SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધ્યાય આજ્ઞા, અપાય વિપાક અને લોક્ના સંસ્થાનને મુનિ આગમને અનુસારે સ્થિરચિત્તથી ચિંતવે. ॥ ૯ ॥ ૯૮ ॥ નામાદિ ચતુર્વિધ ધ્યેય नाम च स्थापनं द्रव्यं भावश्चेति चतुर्विधम् । समस्तं व्यस्तमप्येतद्धेययमध्यात्मवेदिभिः ।। १० ।। ९९ ॥ નામઘ્યેય, સ્થાપનાધ્યેય, દ્રવ્યધ્યેય અને ભાવધ્યેય એમ ધ્યેય ચાર પ્રકારનું છે. અધ્યાત્મના જાણકાર મહાત્માઓએ એનું (ચતુર્વિધધ્યેયનું) ભેગું અથવા પ્રત્યેકનું જુદું જુદું ધ્યાન કરવું જોઈ એ. ॥ ૧૦ ॥ ૯૯ ॥ वाच्यस्य वाचकं नाम प्रतिमा स्थापना मता । गुणपर्ययवद् द्रव्यं भावः स्याद् गुणपर्ययौ ॥ ११ ॥ १०० ॥ વાચ્ચ-અભિધેય પદાર્થના વાચક શબ્દને નામ અને પ્રતિમાને સ્થાપના કહેવાય છે. ગુણ અને પર્યાયવાળું તે દ્રવ્ય છે; અને ગુણ અને પર્યાય તે ભાવ છે. ।। ૧૧ | ૧૦૦ | નામ ધ્યેય आदौ मध्येऽवसाने यद्वाङ्गमयं व्याप्य तिष्ठति । हृदि ज्योतिष्मदुद्गच्छन्नामध्येयं तदर्हताम् ॥ १२ ॥ १०१ ॥ ૨૭ જે (વાડ્મય–સર્વશાસ્ત્રની) આદિમાં, મધ્યમાં અને અંતમાં એમ સકલ વાડ્મયને વ્યાપીને રહેલું છે; તે જ્યોતિર્મય અને ઊર્ધ્વગામી એવા શ્રી અરિહંત ભગવંતના નામનું હૃદયમાં ધ્યાન કરવું જોઈએ. (ધ્યેયનામ – ‘ અરિહંત ', ‘૪ ’વગેરે) | ૧૨ || ૧૦૧ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001517
Book TitleTattvanushasan
Original Sutra AuthorNagsen
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1961
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy