Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 245
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે, તે કેમ? ૭. ભગવતી સૂત્રમાં કહેલું છે કે, શ્રાવક હોય તે ત્રિવિધ ત્રિવિધે કર્માદાનના પચ્ચખાણ કરે, અને ઉપાસક દશા સૂત્રમા, આણંદ શ્રાવકે અમુક હળો, મોકળા રાખ્યા તે કેમ? ૮.સલપુત્ર કુંભાર શ્રાવકે , નિંભાડા મોકળા રાખ્યા, તે કેમ, ભગવતી સૂત્રે. ૯. પન્નવણા સૂત્રમાં, વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્તની કહી છે, અને ઉત્તરાધ્યયન સૂત્રમાં, અંતરમુહૂર્તની કહી છે, તે કેમ? ૧૦. ભગવતી સૂટમાં બીજે શતકે, પ્રથમ ઉદેશે, ખંધને અધિકારે, ૧૨ પ્રકારના બાળ મરણ કરતો અનંતા, નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતાઓના ભવોને કરે છે, અનાદિ અનંત ચાર ગતિમાં રઝળે, તેમાં બારમાં વૈહાસન મરણ, તથા ગૃધ્રપૃષ્ટ મરણ કહ્યા છે, અને ઠાણાંગસૂત્રે, બીજે ઠાણે, ચોથે ઉદેશે એહીજ બે મરણની, કારણે કરી છે તે કેમ? ૧૧. ભગવતી સૂત્રમાં મહાબળ, ચૌદપૂર્વી બ્રહ્મદેવલોકે ગયા કહેલ છે, ને ઉવવાઈ સૂત્રમાં કહેલું છે કે, લાતંકથી હેઠા ન જાય, તે કેમ? ૧૨. ઉત્તરાધ્યયન સૂત્રે, ૩૬ મેઅધ્યયને, પલાંડુ લસણ, કંદ, અનંતકાય, કહેલ છે, તથા પન્નવણા સૂત્ર પ્રથમ પદે લસણ પ્રત્યેક કહેલ છે, તે કેમ ? ૧૩. પન્નવણા સૂત્રમાં, ચાર ભાષા, બોલતો આરાધક કહેલ છે, અને દશવૈકાલિક સૂત્રે સાતમા અધ્યયને બે ભાષા બોલવીકહેલી છે, તે કેમ? ૧૪.દશવૈકાલિક સૂત્ર ૮ મેં અધ્યયને કહ્યું છે કે, હાથ પદ છેદયા હોય, નાક કાન કાપ્યા હોય, સો વરસની ડોશી હોય, તો પણ બ્રહ્મચારી તેને વર્ષે, અને ઠાણાંગ સૂત્રના પાંચમાં ઠાણામાં બીજે ઉદેશે, સાધુ પાંચ પ્રકારે સાધ્વીને ગ્રહે, અવલંબતો આજ્ઞા અતિક્રમ ન કરે તે કેમ ? ૧૫. ઉત્તરાધ્યયન સૂત્રે, બીજે અધ્યયને, રોગ આવ્યે, ઔષધ ન ૧૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262