Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 235
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બદલે મીઠું લાવે તો ખાઈ જાય ન ખવાય તો સંભોગીકને વહેંચી આપે ૧૬૦.શ્રી આવશ્યક સૂત્રમાં કહેલ છેકે રસ્તામાં નદી આવે તો સાધુ ઉતરે. ૧૬૧ શ્રી આવશ્યક સૂત્રમાં કહેલ છે કે સાધુ-મૃગ પૃચ્છામાં સિવાય જુઠું બોલે. ૧૬૨. શ્રી સુયગડાંગ સૂત્રના નવમાં અધ્યયનમાં કહ્યું છે કે મૃગપૃચ્છા સિવાય સાધુ જાઠું બોલે નહિ. ૧૬૩. શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણે સાધુસાધ્વીને પકડી લે એમ કહ્યું છે. તેમાં નદીમાં તણાઈ જતી સાધ્વીને સાધુએ બહાર કાઢવી એમ કહેલ છે. ૧૬૪. ભગવતીસૂત્રમાં કહેલું છે કે શ્રાવક સાધુને અસુજતો અને સચિત આહાર આર પ્રકારનો દેતા અલ્પ પાપ અને નિર્જરા કરે છે. ૧૬૫. શ્રી ઉવવાઈ સૂત્રમાં કહેલ છે કે સાધુ શિષ્યની પરીક્ષા માટે દોષ લગાડે. ૧૬૬.શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહે છે કે- સાધુ પડિલેહણા કરે તો તે કાર્યમાં અવશ્ય વાયુકાયની હિંસા થાય છે. ૧૬૭. શ્રી બૃહત્કલ્પમાં ચરબીનું વિલેપન કરવું લખે છે. ૧૬૮.શ્રી બૃહત્કલ્પમાં વિશિષ્ટ કારણે સાધ્વીને પકડી લેવી કહેલ ૧૬૯. શ્રી જ્ઞાતાસૂત્રમાં કારણે સુબુદ્ધિ પ્રધાને રાજાને સમજાવવા માટે ખાઈનું ગંદુ પાણી સારૂ કર્યું છે. ૧૭૦.મલ્લીનાથ મહારાજે છે રાજાને પ્રતિબોધ નિમિત્તે મોહનું ઘર કરાવ્યું છે. તથા પોતાના ઉપર મોહ ટાળવા નિમિત્તે પોતાના સમાન મનોહર પુતલી બનાવીને તેમાં દરરોજ આહારના કોળીયા નાખ્યા તેથી તેમાં હજારો ત્રસજીવોની ઉત્પત્તિ તેમજ વિનાશ થયેલ છે. - ૧૭૧.શ્રી ઉવવાઈસૂત્રમાં કોણિક રાજાએ ભગવાનની ભક્તિ નિમિત્તે મહાઆડંબરે સામૈયું કર્યું છે. ૧૭૨. શ્રી કોણિક રાજાએ દરરોજ ભગવંતના ખબર મંગાવવા M૧૮૬) ૧૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262