Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 217
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગુરૂ ૩.ઉપસ્થાપના(વડીદિક્ષા) ગુરૂ ૪. શ્રુતગુરૂ. મહાવીર સ્વામીનો જીવ એકવીશમેં ભવે મનુષ્ય હતો અંતે બાવીશમેં ભવે ચક્રવર્તિ થયેલ છે. તે દેવભદ્રકૃત વી૨ ચરિત્રમાં આશ્ચર્ય ગણેલ છે. પાત વીર ચરિત્રે સુર નર તિર્યંચ એવા દરેક પાંચ પાંચ ભવો કરી બોધી બીજને પામી જમાલી મોક્ષે જશે. ભામંડલ લવ-કુશ સીતા લક્ષ્મણ રાવણ વિગેરેના ભવો તથા સીતા ચક્રવર્તિ રાવણ લક્ષ્મણ તેનાં બન્ને પુત્રો થશે. લક્ષ્મણ તીર્થંકર સીતા ગણધર રાવણ તીર્થંકર વિગેરે છાપેલી પ્રતે પત્ર ૩૩૩ થી ૩૩૪ સુધી ગાથા ૪૦ થી ૮૧ સુધી જુઓ. પઉમચરિય વસ્તુપાલ ચરિત્રે. એકવાર નગરના લોકોએ વસ્તુપાળને કુશળતાના સમાચાર પુછતા ઉત્તર આપ્યો કે - નિરંતર આયુષ્ય ચાલ્યુ જાય છે, માટે અમને કુશળતા ક્યાંથી હોય. વસુદેવ ચરિત્રે. બળદેવ- ચક્રવર્તિ, ભુવનપતિ વ્યંતર જ્યોતિષિ અને વૈમાનિકમાંથી નીકળીને થાય છે, અને અરિહંત તથા વાસુદેવ વૈમાનિક દેવગતિમાંથી થાય છે, નાગકુમારમાથી નીકળેલા જીવ કોઈક ભવનો આંતરો કર્યા સિવાય તુરત બીજા ભવમાં જ ઐરવતક્ષેત્રને વિષે આજ અવસર્પિણી કાળને વિષે જિનેશ્વર થાય છે. નરકમાંથી નીકળીને પણ તીર્થંકર થાય છે. પાંડવ ચરિત્રે. Jain Education International ૧૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262