________________
વિશ્વકલ્યાણની વાટે રચાયેલ કમિશને કહ્યું કે, વિદ્યાર્થીઓના જ્ઞાનનો ક્યાસ (મૂલ્યાંકન) તેમના માર્ક્સ પરથી આવી શકે નહીં. વધુ માર્ક્સ મેળવવાની રેસમાં વાલીઓ અને શિક્ષકો સ્કૂલોમાં ભણતાં ભૂલકાંને શિક્ષણના બોજા હેઠળ કચડી રહ્યા છે. આપણી પરીક્ષા પદ્ધતિની સૌથી મોટી ખામી એ છે કે વિદ્યાર્થી અહીં પરીક્ષાર્થીની ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બન્નેની બરાબરની ભાગીદારી હોય છે. પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીને પાસ કે નાપાસનો સ્ટેમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે. આજની પરીક્ષાનો હેતુ હવે પાસ થવા પૂરતો જ મર્યાદિત નથી રહ્યો, તે વધુ મા મેળવવાની રેસ બની ગઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)માં દર વર્ષે છ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી કેટલાક ડિપ્રેશન અને માનસિક બીમારીઓનો ભોગ બને છે અને ૪૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે આપઘાત કરે છે, એટલું જ નહીં, ૯૨ ટકા માર્ક્સ મળવાથી જ સારી કૉલેજમાં ઍમિશન મળશે એવી ગ્રંથિથી ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી હતાશામાં જીવનનો અંત આણે છે. જો આપણે વિદ્યાર્થીનિ સ્ટ્રેસ-હતાશા અને તાણના સકંજામાંથી છોડાવવો હોય તો પરીક્ષા પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનો છે એ વળગણમાંથી બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓ પર માત્ર બોજો બની રહેલ દસમા ધોરણની પરીક્ષા પદ્ધતિ પુનઃ વિચારણા માગી લે છે.
વિદ્યાલયો અને કૉલેજ કે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં અને છાત્રાલયોમાં રેગિંગની ઘટનાઓ પણ એક ભયંકર દૂષણ છે. રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ તાણ, હતાશા કે ડિપ્રેશનનો ભોગ બને છે. જીવનથી વિમુખ થવાના પણ કેટલાક કિસ્સાઓ બન્યા છે. સંસ્થાના સંચાલકોએ કડક હાથે કામ લઈ આ શરમજનક વિકૃતિને ડામી દેવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના માનવસંસાધન સચિવાલય રેગિંગ અટકાવવા એક હેલ્પલાઈન શરૂ કરી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની રેગિંગ અંગેની ફરિયાદ ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકશે. Helpline Dantiragging.net પર તંત્ર કે પોલીસની મદદ માટે ઈ-મેઈલ કરી શકશે.
શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિવાદમાં આપણે દાયકાઓથી ફસાયેલા છીએ. અંગ્રેજી માધ્યમનો પાયો નાખનાર મેકોલને તો અંગ્રેજી માટે બાબુઓ પેદા કરવામાં રસ હતો. શિક્ષણચિંતકોએ માતૃભાષાને આંખ અને અંગ્રેજી ભાષાને ચશ્માં સાથે સરખાવી છે. માતૃભાષામાં માના ધાવણ જેવું બળ અને પવિત્રતા છે. માતૃભાષામાં બાળકે ગોખણપટ્ટી નહીં કરવી પડે. તે સહજ રીતે ભણી શકશે.
૨૭
કાકા વિશ્વકલ્યાણની વાટે કામ કરી
ઉત્તમ અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી શીખવા સામે વિરોધ ન હોઈ શકે. ભારતવર્ષમાં અંગ્રેજી સાથે અંગ્રેજિયત આવે તેની સામે વિરોધ હોવો જ જોઈએ. દરેક રાજ્યનો વહીવટ જે તે પ્રદેશની પ્રાંતીય ભાષામાં ચાલે. સાથે પ્રાંત અને દેશનો વહીવટ રાષ્ટ્રભાષા હિંદીમાં ચાલે તે વાત વ્યવહાર છે. વિશ્વનાં ૧૮૦ રાષ્ટ્રોમાંથી માત્ર ૧૨ રાષ્ટ્રમાં અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે. ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ઈઝરાયલ અને જાપાન જેવા દેશો પોતાની રાષ્ટ્રભાષામાં જ વ્યવહાર કરે છે. તોય વિજ્ઞાન ટેકનૉલૉજીના ક્ષેત્રે એ રાષ્ટ્રો આગલી હરોળમાં છે.
સમાજે બાળકોમાં રહેલી લર્નિંગ ડિસએબિલિટી-સ્સો લર્નર (ડિસલેક્સિયા) અને હાઈપર એક્ટિવ (બિહેવિયર ડિસઑર્ડર)ની અતિશય ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સરકારે પ્રાથમિક કક્ષાએ શાળાઓમાં આના સક્રીનિંગ કૅમ્પ, નિદાન શિબિર યોજી, આવાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં શિક્ષણ આપવાની દરેક જિલ્લાઓમાં સગવડ કરવી જોઈએ.
- શિક્ષણસંસ્થાઓનું વ્યાવસાયીકરણ અને વૈશ્વિકીકરણ માટે સરકારે વિવેક્યુક્ત નીતિ ઘડવી પડશે, જેથી ગ્લૉબલાઈઝેશનના શિક્ષણ ક્ષેત્રમાં લાભ મળે અને અનિષ્ટોથી દૂર રહેવાય.
શિક્ષણચિંતક મોતીભાઈ પટેલ કહે છે કે, “આજનો શિક્ષક ગુરુ બનવાની અને વિદ્યાર્થી શિષ્ય બનવાની હેસિયત જ ખોઈ બેઠો છે. પહેલાં ગુને મન અધ્યાપન એ આનંદ હતો. આજે તો એ વ્યવસાય બની ગયો છે. શિક્ષણસંસ્થાઓ માનવઉછેરના ઉપવન બનવાને બદલે કારખાનાં બની ગઈ છે.”
- શિક્ષણમાં અનામત પ્રથાના રાજકારણનાં કડવાં ફળ આપણે આરોગી રહ્યાં છીએ. ઉચ્ચ વહીવટી ક્ષેત્રમાં ભ્રષ્ટ અને અનૈતિક અમલદારો આપણને કોણે આપ્યા ? આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચડવાના સાધન તરીકે નહિ, પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે.
શિક્ષણ એ માનવહક્ક છે. માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સરકાર અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે.
આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સરકારવાનું કામ લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારિબાપુએ પોતાના ગામમાં શિક્ષણસત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કૅસેટો અર્પણ ક્યાં હતાં. એ કાર્ય વિદ્યાજગતની અપૂર્વ ઘટના ગણાય.
૨૮ ૯