________________
બાહ્મણકુલમાં જન્મેલા,
ઇન્દ્રિયવિજેતા ‘જયઘોષ' નામના મહામુનિ વિહાર કરતા કરતા વારાણસીના બાહ્ય ઉધાનમાં પધારે છે. એ વખતે વારાણસી નગરીમાં 'વિજયઘોષ' નામનો વિદ્વાન બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે. જયઘોષ મુનિએ માસક્ષમણ કરેલું છે. પારણાના દિવસે તેઓ યજ્ઞમંડપના દ્વાર પાસે આવી ઊભા છે. વિજયઘોષ એમને ભિક્ષા આપતો નથી.
૫
યજ્ઞીય
પછી જયઘોષ મુનિ જ વિજયઘોષ બ્રાહ્મણને આ પાંચ વાતો સમજાવે છે. એને બ્રાહ્મણનું' સ્વરૂપ સમજાવે છે. ગાથા ૧૬ થી ૨૮ સુધી ખૂબ જ રોચક શૈલીમાં બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવેલું છે.
શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસ કોને કહેવાય એ પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે.
વિજયઘોષને જ્ઞાન થાય છે. એ જયઘોષ મુનિની સ્તુતિ કરે છે, વિજયઘોષ જૈન દીક્ષા ગ્રહણ કરે છે.
સંયમ અને તપથી બધા કર્મોનો નાશ કરી, શ્રી જયઘોષ મુનિ અને વિજયઘોષ મુનિ સિદ્ધિગતિને
પામે છે.
આ અધ્યયનમાં ૪૪ ગાથાઓ છે.