Book Title: Uttaradhyayan Sutra
Author(s): Vijaysinhsensuri
Publisher: Vijaymeruprabhsuri Smarak Trust

View full book text
Previous | Next

Page 294
________________ ૩૫ અણગારમાર્ગ ગતિ ગૃહવાસનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિનું શ્રમણ જીવન કેવું હોવું જોઇએ એ વિષે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ભગવંતે અધ્યયનની ૨૧ ગાથાઓમાં કરી છે. આ = ભવબંધનના કારણભૂત સંગનો ત્યાગ કરવો. – હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, કામ અને લોભનો ત્યાગ કરવો. B = કામરાગ પોષે એવા ઉપાશ્રયમાં રહેવું નહિ. સ્મશાન, ખાલી ઘર કે વૃક્ષની નીચે રહેવું અથવા સ્ત્રી વગેરે ન હોય એવા મકાનમાં રહેવું મુનિએ પોતે ઘર બનાવવું નહી, બીજાઓ પાસે બનાવડાવવું નહિ કે તેની અનુમોદના પણ કરવી નહિ. કારણ કે એમાં ત્રસ-સ્થાવર જીવોની હિંસા થાય છે. · = મુનિ પોતે આહાર પાણી રાંધે નહિ કે રાંધનારની અનુમોદના ના કરે કારણ કે રાંધવાની ક્રિયામાં જીવહિંસા થાય છે. સોના ચાંદીની મનમાં પણ ઇચ્છા કરે નહિ, કારણ કે એ સોનું અને માટીને સરખા દેખે છે. # એ કશું વેચતો નથી, કશું ખરીદતો નથી. = ભિક્ષાવૃત્તિથી જીવન નભાવે છે. = માત્ર સંયમપાલન ખાતર જ એ ભોજન કરે છે. निमम्मो निरहंकारो वीअरागो अणासवो । संपत्तो केवल नाणं सासयं परिणिव्वुए ॥ નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવ વિનાનો, કેવલજ્ઞાની, કર્મમુક્ત થઈને એ પરિનિર્વાણ પદને પામે છે.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330