Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 51
________________ વિશ્વકલ્યાણની વાટે કાઢવો. તેના પછી જમણાથી લઈ ડાબા નસકોરાથી બહાર કાઢવો. પૂરક-કુંભકરેચક વેગપૂર્વક વારંવાર કરવામાં આવે છે. પૂરક કર્યા પછી ભાવના કરવી કે મસ્તકના ફુવારા પાસે ઉત્સર્જિત પ્રવાહનો સ્ફુલિંગ ઉપર જઈને પેરાહરલ કાર્નેક્સમાં આવેલ કેન્દ્ર સાથે અથડાઇને તેને જાગૃત તથા પ્રકાશવાન બનાવે છે. શ્વાસ બહાર કાઢતી વખતે બધી ફુકલ્પનાઓ વેગપૂર્વક બહાર નીકળી રહી છે એવી ભાવના કરવી જોઈએ. આ પ્રાણાયામથી સારા વિચાર, સારી કલ્પનાઓ તથા શ્રેષ્ઠ ચિંતન પેદા થાય છે તથા આપણી અંદર રહેલું ખરાબ ચિંતન દૂર થઈ જાય છે. પ્રાણાયામ યોગક્રમાંક ૩ અવસાદ, નિરાશા, કાયરતા તથા ડરપોક મન:સ્થિતિવાળા લોકોએ આ પ્રાણાયામ કરવો જોઈએ. આમાં પ્રથમ જમણા નસકોરાથી (સૂર્યનાડી) શ્વાસ ખેંચવો તથા તેની સાથે જ એવું ધ્યાન કરવું જોઈએ કે આશાવાદી તથા પ્રસન્નતાદાયક વિચાર બ્રહ્માંડમાંથી પોતાની અંદર શ્વાસ સાથે પ્રવેશી રહ્યા છે. કુંભક દરમિયાન કલ્પના કરવી કે આ પ્રાણપ્રવાહ મગજની મધ્યમાં હાઈપોથેલેમસમાં રહેલ કેન્દ્રોને પ્રકાશિત અને પ્રાણવાન બનાવી રહ્યો છે. એવી પ્રબળ ભાવના કરવી કે ઝડપથી આવનાર આ સચિંતન મનમાં અડ્ડો જમાવી બેઠેલ અવસાદને જડમૂળમાંથી ઉખાડી રહ્યું છે. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ થઈ રહ્યું છે અને છેવટે અવસાદ પેદા કરનારું ચિંતન ડાબા નસકોરા દ્વારા રેચકની સાથે બહાર નીકળી રહ્યું છે. આ અભ્યાસ વારંવાર કરવો. - પ્રાણાયામ યોગક્રમાંક * આ પ્રાણાયામ આતુરતા, ઉતાવળ તથા અધીરાઈની મનઃસ્થિતિવાળા લોકોએ કરવો જોઈએ. આમાં ડાબા નસકોરાથી પૂરક કરી રેચક પણ ડાબી બાજુથી જ કરવાનો છે. ડાબા નસકોરાથી એટલે કે ચંદ્રનાડી દ્વારા શાંતિદાયક, ધીરજ આપનાર, બધી વ્યગ્રતા, તણાવ તથા બેચેનીને દૂર કરનારા સદ્વિચારો બ્રહ્માંડના પ્રાણ મહાસાગરમાંથી ખેંચીને, મસ્તકની મધ્યમાંથી પેદા થતા સ્નાયુ સ્ફુલ્ડિંગ પ્રવાહની સાથે એમગ્લેડાઈટ બોડીમાં (પિચ્યુટરી ગ્રંથિ) રહેલાં કેન્દ્રોને જાગૃત કરી પ્રકાશવાન બનાવી રહ્યાં છે. તેનાથી પેદા થતા વિદ્યુતપ્રવાહના સ્ફુલિંગો આતુરતાને જન્મ આપનાર વિચારોને ડાબા નસકોરા દ્વારા જ રેચક વખતે બહાર કાઢી રહ્યા છે. આ ચિંતન દરેક પ્રાણાયામ વખતે કરવું જોઈએ તથા દરેક વખતે તેનો વધારે પ્રચંડ સંકલ્પ કરવો જોઈએ. - ૯૩ વિશ્વકલ્યાણની વાટે પ્રાણાયામ યોગક્રમાંક ૫ અપરાધી મનોવૃત્તિવાળી તથા સતત અયોગ્ય ચિંતન કરનારી વ્યક્તિઓએ આ પ્રાણાયામ કરવો જોઈએ. - આમાં જમણા નસકોરાથી શ્વાસ લેવો, સાથે ભાવના કરવી કે સદ્વિચારો ખૂબ જોરથી અંદર ખેંચી રહ્યા છીએ. કુંભક વખતે ભાવના કરવી કે મનની અચેતન પ્રવૃત્તિઓમાં જે દુર્ગુણો વ્યાપેલા હતા તેમને શાંત કરનાર પ્રાણપ્રવાહ મધ્ય મગજમાંથી ઉપરનાં વાદળોની જેમ ફેલાય છે. તે લિમ્બિક સિસ્ટિમમાં રહેલાં કાર્નેક્સની નજીક રહેલા ન્યૂકલાઈને ઉત્તેજિત, જાગૃત તથા અભિસંચિત કરે છે. દરેક વખતે શ્વાસ ખેંચતી વખતે અંદર આવેલા વિચારો એટલા દૈવી અને શુભ છે કે ખરાબ વિચાર હવે ત્યાં ટકી શકે તેમ નથી. દરેક વાર શ્વાસ બહાર કાઢતી વખતે જમણા નસકોરા દ્વારા જ એ ખરાબ વિચારોને બહાર કાઢી નાખવાની ભાવના કરવી. દરેક વખતે શુભ ચિંતનને મસ્તકમાં છવાયેલું તથા અશુભ ચિંતનને ભાગી જતું જોવાની કલ્પના પ્રબળતાથી કરવી જોઈએ. આ સંદેશ એટલો પ્રાણવાન હોવો જોઈએ કે પ્રાણાયામ પૂરો થતાંની સાથે આપણને એવું લાગવા માડે કે આપણી અંદરથી બધી આક્રમક તથા કામુક વૃત્તિઓ જતી રહી છે અને દૈવી વૃત્તિઓ જાગ્રત થઈ રહી છે. પ્રાણાયામ યોગક્રમાંક અલ્પમંદતા (બુદ્ધિ મંદ હોવી તે) અને આત્મહીનતાવાળા, અસ્તવ્યસ્ત વિચારવાળા લોકોએ પોતાની બુદ્ધિને પ્રખર અને તીક્ષ્ણ બનાવવા આ પ્રાણાયામ કરવો જોઈએ. આ પ્રાણાયામમાં નાક બંધ કરવા હાથનો ઉપયોગ કરવાનો નથી. શાંત સ્થિતિમાં બેસીને બંને નસકોરાંથી ઝડપથી શ્વાસ અંદર ખેંચીને મંથન તથા પ્રાણશક્તિના આવાગમનની ભાવના કરવી. મસ્તિષ્ક પટલ પર આ વિદ્યુતપ્રવાહોને દોડતા તથા મેધા (બુદ્ધિ) સંબંધી કેન્દ્રોને જાગૃત કરતાં હોય એવી કલ્પના જોવી. ભાવના કરવાની કે દરેક વખતે બંને નસકોરાં દ્વારા ખેંચવામાં આવેલો પ્રાણપ્રવાહ ઝડપથી પ્રિન્ટલ લોનનાં કેન્દ્રો સાથે અથડાય છે તથા એમને પ્રકાશવાન બનાવે છે અને રેચક વખતે બંને નસકોરાં દ્વારા પરત આવતો રહે છે. બીજી વાર તે બમણા વેગથી બમણી શક્તિ લઈને આવે છે અને મસ્તકના અગ્રભાવને પ્રકાશથી ભરી દે છે. બુદ્ધિ પ્રખર થવાની, પોતાની લઘુતાગ્રંથિ દૂર થવાની, પોતે શ્રેષ્ઠ, ૯૪

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75