Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ વિશ્વકલ્યાણની વાટે બુદ્ધિમાન અને અત્યંત મનસ્વી બનવાની કલ્પના દરેક પ્રાણાયામ સાથે પ્રબળતાપૂર્વક કરવી. વારંવારના આ અભ્યાસથી સ્નાયુપ્રવાહ સક્રિય બનતો જાય છે. આમ સાંપ્રત જીવનની કેટલીક મનોરોગની સમસ્યાઓ પ્રાણાયામથી ઉકેલી શકાય છે. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં યોગ નિયમિત રીતે કરતા રહેવું જોઈએ. યોગ પ્રતિ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ. આ વિષયનું ક્રાંતિકારી શહીદ બિસ્મિલની જીવનની એક ઘટનાથી સમાપન કરીશું. શહીદ રામપ્રસાદ બિસ્મિલને ફાંસીની સજા કરવામાં આવી હતી. જેલરે કહ્યું કે કાલે આ સમયે તમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. નિયત સમયે જેલર ફાંસી માટે તેને લેવા તેની કોટડી પર પહોંચ્યા ત્યારે રામપ્રસાદ યોગપ્રાણાયામ અને પ્રભુપ્રાર્થનામાં લીન હતા. જેલરે પૂછ્યું કે હમણાં તો તારે મરવાનું છે તો આ યોગનો શો અર્થ ? રામપ્રસાદે જવાબ આપ્યો કે, મારે મરવાનું છે તે મને ખબર છે તેથી જ હું આજે ૧૦ મિનિટ વધુ યોગ કરવા માગું છું, એટલા માટે કે મરવાના અંતિમ સમયે મારું મનોબળ નબળું ન પડે. પ્રભુને પણ લાગે કે તેમની પાસે હાલતો-ચાલતો સ્વસ્થ માનવી શહીદ થઈને આવ્યો છે. જેલર તેમને સેલ્યૂટ મારવા પોતાની જાતને રોકી શક્યો નહીં. આ હતી ઈશ્વર અને યોગ પ્રતિ તેની શ્રદ્ધ ૯૫ ૨૪ વિશ્વકલ્યાણની વાટે ભારતીય ગુરુ પરંપરાના સંદર્ભ : સદ્ગુરુ : સંસ્કૃતિનો આધારસ્તંભ શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુરુ હોય છે. મા ઘરના પરિસરમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે, પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્તર પર જો કોઈ પણ હોય તો તે છે માસ્તર... એટલે વિદ્યાગુરુ. પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે. ગુ = અંધકાર, ૩ = દૂર કરનાર. અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચીંધે તે સદ્ગુરુ છે. જેમને સત્નો સાક્ષાત્કાર થયો છે એવા તે સદ્ગુરુને ભારતવર્ષનાં શાસ્ત્રોએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે, કેમ કે જીવનમાં સદ્ગુણોના સર્જક ગુરુને બ્રહ્મા ગણ્યા છે. સદ્ગુણના પોષક શ્રી વિષ્ણુને તુલ્ય ગણ્યા છે અને દોષોના વિનાશક મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે. વિદ્યાગુરુ વિદ્યાદાન દ્વારા આપણા વ્યાવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે, જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવનનિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી, ૯૬

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75