________________
કાંપિલ્યપુરનો રસજા સંજય ૧૮
શિકાર કરવા વનમાં ગયો છે, ત્યાં સંજય એને “ગર્દભાલિ, નામના જ્ઞાની
મહાત્માનો પરિચય થાય છે. એ
મુનિરાજના ઉપદેશથી સંજય રાજા વૈરાગી બને છે અને દીક્ષા લે છે. મુનિરાજનો ઉપદેશ ખૂબ હૃદયસ્પર્શી છે.
સંજય રાજર્ષિને બીજા એક જાતિસ્મરણ જ્ઞાનવાળા રાજર્ષિનો સંપર્ક થાય છે. એ બંને વચ્ચે તાત્વિક વાર્તાલાપ થાય છે. એ વાર્તાલાપ ખૂબ જ મનનીય છે.
અધ્યયનની ચોત્રીશમી ગાથામાં વિશાલ સામ્રાજ્યનો ત્યાગ કરી સંયમધર્મ અપનાવનારા મહાપુરુષોના નામ આપેલા છે.
ચક્રવર્તીના નામઃ ભરત, સગર, મધવ, સનકુમાર, | શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિષેણ અને જય.
તે પછી, રાજા દશાર્ણભદ્ર, રાજા નમિ, રાજા કરકંડું, રાજા હિમુખ અને રાજા નગગતિ જેમણે પોતાના સામ્રાજ્યોનો ત્યાગ કરી સંયમધર્મનો સ્વીકાર કર્યો હતો, તેમના નામ આવે છે.
એ પછી, સૌવીર દેશનો રાજા ઉદયન, કાશી દેશનો રાજા નંદન, રાજા વિજય, રાજા મહાબલ વગેરેના નામ છે.
આ અધ્યયની ચોપન ગાથાઓ છે