________________
|
૪
‘સંઘર્થ નવિય મા પમાયણ !' પ્રમાદ
જીવન ક્ષણિક છે, પ્રમાદ ન કરો! પ્રમાદ,
કેવા અભત પ્રેરણાદાયી
| શબ્દો છે ! આળસને દૂર કરી, અપ્રમત્ત બની, જાગ્રત બની ધર્મપુરુષાર્થ કરવાનો અનુપમ ઉપદેશ અપાયો છે. વૃદ્ધાવસ્થામાં પુરુષાર્થ નહિ થાય ! યૌવન જ ધર્મપુરુષાર્થ કરી લેવાની સુયોગ્ય અવસ્થા છે.
'अप्पाणरक्खी
व चरऽप्पमत्तो !'
I
આત્માના રક્ષણકર્તા અને અપ્રમત્ત બની રહો.
આત્મા દુર્ગતિમાં ન ચાલ્યો જાય એ વાતની તકેદારી રાખીને જીવનયાત્રા કરવાનું કહેવામાં આવ્યું છે ગા, વહાલા, ધન અને મિત્રોના ભરોસે નહિ રહેવાનું કહેવામાં આવ્યું છે કારણકે એ સ્વજનો, મિત્રો કે ધન કોઈ મૃત્યુથી કે દુર્ગતિથી આત્માને બચાવી શકતું નથી. -
પ્રમાદનો ત્યાગ કરી, અપ્રમત્ત બની, જીવનનિરપેક્ષ બની કર્મક્ષય કરવાની પ્રેરણા આપવામાં આવી છે - આ તેર ગાણાઓના અધ્યયનમાં.... !
-
-