Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 240
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૧ કેટલાયેક લોકો ભગવાનની સ્થાપના માનવામાં મનાઈ કરે છે અને પોતાના ફોટાઓ પડાવે છે, ૨ ભગવાનની પૂજામાં હિંસા બતાવે છે અને પોતાનો ફોટો પડાવી ઘણી તેઉકાય અપકાયની વિરાધના કરે છે. ૩. ચોમાસામાં પોતાના દર્શન કરવા નિમિત્તે પોતાના ભક્તલોકોને લાભ બતાવે છે અને ભગવાનની પૂજાનો નિષેધ કરે છે. ૪. સમ્યક્ દષ્ટિ એકાવતારી સૂર્યાભદેવે મોક્ષ માટે જિન પ્રતિમાની પૂજા કરી છે એવું રાયપણી સૂત્રમાં છે. . ૫. શ્રી ઠાણાંગ સૂત્ર વિગેરે મૂળ આગમોમાં રૂધીર પેશાબ વિષ્ટા વિગેરે અછૂચીવાળી જગ્યા પર સૂત્રાદિકના પાઠ કરવાની મનાઈ કરી છે. ૬. કેટલાક દિક્ષા વખતે અને મરેલા ગુરૂ મડદાનો મહોત્સવ કરે છે.અને જિનપૂજાનો નિષેધ કરે છે. ૭. અનુયોગદ્વાર સૂત્રમાં તીર્થરૂપ સિદ્ધશિલા તલ ઉપર અણસણ કર્યાની વાત છે. અને તેના પર આરાધનની સિદ્ધિ બતાવી છે. ૮. શાસ્ત્રમાં પૂર્વભવના શરીરને અને મુનિયોના અંતકાલના શરીરને કલેવરનો ઉત્સવ કરવાનો અધિકાર દેવતાને માટે છે.તેતો કેટલાક લોક કરે છે અને ભગવાનના તીર્થયાત્રાદિક મહોત્સવને કરતા નથી. ૯. સ્થાપના આકારને નહિ માનનારા લોકોને સહી દસ્તાવેજ નોટો ચોપડા વિગેરે નહિ માનવા જોઈએ અને તેના સાધુયે પણ પુસ્તક આગમ વાંચવા જોઈએ નહિ કારણ કે તે પણ આકાર છે. ૧૦.સાધુયે લાવેલા પાણીમાં માખી કરોલિયા પડી જાય તો તેને સાધુ બહારમાઢે છે તો દોષ નહિતો ફેર શ્રાવકલોક બીજા જીવોને બચાવે તેમાં દોષ કેવી રીતે હોય. ૧૧.ઠાણાંગસૂત્રમાં કહેલું છે કે –દેવની સ્તુતિ કરનારા જીવો સુલભ બોધિ થાય છે અને તેની નિંદા કરનારા દુર્લભબોધિ કરનારા થાય છે. ૧૨ કેટલાક લોકો સ્ત્રિયોનો ફોટો દેખવાથી કામવિકાર ઉત્પન્ન ૧૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262