत्ययम् ॥ २७ ॥२०९॥ આ વિષયમાં બહ કહેવાથી શું? યોગી જે જે કર્મને કરવાની ઈચ્છા કરે છે તે તે કર્મના દેવતારૂપે સ્વયં થઈને તે તે કર્મનું સંપાદન કરે છે. જે ૨૭ મે ૨૦૯ | शान्ते कर्मणि शान्तात्मा ऋरे कुरो भवन्नयम् । शान्तक्रूराणि कर्माणि साधयत्येव साधकः ॥२८॥२१०॥ શાંત કર્મોમાં શાંત થઈને અને કૃર કમોંમાં કૂર થઈને આ સાધક શાન્ત અને કૂર કર્મોને સાધે છે. આ ૨૮ ૨૧૦ || Page #74 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ અધ્યાય आकर्षणं वशीकारः स्तम्भनं मोहनं द्रुतिः । निर्विषीकरणं शान्तिर्विद्वेषोच्चाटनिग्रहाः ॥ २९ ॥ २११ ॥ एवमादीनि कार्याणि दृश्यन्ते ध्यानवर्तिनाम् । ततः समरसीभावसफलत्वान्न विभ्रमः ॥ ३० ॥ २१२ ॥ ध्यान ४२नारायोनां भाषणु, वशी४२णु, स्तंलन, भोडुन, द्रुति, निर्विषी २णु, शांति, विद्वेष, उभ्याटन, निग्रह वगेरे भने કાર્યો જોવામાં આવે છે, તેથી એ રીતે સમરસીભાવ (ધ્યાનની એકાગ્રતા) ની સફળતા થતી હોવાથી ધ્યાન ભ્રાન્તિરૂપ નથી. ॥ २८-३० ॥ २११-२१२ ॥ ધ્યાનની સામગ્રી यत्पुनः पूरणं कुम्भो रेचनं दहनं प्लवः । सकलीकरणं मुद्रामन्त्रमण्डलधारणाः ॥ ३१ ॥ २१३ ॥ कर्माधिष्ठातृदेवानां संस्थानं लिङ्गमासनम् । प्रमाणं वाहनं वीर्य जातिर्नाम धुतिर्दिशा ॥ ३२ ॥ २१४ ॥ ५७ भुजवक्त्रनेत्र संख्या भावः क्रूरस्तथेतरः । वर्णः स्पर्शः स्वरोऽवस्था वस्त्रं भूषणमायुधम् ॥ ३३ ॥ २१५ ॥ एवमादि यदन्यच्च शान्तक्रूराय कर्मणे । मन्त्रवादादिषु प्रोक्तं तद्ध्यानस्य परिच्छदः ॥ ३४ ॥ २१६ ॥ यूर, हुंल, रेय, हर्डन, प्लावन, सम्सी ४२, मुद्रा, મંત્ર, મંડલ, ધારણા, તે તે કર્મના અધિષ્ઠાયક દેવતાઓના संस्थान, शिह्न, ग्यासन, प्रभाणु, वार्डन, वीर्य, लति, नाभ, अन्ति, हिशा, लुन्न-भुम-नेत्रोनी संख्या, डूर तथा शांतभाव, वर्णं, स्पर्श, स्व२, अवस्था, वस्त्र, भालूषण, आयुध वगैरे भने Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તવાનુશાસન બીજું જે કાંઈ મન્નશાસ્ત્રાદિમાં શાંત તથા ક્રૂર કર્મ માટે કહ્યું છે તે બધું યાનનું સાધન સમજવું . ૩૧-૩૪ મે ૨૧૩-૨૧૬ . यदात्रिकं फलं किञ्चित् फलमामुत्रिकं च यत् । एतस्य द्वितयस्यापि ध्यानमेवानकारणम् ॥३५॥२१७ ॥ જે કાંઈ ઈહલૌકિક ફળ છે અને જે કાંઈ પારલૌકિક ફળ છે તે બન્નેનું મુખ્ય કારણ ધ્યાન જ છે. જે ૩૫ | ૨૧૭ | ધ્યાનના મુખ્ય હેતુઓ ध्यानस्य च पुनर्मुख्यो हेतुरेतच्चतुष्टयम् । गुरूपदेशः श्रद्धानं सदाभ्यासः स्थिरं मनः ॥ ३६॥२१८॥ ધ્યાનના આ ચાર મુખ્ય હેતુઓ છે—ગુરુનો ઉપદેશ, શ્રદ્ધા, સદા અભ્યાસ અને સ્થિર મન. ૩૬ ૨૧૮ - अत्रैवमाग्रहं कार्यद्धयानफलमैहिकम् ।। इदं हि ध्यानमाहात्म्यख्यापनाय प्रदर्शितम् ॥ ३७॥ २१९ ।। અહીં એવો આગ્રહ ન કરવો કે ધાનથી ઐહિક ફળની જ પ્રાપ્તિ થાય છે, આ તો કેવળ ધ્યાનને માહાસ્યને સમજાવવા માટે બતાવ્યું છે. તે ૩૭ ૨૧૯ य(त)द्धयानं रौद्रमार्त वा यदैहिकफलार्थिनाम् । तस्मादेतत्परित्यज्य धर्म्य शुक्लमुपास्यताम् ॥ ३८ ॥ २२०॥ ઐહિક ફળના અથીઓનું ધ્યાન આર્ત અથવા રૌદ્ર હોય છે, તેથી એ બે ધ્યાનને છોડીને ધર્મ અથવા શુલ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ૩૮ ૨૨૦ | Page #76 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ અદયાય ૫૯ શુકલધ્યાનની વ્યાખ્યા तत्त्वज्ञानमुदासीनमपूर्वकरणादिषु । शुभाशुभमलापायाद् विशुद्धं शुक्लमभ्यधुः ॥ ३९ ॥२२१ ॥ શુભ અને અશુભ કર્મમલ દૂર થવાથી અપૂર્વકરણદિ ગુણસ્થાનોમાં રાગદ્વેષરહિત એવું તત્વજ્ઞાન હોય છે, તે વિશુદ્ધ હોવાથી શુકલ કહેવાય છે. તે ૩૯ ૨૨૧ शुचिगुणयोगाच्छुक्लं कषायरजसः क्षयादुपशमाद्वा । माणिक्यशिखावदिदं सुनिर्मलं नि प्रकम्पं च ॥४०॥२२२॥ આ ધ્યાન શુચિ–પવિત્ર ગુણોના સંયોગથી શુક્લ કહેવાય છે. અથવા કષાયરૂપ રજના ક્ષય કે ઉપશમથી શુક્લ કહેવાય છે. આ ધ્યાન માણિક્યરત્નની શિખાની જેમ અત્યંત નિર્મલ હોય છે અને નિશ્ચલ હોય છે. ૪૦ | ૨૨૨ . रत्नत्रयमुपादाय त्यक्त्वा बन्धनिबन्धनम् । ध्यानमभ्यस्यतां नित्यं यदि योगिन् ! मुमुक्षसे ॥४१॥२२३॥ હે યોગિન ! જે તને મુક્ત થવાની ઇચ્છા હોય તો કર્મબંધના (પરિગ્રહાદિ) કારણોનો ત્યાગ કરીને અને રત્નત્રયનો અંગીકાર કરીને તું સદા ધ્યાનનો અભ્યાસ કર. ૪૧ | ૨૨૩ ! ध्यानाभ्यासप्रकर्षण त्रुट्यन्मोहस्य योगिनः। चरमाङ्गस्य मुक्तिः स्यात् तदाऽन्यस्य च क्रमात् ॥४२॥२२४॥ ધ્યાનાભ્યાસની ઉત્તરોત્તર વૃદ્ધિ થવાથી નાશ પામી રહ્યો છે મોહ જેનો એવો યોગી જે તે ચરમશરીરી હોય તો તે જ ભવમાં તેનો મોક્ષ થાય છે, બીજાની કમશઃ (થોડાક ભવોમાં) મુક્તિ થાય છે. ૪૨ ૨૨૪ . Page #77 -------------------------------------------------------------------------- ________________ તવાનુશાસન तथा ह्यचरमाङ्गस्य ध्यानमभ्यस्यतः सदा । निर्जरा संवरश्च स्यात्सकलाशुभकर्मणाम् ॥ ४३ ॥ २२५॥ आश्रवन्ति च पुण्यानि प्रचुराणि प्रतिक्षणम् । यैर्महर्द्धिर्भवत्येष त्रिदशः कल्पवासिषु ॥४४॥२२६ ॥ तत्र सर्वेन्द्रियामोदि मनसः प्रीणनं परम् । सुखामृतं पिबन्नास्ते सुचिरं सुरसेवितः ॥ ४५ ॥ २२७ ॥ ततोऽवतीर्य माऽपि चक्रवादिसम्पदः। चिरं भुक्त्वा स्वयं मुक्त्वा दीक्षां दैगम्बरीं श्रितः॥४६॥२२८ ॥ वज्रकायः स हि ध्यात्वा शुक्लं ध्यानं चतुर्विधम् । विधूयाष्टापि कर्माणि श्रयते मोक्षमक्षयम् ॥ ४७ ॥२२९॥ (અચરમશરીરીની મુક્તિ આ કેમ થાય છે –) સદા ધ્યાનનો અભ્યાસ કરતા અચરમશરીરી યોગીને સર્વ અશુભ કર્મોની નિર્જરા અને સંવર થાય છે, અને પ્રતિક્ષણ પ્રચુર પુણ્યકર્મનો આશ્રવ થાય છે. તેમના ઉદયથી તે ભવાંતરમાં ક૯૫વાસી દેવોમાં મહદ્ધિક દેવ થાય છે. ત્યાં (સ્વર્ગમાં) સર્વ ઈન્દ્રિયોને આહ્લાદક તથા મનને પ્રસન્નતા આપનાર એવા શ્રેષ્ઠ સુખરૂપ અમૃતનું પાન કરતો અને ચિરકાળ સુધી દેવોથી સેવાતો તે સુખેથી રહે છે. તે પછી ત્યાંથી ચ્યવીને મત્સ્ય લોકમાં પણ ચકવતિ આદિ પદોની સંપત્તિઓને લાંબાકાળ સુધી ભાગવિીને પોતે જ (વૈરાગ્યથી) છોડી દે છે અને દિગંબર દીક્ષાને અંગીકાર કરે છે. તે કાળે વજsષભનારાચ સંઘયણવાળો તે ચાર પ્રકારના શુકલધ્યાનને આરાધીને અને તેથી આઠે પ્રકારના કમોનો નાશ કરીને અંતે અક્ષય એવા મોક્ષને પામે છે. છે ૪૩–૪૭ ૨૨૫-૨૨૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ અધ્યાય ૬૧ आत्यन्तिकः स्वहेतोर्यो विश्लेषो जीवकर्मणोः। स मोक्षः फलमेतस्य ज्ञानाद्याः क्षायिका गुणाः ॥४८॥२३०॥ સ્વ સ્વ હેતુઓથી જીવ અને કર્મનો જે આત્યંતિક (સર્વથા) વિલેષ તે મોક્ષ છે. એનું ફળ જ્ઞાનાદિ ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ છે. . ૪૮ ૨૩૦ | Page #79 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યાય મુક્તાત્માનું સ્વરૂપ कर्मबन्धनविध्वंसादूर्ध्वव्रज्यास्वभावतः। क्षणेनैकेन मुक्तात्मा जगच्चूडानमृच्छति ॥१॥२३१॥ કર્મબંધનનો વિવંસ થવાથી ઊર્ધ્વગમન એ આત્માનો સ્વભાવ હોવાના કારણે એક જ ક્ષણમાં મુક્તાત્મા લોકશિખરના અગ્રભાગે પહોંચે છે. તે ૧ ૨૩૧ | पुंसः संहार-विस्तारौ संसारे कर्मनिर्मितौ। मुक्तौ तु तस्य तौ नस्तः क्षयात्तद्धेतुकर्मणाम् ॥२॥२३२॥ સંસારદશામાં આત્માના પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કર્મકૃત (કમહેતુક) છે. મુક્તિમાં તે બે નથી, કારણકે તે બેના હેતુભૂત જે કર્મ તેનો ત્યાં ક્ષય થઈ ગયેલ હોય છે. તે ૨ / ૨૩ર / ततः सोऽनन्तरत्यक्तस्वशरीरप्रमाणतः।। किञ्चिदूनस्तदाकारस्तत्रास्ते स्वगुणात्मकः ॥३॥२३३॥ તેથી મુક્તિમાં તે (આત્મા) ચરમભવમાં છોડેલ શરીરના પ્રમાણથી કાંઈક ન્યૂન એવા તે જ શરીરના આકારવાળો અને નિજગુણરૂપ હોય છે. તે ૩ મે ૨૩૩ स्वरूपावस्थितिः पुंसस्तदा प्रक्षीणकर्मणः। नाभावो नाप्यचैतन्यं न चैतन्यमनर्थकम् ॥४॥२३४॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યાય પ્રક્ષીણ થયાં છે કર્મ જેનાં એવા આત્માનું ત્યારે મુક્તિમાં —સ્વરૂપમાં અવસ્થાન હોય છે. ત્યાં આત્માનો અભાવ થતો નથી, તે અચેતન પણ બનતો નથી અને તેનું ચૈતન્ય નિરર્થક પણ બનતું નથી. ॥ ૪ ॥ ૨૩૪ ॥ स्वरूपं सर्वजीवानां स्वपरस्य प्रकाशनम् । માનુમ-વત્તેષાં વમાનુપ્રરિાનમ્ || L ॥ ૨૧ ॥ સર્વ જીવોનું સ્વરૂપ સૂર્યમંડલની જેમ સ્વ અને પરનું પ્રકાશક છે. તે સ્વરૂપનું પ્રકાશન-જ્ઞાન કરાવવા માટે બીજા પ્રકાશકની જરૂર નથી. ॥ ૫ ॥ ૨૩૫ ॥ तिष्ठत्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुषः । યથા મળિ સ્વતંતુમ્યઃ શ્રીને સાંસપિ, મહે ॥ ૬ ॥ ૨૬ I સ્વહેતુઓથી સાંગિક મલ ક્ષીણ થતાં જ જેમ મિણ સ્વરૂપમાં રહે છે, તેમ કર્મોનો નાશ થતાં આત્મા સ્વરૂપમાં રહે છે. ॥ ૬ ॥ ૨૩૬ ॥ ૬૩ न मुह्यति न संशेते न स्वार्थानध्यवस्यति । न रज्यते न च द्वेष्टि किन्तु स्वस्थः प्रतिक्षणम् ॥ ७ ॥ २३७ ॥ તે મુક્તાત્મા મોહ પામતો નથી, સંશય કરતો નથી, તેને સ્વપ્રયોજનવિષયક અનધ્યવસાય પણ હોતો નથી, તે રાગ પામતો નથી, અને દ્વેષ પણ કરતો નથી; કિન્તુ પ્રતિક્ષણ સ્વસ્થ રહે છે. ॥ ૭॥ ૨૩૭ ॥ त्रिकालविषयं ज्ञेयमात्मानं च यथास्थितम् । જ્ઞાનન્વયંશ્ચ નિઃરોપમુદ્દાસ્તે સ તવા પ્રમુઃ ॥ ૮ ॥ ૨૩૮ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ * ત્યારે ત્રિકાળવિષયક સર્વે જ્ઞેયને અને આત્માને યથાસ્થિત રીતે સંપૂર્ણપણે જાણતો અને જોતો એવો તે પ્રભુ ઉદાસીન રહે છે. ૫ ૮ ॥ ૨૩૮ ॥ अनन्तज्ञानदृग्वीर्यवैतृष्ण्यमयमव्ययम् । सुखं चानुभवत्येष तत्रातीन्द्रियमच्युतः ॥ ९ ॥ २३९ ॥ તત્ત્વાનુશાસન ત્યાં અચ્યુત (સ્વસ્થ) એવો તે અવિનાશી અને અતીન્દ્રિય એવા અનન્ત જ્ઞાન-દર્શન-વીર્ય-સમતામય સુખને અનુભવે છે. ॥ ૯॥ ૨૩૯ || સિદ્ધસુખવિષયક શંકા ननु चाक्षैस्तदर्थानामनुभोक्तुः सुखं भवेत् । અતીન્દ્રિયેષુ મુદ્દેપુ મોક્ષે તત્ નીદરાં ખુલમ્ ? | ૨૦ | ૨૪૦ ॥ ઇન્દ્રિયો વડે તેના વિષયોને ભોગવનારને સુખ થાય છે. મુક્તાત્માઓ તો ઇન્દ્રિય વિનાના છે, તો મોક્ષમાં સુખ કેવું હોય ? ।। ૧૦ ૫ ૨૪૦ ॥ સમાધાન इति चेन्मन्यसे मोहात्तन्न श्रेयो मतं यतः । નાપિ વત્ત ! ત્યં વૈશ્વિ સ્વતં મુલદુઃશ્ર્વયોઃ ॥ ૨ ॥ ર૪ર્ ॥ હે વત્સ ! જો તું મોહથી એવું માનતો હોય તો તે શ્રેયસ્કર નથી, કારણ કે તું અદ્યાપિ સુખદુઃખના સ્વરૂપને જાણતો નથી. ॥ ૧૧ | ૨૪૧ ॥ ૧ સમતા - ચારિત્ર. Page #82 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યાય आत्मायत्तं निराबाधमतीन्द्रियमनश्वरम् । घातिकर्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं विदुः ॥ १२॥२४२॥ જે સ્વાધીન, વ્યાબાધારહિત, અતીન્દ્રિય, અવિનાશી અને ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે, તેને જ્ઞાની પુરુષો મોક્ષસુખ કહે છે. તે ૧૨ મે ૨૪ર यत्तु सांसारिकं सौख्यं रागात्मकमशाश्वतम् । स्वपरद्रव्यसम्भूतं तृष्णासंतापकारणम् ।।१३॥ २४३ ।। मोह-द्रोह-मद-क्रोध माया-लोभनिवन्धनम् । दुःखकारणबन्धस्य हेतुत्वादःखमेव तत् ॥ १४ ॥२४४॥ જે સાંસારિક સુખ છે તે તો રાગાત્મક, ક્ષણભંગુર, સ્વ અને પરદ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થયેલું, તૃષ્ણ અને સંતાપનું કારણ અને મોહ, દ્રોહ, મદ, કોધ, માયા, લોભ વગેરેનો હેતુ છે. (એ રીતે) તે દુઃખના કારણભૂત બંધનો હેતુ હોવાથી દુઃખ જ છે. + ૧૩-૧૪ મે ૨૪૩-૨૪૪ / तन्मोहस्य माहात्म्यं विषयेभ्योऽपि यत्सुखम् । यत्पटोलमपि स्वादु श्लेष्मणस्तद्विजृम्भितम् ॥ १५॥ २४५।। તે તો મોહનો જ મહિમા (પ્રભાવ) છે કે જેથી વિષયોથી પણું સુખ ભાસે છે. એ મહિમા તો લેમ્પના પ્રભાવ જેવો છે કે જેથી કડવું કરેલું પણ સ્વાદિષ્ટ લાગે છે. / ૧પ | ૨૪૫. यदत्र चक्रिणां सौख्यं यच्च स्वर्ग दिवौकसाम् । कलयाऽपि न तत्तुल्यं सुखस्य परमात्मनाम् ॥१६॥२४६॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ E તવાનુશાસન અહીં જે ચક્રુતિઓનું સુખ છે અને સ્વર્ગમાં જે દેવતાઓનું સુખ છે, તે તો સિદ્ધ ભગવંતોના સુખના અત્યંત અલ્પ અંશની સાથે પણ તુલનામાં આવે તેવું નથી. ॥ ૧૬ ॥ ૨૪૬ મોક્ષ સ્યાદ્વાદીને જ ઘટે अत एवोत्तमो मोक्षः पुरुषार्थेषु पठ्यते । स च स्याद्वादिनामेव नान्येषामात्मविद्विषाम् ॥ १७ ॥ २४७ ॥ એથી જ ચાર પ્રકારના પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ કહેવાય છે. એ મોક્ષ સ્યાદવાદીઓને જ ઘટી શકે છે. આત્માના વિદ્વેષક એવા અન્ય વાદીઓના મતમાં તે ઘટતો નથી. ॥ ૧૭ ॥ ૨૪૭ ॥ यद्वा बन्धश्च मोक्षश्च तद्धेतू च चतुष्टयम् । નાસ્ત્યવાન્તરત્તાનાં તાપમનિચ્છતામ્ ॥ ૨૮ ॥ ૨૪૮ ॥ અંધ, મોક્ષ, બંધના હેતુઓ અને મોક્ષના હેતુઓ એ રૂપ જે ચતુષ્ટય, તે એ ચતુષ્ટયના વ્યાપક એવા અનેકાન્તાત્મકત્વને ન ઇચ્છતા એકાન્તવાદીઓને ઘટી શકતું જ નથી ॥ ૧૮ ॥ ૨૪૮ ॥ अनेकान्तात्मकत्वेन व्याप्तावत्र क्रमाक्रमौ । ताभ्यामर्थक्रिया व्याप्ता तयाऽस्तित्वं चतुष्टये ॥ १९ ॥ २४९ ॥ અનેકાન્તાત્મકત્વથી અહીં ક્રમ અને અક્રમ (યોગપદ્ય) વ્યાપ્ત છે, ક્રમ અને અક્રમથી અર્થક્રિયા વ્યાપ્ત છે અને અર્થક્રિયાથી ઉપર્યુક્ત ચતુષ્ટયનું અસ્તિત્વ વ્યાપ્ત છે. ॥ ૧૯ ॥ ૨૪૯૫ मूलव्यातुर्निवृत्तौ तु क्रमाक्रमनिवृत्तितः । क्रियाकारकयोभ्रंशान्न स्यादेतच्चतुष्टयम् ॥ २० ॥ २५० ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યાય ૬૭ જે અનેકાન્તાત્મકત્વ (મૂલવ્યાપક) નથી તો તદ્વયાપ્ય એવા કમ અને અકમ ન ઘટે, જે કમ અને અકમ ન ઘટે તો તદ્વયાપ્ય અર્થકિયા (કિયા અને કારક) ન ઘટે અને જે કિયા અને કારક ન ઘટે તો ઉપર્યુક્ત ચતુષ્ટય પણ ન ઘટે. | ૨૦ | ૨૫૦ | ततो व्याप्तः समस्तस्य प्रसिद्धश्च प्रमाणतः । चतुष्टयसदिच्छद्भिरनेकान्तोऽवगम्यताम् ॥२१॥२५१ ॥ તેથી ચતુષ્ટયને સદ્ તરીકે ઇચ્છનારાઓએ સર્વત્ર વ્યાપ્ત અને પ્રમાણથી પ્રસિદ્ધ એવા અનેકાન્તને અવશ્ય માનવો જોઈએ. ૨૧ ૨૫૧ / Page #85 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ અધ્યાય ઉપસંહાર सारश्चतुष्टयेप्यस्मिन् मोक्षः सद्ध्यानपूर्वकः। इति मत्वा मया किञ्चिद्धयानमेव प्रपञ्चितम् ॥१॥२५२॥ આ ગ્રંથમાં ચાર સારભૂત તત્વો કહ્યા છે—બંધ, બંધના હેતુઓ, મોક્ષ અને મોક્ષના હેતુઓ. એ બધામાં પણ સારભૂત મોક્ષ છે, તે પ્રશસ્ત ધ્યાનપૂર્વક જ હોય છે.” એમ સમજીને આ ગ્રંથમાં મેં ધ્યાનનું જ કંઈક વર્ણન કર્યું છે. ૧. ૨૫૨ यद्यप्यत्यन्तगम्भीरमभूमिर्मादृशामिदम्। प्रावर्तिषि तथाप्यत्र ध्यानभक्तिप्रचोदितः ॥२॥२५३॥ જો કે આ ધ્યાનવિષય અત્યંત ગંભીર છે, મારા જેવાની તેમાં પહોંચ નથી; છતાં પણ અહીં કેવળ ધ્યાન પરની ભકિતથી પ્રેરાયેલા મેં પ્રયત્ન કર્યો છે. 1 ૨ / ૨૫૩ II यदत्र स्खलितं किञ्चिच्छाद्मस्थ्यादर्थशब्दयोः। तन्मे भक्तिप्रधानस्य क्षमतां श्रुतदेवता ॥३॥२५४॥ છદ્મસ્થતાના કારણે અહીં શબ્દોમાં કે અર્થમાં જે કાંઈ ખેલન થયું હોય તેની ભક્તિપ્રધાન એવા મને મૃતદેવતા ક્ષમા આપે છે ૩ ૨૫૪ છે वस्तुयाथात्म्यविज्ञान-श्रद्धान-ध्यानसम्पदः। भवन्तु भव्यसत्त्वानां स्वस्वरूपोपलब्धये ॥४॥२५५॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ અધ્યાય ૬૯ ભવ્ય જીવોને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ માટે યથાર્થ વિજ્ઞાન, યથાર્થ શ્રદ્ધાન અને યથાર્થ ધ્યાનરૂપ સંપત્તિઓ પ્રાપ્ત થાઓ. | ૪ | ૨૫૫ - श्रीवीरचन्द्र-शुभदेव-महेन्द्रदेवाः, शास्त्राय यस्य गुरवो विजयामरश्च । दीक्षागुरुः पुनरजायत पुण्यमूर्तिः, श्री नागसेनमुनि'रुद्यच्चरित्रकीर्तिः ॥५॥२५६ ॥ શ્રી વીરચંદ્ર, શુભદેવ અને મહેન્દ્રદેવ જેમના વિદ્યાગુરુઓ હતા, પુણ્યની મૂર્તિસમા શ્રી વિજયદેવ જેમના દીક્ષાગુરુ હતા અને જેમના ચારિત્રની કીર્તિ સર્વત્ર પ્રકાશી રહી હતી એવા શ્રી નાગસેન” નામના મુનિ થયા. . પ . ૨૫૬ . तेन प्रवृद्धधिषणेन गुरूपदेश, मासाद्य सिद्धिसुखसम्पदुपायभूतम् । 'तत्त्वानुशासन'मिदं जगतो हिताय, શ્રીના સેન'–વિહુવા રાત્રિ ટાર્થમ્ | દા ર૭ . ગુરુના ઉપદેશને પામીને અત્યંત બુદ્ધિમાન એવા તે શ્રી નાગસેન નામના વિદ્વાન મુનિએ જગતના હિત માટે સિદ્ધિસુખરૂપ સંપત્તિના ઉપાયભૂત આ સ્પષ્ટ અર્થવાળો તત્ત્વાનુશાસન ગ્રંથ રચ્યો. . ૬. ૨૫૭ जिनेन्द्राः सद्ध्यानज्वलनहुतघातिप्रकृतयः, प्रसिद्धाः सिद्धाश्च प्रहततमसः सिद्धिनिलयाः। सदाचार्या वर्याः सकलसदुपाध्याय-मुनयः, पुनन्तु स्वान्तं नस्त्रिजगदधिकाः पञ्च गुरवः ॥७॥२५८ ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ph તવાનુશાસન જેઓએ શુકલધ્યાનરૂપ દાવાનલમાં ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓને હોમી દીધી એવા અરિહંત ભગવંતો, જેઓએ અજ્ઞાનાંધકારનો નાશ કર્યાં છે તથા જેમનું નિવાસસ્થાન સિદ્ધિગતિ છે એવા પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતો, શ્રેષ્ઠ એવા આચાર્ય ભગવંતો, તથા પૂજય એવા ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો રૂપ પાંચ ગુરુઓ ત્રણે લોકમાં શ્રેષ્ઠ છે. તેઓ સૌના હૃદયને પવિત્ર કરો. ॥ ૭ ॥ ૨૫૮ ॥ देहज्योतिषि यस्य मज्जति जगदुग्धाम्बुराशाविव, ज्ञानज्योतिषि च स्फुरत्यतितरां ॐ भूर्भुवः - स्वस्त्रयी । शब्दज्योतिषि यस्य दर्पण इव स्वार्थाश्चकासन्त्यमी, स श्रीमानमराच्चितो जिन पतिर्ज्योतिस्त्रयायास्तु नः ॥ ८ ॥ २५९ ॥ // કૃતિ ‘શ્રીના સૈનમુનિ વિન્વિતઃ ‘તત્ત્વાનુરાસન સિદ્ધાન્ત' સમાસઃ || ', જેમની દેહજ્યોતિમાં જગત જાણે ક્ષીરસમુદ્રમાં મજ્જન કરતું હોય એવું દેખાય છે, જેમની જ્ઞાનજ્યોતિમાં પૃથ્વી, પાતાલ અને સ્વર્ગરૂપ ત્રયી અત્યંત સ્પષ્ટ રીતે પ્રકાશે છે અને જેમની શબ્દજ્યોતિમાં (૩૫ ગુણયુક્ત વાણીમાં) આ સર્વ પદાર્થો દર્પણની જેમ ચળકે છે, તે અંતરંગ-અનંત જ્ઞાનાદિ અને અહિરંગ સમવસરણાદિ લક્ષ્મીથી યુક્ત અને દેવેન્દ્રોથી પણ પૂજાએલા એવા શ્રી જિનપતિ અમારા જ્યોતિય (દેહ-જ્ઞાન-શબ્દજાતિ) માટે થાઓ. ॥ ૮ ॥ ૨૫૯ 59 સમાપ્ત 2952 2529 Page #88 -------------------------------------------------------------------------- ________________ शब्द सूचि 'अ-इ-उ-ए-ओ' २८ (१०३)* 'अ'कारः २८ (१०७), ५० (१८३) अक्षयः--अक्षयम् ३८ (१४९), १० (२२९) अक्षरम् २८ (१०२) अग्रम् १६ (५७), १७ (६२) अचेतनम् ३८ (१४९, १५०) अजरामरम् ३२ (१२१) अज्ञानम् 3 (१०) अतीन्द्रियम् ४४ (१६७), १४ ___ (२३९, २४०), १५ (२४२) अद्वैतदर्शनम् ४६ (१७४) अधर्मः ३२ (११७) अधिदैवतम् 33 (१२३) अनेकान्तः १७ (२५१) अनेकान्तात्मकत्वम् १६ (२४९) अनन्तचतुष्टयः १ (२) अनन्तशक्तिः ५३ (१९६) अनुप्रेक्षा २२ (७९) अन्तःकरणवृत्तिः १७ (६३) अपायः २६ (९८) अपूर्वकरणम् ५८ (२२१) अप्रमत्तः १७ (४६, ४७) अभावः १७ (६४), १८ (६५), ४७ (१७६), १२ (२३४) अभिनिवेशः ५ (१४, १५) । अभिन्नध्यानम् २१ (९७) - अभ्यासः ५८ (२१८) अमूर्तः 3१ (११६), ३२ (१२१), ४१ (१५३), ५० (१८७) अमृतम् ५० (१८४), ५६ (२०७), १० (२२७) अम्बरम् ३२ (११७) अर्थक्रिया १६ (२४९) अर्हत् २७ (१०१), २८ (१०५), 33 (१२८), ५० (१८७), ५१ (१८८, १८९, १९०), ५२ (१९३), ५३ (१९७) अर्हन्मतः २२ (८२) अहँ २८ (१०५), २८ (१०८) * કોંસની બહાર ગુજરાતી લિપિમાં લખેલ એક પ્રસ્તુત પુસ્તકના પૃષ્ઠને અને કસની અંદર દેવનાગરી લિપિમાં લખેલ અંક તેના શ્લોક નંબરને સૂચવે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ તલાનુશાસન अवलंबनम् ४८ (१८१) अवस्था ११ (३९), ५७ (२१५) अविरतसम्यग्दृष्टिः १3 (४६) अविस्पष्टतको ४४ (१६६) अष्टदलं पद्मम् २८ (१०५) अष्टवर्गाः २८ (१०५) अष्टाङ्गं योगसाधनम् १२ (४०) असंख्यप्रदेशः ३८ (१४७) 'अ-सि-आ-उ-सा' २८ (१०२) अस्पृहा 38 (१३९) अहम्-अहङ्कारः ४ (१३), ५ (१५, १६), ६ (२०), ४८ (१७८) ४७ (१७६, १७७), ४८ (१७८, १७९), ५१ (१८८, १८९, १९०, १९१), ५३ (१९६), ६२ (२३१), १३ (२३८), ६६ (२४७) आनन्दः ४५ (१७०) आपूर्य ५० (१८३) आयुधम् ५७ (२१५) आरोग्यम् ५४ (१९८) आर्त्तध्यानम् १० (३४), १२ (४३), ५८ (२२०) आलम्बनम् १६ (५७, ६०), १८ आ आसनम् ५७ (२१४) इन्द्रियः २१ (७६), २२ (७९), ४४ (१६६, १६७), १० (२२७) आकर्षणम् ५७ (२११) आखण्डलः (इन्द्रः) ५५ (२०३) आगमः २3 (८४), २१ (९६, ९८) २८ (१०९), ३७ (१४०) आचार्यः १८ (२५८) आज्ञा २६ (९८) आत्मा ८ (३२), १७ (६२), १८ (६९), २० (७४), ३२ (११७, ११८, १२२), ३८ (१४३, १४४), ३८ (१४६, १४७, १५०),४० (१५२, १५९), ४२ (१६१), ४३ (१६३, १६४), ४४ (१६९), ४५ (१७०, १७२), ४१ (१७३, १७५), उच्चाटनम् ५७ (२११) उत्पित्सुः ३० (११०) उदासीनः-उदासीनम् १८ (६६), ४० (१५२, १५३), ४३ (१६४), ५८ (२२१), 13 (२३८) उपादेयं तत्त्वम् २ (३, ५) Page #90 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ७३ उपाध्यायः ३४ (१३०), १९ (२५८) उपेक्षा ६ (१३९) उपेक्षिता ४० (१५७) ए-ऐ एकः १६ (५७), १७ (६३) एकाग्रम् १६ (५९) एकाग्रचिन्तनम् ११ (३८) एकाग्रचिन्तारोधः १५ (५६), १६ (५७, ५८), १७ (६१) एकाग्रचेतसा २२ (८०) एकाग्रमानसः ५५ (२०४) एकान्तरक्तः १४ (२४८) एकीकरणम् 3१ (१३७) ऐकाग्र्यम् 3८ (१४४), ३८(१४६), ४५ (१७०, १७१, १७२), ४८ कल्पना 38 (१३६) कल्पवासी १० (२२६) कषायः ५ (१७), २१ (७५), ५८ (२२२) कायोत्सर्गः २५ (९३) कालः ११ (३९), २२ (८२), ३२ (११७) कुम्भः ५७ (२१३) कुम्भित्वा ५० (१८३) केवल:-केवलम्-केवलज्ञानम् १७ (६३), 33 (१२६), ३५ (१३४) क्रमाक्रमः ११ (२४९, २५०) क्रियाकारकः ६६ (२५०) क्रियायोगः १२ (४४) क्षमा १५ (५५) क्षयी ३८ (१४९) क्षीरोदधिमयः ५६ (२०८) क्षोणीमण्डलम् २८ (१०६) श्वेडम् ५५ (२०५) कन्दर्पः ५५ (२०५) कर्णिका २८ (१०५) कर्म १ (२), २ (६), ५ (१५), १ (१८), ८ (२९), ४७ (१६४), ५० (१८३, १८७), ५४ (२००), ५६ (२०९, २१०), ५७ (२१६), १० (२२५, २२९), ११ (२३०), १२ (२३१, २३२, २३४), १३ (२३६) गणभृद्लयः २८ (१०६) गरुडः ५५ (२०५) गुरुः २४ (८७), २८ (१०४), 43 (१९६), ५८ (२१८), ६८ (२५६, २५७, २५८) गुहा २५ (९०) ग्रहः ५४ (१९९, २०२) Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ તરવાનુશાસન घातिकर्म १ (२), 33 (१२३), १५ (२४२) च चित्तम् २१ (७७) चिद् ३८ (१४९), ४० (१५३) चिन्ता १५ (५६), १६ (५७, ५८, ६०), १७ (६१, ६३, ६४), १८ (६५), २५ (९४), 36 (१४५, १४६), ४२ (१६०), ४३ (१६२) . चेतनः-चेतना-चैतन्यम् 36 (१४७), ४४ (१६८), १२ (२३४) जैनः ४२ (१६०) जैनेश्वरी दीक्षा १२ (४२) ज्योतिः 33 (१२८), ७० (२५९) ज्योतिष्मत् २७ (१०१), २८ (१०२) ज्ञप्तिः ४३ (१६२) ज्ञाता ४० (१५३) ज्ञानम् १८ (६६), १८ (६८, ६९), २० (७२), २१ (७७), २८ (१०३), ३२ (११८, १२०), 3८ (१४७, १५०),४०(१५२), ४४ (१६८), ४८ (१८१), ५० (१८७), ५४ (१९८), ११ (२३०), १४ (२३९), ७० (२५९) ज्ञानदर्शनलक्षणः ३८ (१४७) ज्ञेयम् ३२ (११८), १३ (२३८) जपः २२ (८०) जातिः ५७ (२१४) जिन:-जिनपतिः-जिनेन्द्रः ७ (२४, २५), ८ (३२), १६ (५८), २२ (८०), २३ (८३), २८ (१०९), ३२ (१२१), १८ (२५८), ७० (२५९) जिनबिम्बम् ३२ (१२१) जिनेन्द्रप्रतिबिम्बम् २८ (१०९) जीवः २ (६), ७ (२५), १२ (४३), ४० (१५२), ११ (२३०), 13 (२३५) तत्त्वम् २ (३), ३० (११०, १११), 33 (१२६) तत्त्वज्ञानम् ५८ (२२१) । तत्त्वानुशासनम् १८ (२५७) तत्त्वार्थाधिगमसूत्रम् १3 (४६) तपः ८ (३०), १२ (४२) तपस्वी २४ (८६) तात्त्विकम् १८ (६८) तापत्रयः २ (३) तुष्टिः ५४ (१९८) Page #92 -------------------------------------------------------------------------- ________________ શબ્દચિ तैजसी धारणा ५० (१८५), ५४ (२०२) त्रिः परीतम् २८ (१०६) द दहनम् ५७ (२१३) दाहज्वरम् ५१ (२०७ ) दिशा ५७ (२१४) दीक्षा १२ (४२), १० (२२८), १८ (२५६) दीक्षागुरु: १८ (२५६ ) दुर्ध्यानम् १० (३४) देवः- देवतामयः ५९ (२०९), ५७ (२१४) देशः ११ (३९) देशविरतसम्यग्दृष्टिः १३ (४६) दैगम्बरी दीक्षा १० (२२८) दोषः २५ (९३) द्युतिः ५७ (२१४) द्रव्यम् १९ (५८), ३० (११०; ११२, ११३), ३२ (११७), ४० (१५२, १५३), ५२ (१९२, १९३) ૩૫ द्रव्यध्येयम् २७ (९९, १००), ३० ( ११०, ११२, ११३), (१३१, १३२) द्रव्यार्थिकनयः १७ (६३), १८ ( ७० ) द्रष्टा ४० (१५३) द्रुति: ५७ (२११) दृष्टादृष्टफलम् ४७ (१८२) द्वेषः ५ (१६), ९ (२१) द्वैतम् ४७ (१७७) ७५ ध धर्मः १४ (५१, ५२), १५ (५३, ५४, ५५ ), ३२ (११७) धर्मध्यानम् ५० (३४), ११ (३६, ३७), १२ (४५), १३ (४६, ४७), १४ (५०, ५१, ५२), १५ (५४, ५५), २३ (८३), ४८ (१८०), ५८ (२२०) धर्मास्तिकायः ८ (३०) धातुपिण्डः ३५ (१३४) धारणा २४ (८७), ५० (१८५), ५३ (१९५), ५४ (२०२), ५७ (२१३) धृतिः ५४ (१९८) ध्याता ११ (३७, ३८), १२ (४५), १३ (४८), १४ (४९, ५०), १८ (७०, ७१), २३ (८५), २४ (८९), ३१ (१३५), ५४ (२००) ध्यातिः १८ (६७), २० (७२) ध्यानम् १० (३३, ३४, ३५), ૧૧ (३६, २७, ३८, ३९), १२ (४४), १३ (४६, ४७, ४८), १४ (४९, ५०, ५१, ५२), १५ (५४, ५५, ५६), १६ (५८, ५९, ६०), १७ (६१), १८ (६५, ६६, ६७), १८ (६८, ७०, ७१ ), २० (७२, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭ તત્વાનુશાસન १३३, ७३, ७४), २१ (७५), २२ (८१, ८२), २३ (८३, ८४, ८५), २४ (८७, ८८, ८९), २५ (९१), २१ (९६, ९७), २८ (१०२, १०३, १०४, १०५), २८ (१०६, १०७, १०९), ३५ (१३२, १३४), ३६ (१३५, १३६, १३८), ३७ (१४०), ३८ (१४१, १४२), ४४ (१६९), ४८ (१८०), ५० (१८४, १८७), ५१ (१८८, १८९, १९०, १९१), ५२ (१९३), ५३ ( १९५, १९६, १९७), ५४ ( १९८, १९९, २००), ५७ (२१६), ५८ (२१७, २१८, २१९,२२०), ५८ (२२२, २२३, २२४), ६० (२२५, २२९), १८ (२५२, २५३, २५५) ध्येयम्-ध्येयवस्तुः ११ (३७, ३८), १८ (७०, ७१ ), २० (७२), २५ (९४), २७ (९९, १०१ ), २८ (१०८), ३२ (११७, ११८, ११९), ३५ (१३१, १३२, १३३, १३४), ३६ (१३५, १३८), ४८ (१८० ) ध्येयतमः ३२ (११७, ११८) न नभः ५० (१८४) नयः ५ (१५), ८ (२६,२९), ३८ (१४१) नश्वरम् ३० (११०) नागसेनमुनिः ६८ (२५६, २५७) नाम ५७ (२१४) नामध्येयम् २७ (९९, १००, १०१), २८ (१०३, १०५), २८ (१०८), ३५ (१३१) निक्षेपः ८ (२६) निग्रहः २१ (७५), ५७ (२११) नियन्त्रणा १७ (६३) निराकारम् ३२ (१२१) निराबाधम् ३२ (१२२), निरोधः - निरोधनम् १५ (५६) १६ (५७, ५८), १७ (६१, ६३, ६४), १८ (६५) निर्जरा - निर्जराहेतुः ७ (२४), ११ (३८), १५ (५६), १० (२२५) निर्धूतकल्मषम् ३२ (१२२) निर्मलीकरण म्५० (१८५) निर्विषीकरणम् ५७ (२११) निश्चयः- निश्चयनयः ८ (२६, २८, २९), ८ (३१, ३२), १८ (७१), २० (७३, ७४), २१ (९६), ३८ (१४१) निष्कलः ३२ (११९) Page #94 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ निःश्रेयः 33 (१२८) नेत्रसंख्या ५७ (२१५) नैरात्म्यदर्शनम् ४६ (१७४, १७५), ४७ (१७६). नैर्जगत्यम् ४६ (१७५) - नोकषायः ५ (१७) पञ्चनमस्कारः-पञ्चनमस्कृतिः २२ (८०), ५० (१८६) पञ्चस्थानम् ५० (१८६) पठनम् २२ (८०) पमम् २८ (१०५) परमशक्तयः मन्त्राः २८ (१०७) परमशान्तिः ३६ (१३९) परमात्मा २२ (८१), 33 (१२८), 3६ (१३६), १५ (२४६) परमार्थनयः ५ (१५) परमेष्ठी २८ (१०२), ३२ (११९), ३७ (१४०) परापरगुरुः १ (१) परालम्बनध्यानम् २५ (९५), २६ परिस्पन्दः १५ (५६) पर्यायः १६ (५८), ३० (११२), ३१ (११४, ११६), ५२ (१९२, १९३) पाश्वनाथः ५४ (२०१) पिण्डसिद्धिः ५० (१८५) पिण्डस्थध्यानम् ३५ (१३४) पिण्डाक्षरम् ५० (१८६) पीयूषमयम् ५० (१८४) पुद्गलः ३२ (११७) पुरुषः ३२ (११७) पुष्टिः ५४ (१९८) पूरणम् ५७ (२१३) पौरुषः १३ (२३६) पौष्टिकम् ५६ (२०८) प्रकाशनम् ६७ (२३५) प्रतिबिम्बम् २८ (१०९) प्रतिमा २७ (१००) प्रत्ययः २४ (८७) प्रदक्षिणम् २८ (१०२) प्रमत्तः १3 (४६) प्रमाणम् ८ (२६), ५७ (२१४), ६७ (२५१) प्रमादः १२ (४२) प्रसंख्यानसमाधिः १७ (६१) प्रातिहार्यः 33 (१२५) प्लवः ५७ (२१३) पराश्रयध्यानम् ३८ (१४१) परिकर्म २४ (८९) परिग्रहः १२ (४१) परिणामः १४ (५२) परिच्छदः ५७ (२१६) Page #95 -------------------------------------------------------------------------- ________________ ७८ તવાનુશાસન म मण्डलम् २८ (१०६, १०७), ५४ (२०१), ५७ (२१३), १३ फलम् ११ (३७, ३८), २० (७३), २८ (१०७), ३४ (१२९), ३६ (१३७), ४५ (१८२), ५३ (१९४, १९५), ५८ (२१७, २१९, २२०), ११ (२३०) बन्धः-बन्धहेतुः २ (४, ६), 3 (७,, ८), १ (१९, २१), ७ (२२, २३), ५८ (२२३), १६ (२४८) बुद्धिः २० (७२) मत्यादिज्ञानम् २८ (१०३) मनः १८ (६८), २१ (७५, ७६, ७७, ७८), २२ (७९), ५८ (२१८) मन्त्रः २८ (१०३, १०४), २४ __(१०७, १०८), ५० (१८४), ५४ (२०१), ५५ (२०४), ५७ (२१३) मन्त्रवादः ५७ (२१६) मन्त्री २८ (१०८), ५४ (२०१) मन्मथः ३१ (१३६) ममकारः ४ (१३), ५ (१४, १६), ६ (२०) ममीभावः ४८ (१७८) मरुत् ५० (१८३) महर्द्धिः ३४ (१३०), १० (२२६) महामण्डलम् ५४ (२०१), ५५ भस्म ५० (१८३) भानुमण्डलम् 13 (२३५) भावः ४६ (१७५), ५७ (२१५) भावध्येयम् २७ (९९, १००), ३० (१११), ३५ (१३१, १३२) भावार्हत् ५१ (१८९) भिन्नध्यानम् २६ (९७) भुक्तिः ५3 (१९६, १९७) भुजसंख्या ५७ (२१५) भूतः ५४ (१९९) भूषणम् ५७ (२१५) भ्रमः 3 (१०) भ्रान्तिः ५१ (१८८) महामन्त्रः २८ (१०४), ५४ (२०१) महामुद्रा ५४ (२०१) महासत्त्वः १२ (४५) महेन्द्रदेवः ६८ (२५६) माध्यस्थ्यम् ३१ (१३८, १३९) माया (हीकारः) २८ (१०६) Page #96 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ७८ मारुती धारणा ५० (१८५) मिथ्याचारित्रम् 3 (८), ४ (११) मिथ्याज्ञानम् 3 (८, १०); ४ (१२), ५ (१६), ६ (२०), . ४३ (१६), (१९, २०), १४ (५२), ८ (१४६), ४४ (१६९), ५८ (२२४), १४ (२४१), १५ (२४४, २४५) मोहनम् ५७ (२११) य यतिधर्मः १५ (५५) यथाख्यातम् (चारित्रम् ) २४ (८६) याथात्म्यम् ३० (१११), ४० __(१५२), १८ (२५५) योगः ५ (१७), १२ (४४), १७ मिथ्यादर्शनम् 3 (८, ९) मिथ्याभिनिवेशः ४३ (१६५) मुक्तात्मा १२ (२३१), १४ (२४०) मुक्तिः -मुक्तिहेतुः ७ (२४), ८ (३०, ३२); १० (३३), १२ (४१), ४६ (१७४), ५3 (१९६, १९७), ५८ (२२४), १२ (२३२) मुखम् १९ (५७) मुखरन्ध्रः २८ (१०४) मुख्यधर्मध्यानम् १3 (४७) मुद्रा ५४ (२०१), ५५ (२०४), ५७ (२१३) मुनिः २६ (९८), ६८ (२५८) मुमुक्षुः १० (३४), ३४ (१२९) मूर्तगुणः ३१ (११६) मोक्षः-मोक्षहेतुः २ (५), ७ (२३), ८ (२८), ८ (३१), १० (२२९), ६१ (२३०), १४ (२४०), ११ (२४७, २४८), १८ (२५२) मोक्षसुखम् ६५ (२४२) मोहः ४ (११, १२, १३), ५ योगी ११ (३७), १७ (६१), १८ (६८), ४२ (१६१), ४५ (१७१), ५६ (२०८), ५८ (२२३, २२४) रत्नत्रयम् ५८ (२२३) रहस्यम् ३८ (१४१) रागः ५ (१६), १.(२१) रेचनम् ५७ (२१३) 'रेफ 'वह्निः ५० (१८३) रोधः १७ (६३) रौद्रध्यानम् १० (३४), १२ (४३) ५८ (२२०) Page #97 -------------------------------------------------------------------------- ________________ નવાનુરાસન विश्लेषः ११ (२३०) लक्ष्यम् ४८ (१८२) विश्वम् १५ (५३), 33 (१२६) लिङ्गम् ५७ (२१४) वीतरागः ३४ (१२९) लेश्या १२ (४५) वीरचन्द्रः १८ (२५६) लोकाग्रशिखरम् ३२ (१२२) वीर्यम् ५७ (२१४), १४ (२३९) वेदकत्वम् ४२ (१६१) वेद्यत्वम् ४२ (१६१) वक्त्रम् ५७ (२१५) वैतृष्ण्यम् 38 (१३९), १४ (२३९) वज्रकायः- वज्रसंहननः - (वज्रऋषभ वैनतेयः १ (१३६) । नाराचसंघयणः) १० (३५), वैराग्यम् २१ (७७), 3१ (१३९). २3 (८४), ६० (२२९) वैश्वानरः ५५ (२०६) वर्णः ५७ (२१५) व्यवहारनयः ८ (२८, २९), ४ वशीकारः ५७ (२११) (३०), २९ (९६), 3८ (१४१) वस्तुः-वस्तुस्वरूपम् १५ (५३, ५४), व्रतम् २१ (७५) ___ ३१ (११५), १८ (२५५) वस्त्रम् ५७ (२१५) वह्निः ५० (१८३) शक्तिः ३४ (१२९) वाङ्मयम् २७ (१०१) शाकिनी ५४ (१९९) वाहनम् ५७ (२१४) शान्तिकम् ५६ (२०८), ५७ (२११) विग्रहम् ३६ (१३५), ५४ (२०१)। शास्त्रम् २२ (८०), २४ (८८), ६८ विजयदेवः ६८ (२५६) (२५६) विज्ञानम् ६८ (२५५) शिलापट्टः २५ (९२) विद्वेषः ५७ (२११) शीतज्वरः ५५ (२०६) विपाकः २६ (९८) शुक्लध्यानम् १० (३४, ३५), ११ विभक्तम् ४७ (१७७) (३६), २३ (८३), ४८ (१८०), विरेच्य ५० (१८३) ५८ (२२०), ५८ (२२१, विवृत्तम् उ० (११३) २२२), १० (२२९) विशुद्धिः ४८ (१८०) शुद्धात्मा ३८ (१४७) Page #98 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ शुभदेवः १८ (२५६) शून्यः ४६ (१७३) शून्यागारः २५ (९०) शून्यीभवं विश्वम् १५ (५३) शून्यीकृत्य (स्वविग्रहम् ) ३१ (१३५) श्रद्धा-श्रद्धानम् ७ (२५), 30 (१४३), ५८ (२१८), १८ (२५५) श्रीः ५४ (१९८) श्रुतम्-श्रुतज्ञानम् १० (३५), १४ (५०), १८ (६६), १८ (६८), २३ (८५), 3८ (१४४) श्रुतदेवता १८ (२५४) श्रेणीः १० (३५), १४ (५०), २३ (८३, ८४) श्रौती भावना 3८ (१४५) समता १ (१३९) समरसीभावः ३१ (१३७), ५७ (२१२) समाधिः १७ (६१), ३६ (१३७), ४४ (१६९), ४८ (१७९) सम्यक्चारित्रम् ७ (२४), ८ (२७), १४ (५१) सम्यक्त्वम् ८ (३०), ३२ (१२०) सम्यगन्यापोढात्मदर्शनम् ४६ (१७४) सम्यग्ज्ञानम् ७ (२४), ८ (२६), १४ (५१), ३४ (१३०) सम्यग्दर्शनम् ७ (२४, २५), १४ षट्कारकमयः २० (७४) षड्विधं द्रव्यम् ३२ (११७) सर्वगीर्वाणवन्दितः १ (२) सर्वज्ञः १ (२) सङ्गत्यागः २१ (७५) संपृक्तम् ४७ (१७७) संयमः १२ (४२) संवरः ७ (२४), ११ (३८), १५ (५६), १० (२२५) संवित्-संवित्तिः १७ (६४), १८ (६५), १ (१३६), ४३. (१६२), ४४ (१६७) संवेदनम् ४२ (१६०, १६१) संशयः 3 (१०) संसारः 3 (७), १२ (२३२) संस्कारः ३८ (१४४) संस्थानम् २६ (९८), ५७ (२१४) सकलीकरणम्-सकलीक्रिया ५० (१८६), ५४ (२०१), ५७ सध्यानम् १० (३४), ९८ (२५२) सप्तमहद्धिः ३४ (१३०) सप्ताक्षरमहामन्त्रः २८ (१०४) Page #99 -------------------------------------------------------------------------- ________________ તરવાનુશાસન स्थैर्यम् २४ (८८), ३५ (१३३) स्पर्शः ५७ (२१५) स्फटिकः ५१ (१९१) स्मृतिः १६ (५७) स्याद्वादी १६ (२४७) स्वरः ५७ (२१५) स्वर्गः-स्वर्गापवर्गः १८ (६६), ३४ . (१२९), ६५ (२४६) स्वरूपनिष्ठः ४५ (१७१) स्वरूपालम्बनध्यानम् २५ (९५), २६ साकारः ३२ (१२१) साधुः २२ (७९), ३४ (१३०) सामग्रीः १3 (४८), १४ (४९), २१ (७५) साम्यम् 3१ (१३९), ४३ (१६३) सांसारिक सौख्यम् १५ (२४३) सिद्धः-सिद्धरूपः ३२ (११९), 36 (१४७), ५० (१८७), ५3 (१९७), ६८ (२५८) सिद्धात्मा ३२ (१२२) सिद्धिः ३८ (१४६), ६८ (२५७, २५८) सुखासीनः २५ (९२) सुधामयः ५६ (२०७) सूक्ष्मज्ञानम् ४८ (१८१) सूरिः ३४ (१३०) सौष्ठवम् २४ (८७) स्तम्भनम् ५५ (२०४), ५७ (२११) स्थापनाध्येयम् २७ (९९, १००) स्थास्नुः ३० (११०) स्थूलवितर्कः ४८ (१८२) स्वरूपावस्थितिः १२ (२३४) स्वात्मालम्बनध्यानम् ३८ (१४१) स्वाध्यायः २२ (७९, ८०, ८१) 'ह 'कारः २८ (१०७) 'ह'मन्त्रः ५० (१८४) हेयतत्त्वम् २ (३, ४) हृत्पङ्कजः २८ (१०२) Page #100 -------------------------------------------------------------------------- ________________ ri c Page #101 -------------------------------------------------------------------------- ________________ Page #102 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાનાં પ્રકાશનો (પ્રયોજક : શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશી) 1 શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા, ભાગ પહેલો (બીજી આવૃત્તિ) - રૂા. 5 * 0 0 2 શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા, ભાગ બીજો રૂા. 5 * 00 3 શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા, ભાગ ત્રીજો રૂા. 5* 00 4 શ્રી પ્રતિકમણની પવિત્રતા (બીજી આવૃત્તિ-અપ્રાપ્ય) રૂા. 0 * 37 5 શ્રી પંચપ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધટીકાનુસારી) | શબ્દાર્થ, અર્થ-સંકલના તથા સૂત્ર-પરિચય સાથે (અપ્રાપ્ય) રૂા. 2* 00 6 શ્રી પંચપ્રતિક્રમણ-સૂત્ર હિંદી (પ્રબોધટીકાનુસારી) શબ્દાર્થ, અર્થ-સંકલના તથા સુત્ર-પરિચય સાથે (અપ્રાથ) રૂા. 2 + 0 0 છ સચિત્ર સાથે સામાયિક-ચૈત્યવંદન. (પ્રબોધટીકાનુસારી-અપ્રાપ્ય) રૂા. 0 * 50 8 યોગદીપ (પ્રાચીન ગુજરાતી બાલાવબોધ અને અર્વાચીન ગુજરાતી અનુવાદ સહિત) રૂા. 1 * 50 9 દયાનવિચાર (ગુજરાતી અનુવાદ સાથે) 10 નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ-ગુજરાતી અનુવાદ સાથે) રૂા. 20 * 00 11 તવાનુશાસન (ગુજરાતી અનુવાદ સાથે) રૂા. 1 * 00 12 ઋષિમંડલસ્તવયત્રાલેખન (ગુજરાતી અનુવાદ તથા યત્ર સાથે) રૂા. 3 * 0 0 છપાય છે : 13 નમસ્કાર સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) 14 નમસ્કાર સ્વાધ્યાય (અપભ્રંશ—હિંદી-ગુજરાતી વિભાગ) 15 જિનાભિષેકવિધિ 16 માતૃકા પ્રકરણ : 17 સિદ્ધમાતૃકાધર્મપ્રકરણ 92 A Comparative Study of the Jaina Theories of Reality and Knowledge