Book Title: Virah pan Sukhdayak Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 4
________________ છે, પણ સાથે રહેલા અહંકાર, અપેક્ષાદિરૂપ કાંટા નડે છે, પડે છે. આ કાંટાથી મુક્તિ થવી જોઈએ, અશુદ્ધતા ટળવી જોઈએ. પ્રેમ શુદ્ધ ત્યારે થાય છે કે જ્યારે તે વિરાટ પ્રત્યે વહે છે. જ્યાં અહંકાર ઝૂકે છે, અપેક્ષાશૂન્ય થાય છે, ત્યાં પ્રેમ વિકસે છે, પૂર્ણ થાય છે, શુદ્ધ થાય છે. પરમાત્માથી ન્યૂન કોઈ પણ તત્ત્વમાં પ્રેમ જોડાય તો તે પૂર્ણતા નહીં પામે. અને અપૂર્ણ પ્રેમ પીડાને સાથે લઈને આવશે. મનુષ્ય પ્રત્યેના પ્રેમમાં અનુભવાતી આ પીડા સર્જનાત્મક બની શકે છે. મહાસુખની યાત્રા માટે – પરમાત્મા પ્રત્યેની મહાન યાત્રા માટે એ દ્વાર ખોલી આપે છે. સોદાવાળો પ્રેમ પ્રેમના બે ભેદ પડી શકે – અશુદ્ધ પ્રેમ અને શુદ્ધ પ્રેમ. જેને આપણે સામાન્યપણે પ્રેમ કહીએ છીએ, સમજીએ છીએ, એ તો એક બંધન છે. અને જે પ્રેમ બંધન છે, તેને પ્રેમ કહેવો પણ વ્યર્થ છે. આ પ્રકારના પ્રેમમાં બંધન ઉત્પન થાય છે અપેક્ષાથી. અશુદ્ધ પ્રેમમાં કોઈના પ્રત્યે લાગણી જાગે તો છે, પરંતુ એ વખતે નજર “શું મળે છે?' એની ઉપર હોય છે, “શું અપાય છે?' તેની ઉપર નહીં. પ્રેમ સાધન બને છે અને કંઈક પ્રાપ્ત કરવું' એ સાધ્ય બને છે. જાણે પ્રેમ એક પ્રકારનું મૂડીરોકાણ - investment હોયી લેવું મહત્ત્વનું બની જાય છે, આપવું ગૌણ બની જાય છે. ખરેખર તો આપવાનો ભાવ જ નથી. જો ન આપવાથી ચાલતું હોય તો આપવાની ઇચ્છા જ નથી. પણ તેમ થવું શક્ય નથી, તેથી આપવું પણ પ્રાપ્ત કરવા માટે હોય છે. જ્યારે પણ આપણે આપીએ છીએ કંઈક પ્રાપ્ત કરવા, તો આપણે સોદો કરીએ છીએ. સ્વાભાવિક છે કે સોદામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38