________________
૧૦ બદલે તેમને સાધન બનાવી દેવામાં આવે છે – પોતાની ઈચ્છા પૂરી કરવા માટેના! પ્રાર્થનાના નામે પણ ભીખ જ માંગવામાં આવે છે. બધું જ દાન કરી દો - ત્યાં સુધી કે દાન કરતાં કરતાં દાતાનું પણ દાન થઈ જાય..... ' એવું નથી કે ભક્તને કંઈ મળતું નથી. ભક્તને જેટલું મળે છે તેટલું તો કોઈને નથી મળતું. પરંતુ તે માંગતો નથી. તે તો માત્ર પોતાને ખાલી કરી દે છે. અને પરિણામે તેને પૂરો પરમાત્માં મળી જાય છે. પરંતુ આ પરિણામ છે, તેની આકાંક્ષા કે માંગ નહીં. ભક્ત પોતાને સમગ્ર ભાવથી, પરિપૂર્ણભાવથી આપી દે છે. અને જેટલો તે પોતાને આપી દે છે, તેટલા પરમાત્મા તેના ઉપર વરસે છે. જે પ્રાપ્ત કરવા જેવું છે એ બધું જ તે પ્રાપ્ત કરી લે છે. તે અનંતને પ્રાપ્ત કરી લે છે.
અનુગ્રહભાવ - તેથી ભક્ત હંમેશાં એમ કહે છે કે પરમાત્માની અનુકંપાથી મળ્યું, અનુગ્રહથી મળ્યું. મેં માંગ્યું ન હતું, એમણે આપ્યું. હું તો અપાત્ર હતો, તોપણ એમણે મારા પાત્રને ભરી દીધું. હું તો યોગ્ય ન હતો. એમણે સ્વીકાર કર્યો એ જ મોટી વસ્તુ - ઘટના છે. - ભક્તિ એટલે અનુગ્રહની અભિવ્યક્તિ, ભીખ નહીં. જે મળ્યું છે એના માટે Thank you'(“ધન્યવાદ')ની અભિવ્યક્તિ. 'Please' નહીં - વિનંતી નહીં, માંગ નહીં, ભીખ નહીં..... આપણે ભક્તિન, ભજનનો અર્થ ભીખ કરી નાંખ્યો છે. જાણે પરમાત્મા પાસે માંગવું એ ઉપાસના અને સંસારી પાસે માંગવું એ વાસના! ના, એવું નથી. આ સત્ય સમજી લેવાની જરૂર છે કે ન માંગવું એ ઉપાસના છે અને માંગવું એ જ વાસના છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org