SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ અણગારમાર્ગ ગતિ ગૃહવાસનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરનારા મુનિનું શ્રમણ જીવન કેવું હોવું જોઇએ એ વિષે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ભગવંતે અધ્યયનની ૨૧ ગાથાઓમાં કરી છે. આ = ભવબંધનના કારણભૂત સંગનો ત્યાગ કરવો. – હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન, કામ અને લોભનો ત્યાગ કરવો. B = કામરાગ પોષે એવા ઉપાશ્રયમાં રહેવું નહિ. સ્મશાન, ખાલી ઘર કે વૃક્ષની નીચે રહેવું અથવા સ્ત્રી વગેરે ન હોય એવા મકાનમાં રહેવું મુનિએ પોતે ઘર બનાવવું નહી, બીજાઓ પાસે બનાવડાવવું નહિ કે તેની અનુમોદના પણ કરવી નહિ. કારણ કે એમાં ત્રસ-સ્થાવર જીવોની હિંસા થાય છે. · = મુનિ પોતે આહાર પાણી રાંધે નહિ કે રાંધનારની અનુમોદના ના કરે કારણ કે રાંધવાની ક્રિયામાં જીવહિંસા થાય છે. સોના ચાંદીની મનમાં પણ ઇચ્છા કરે નહિ, કારણ કે એ સોનું અને માટીને સરખા દેખે છે. # એ કશું વેચતો નથી, કશું ખરીદતો નથી. = ભિક્ષાવૃત્તિથી જીવન નભાવે છે. = માત્ર સંયમપાલન ખાતર જ એ ભોજન કરે છે. निमम्मो निरहंकारो वीअरागो अणासवो । संपत्तो केवल नाणं सासयं परिणिव्वुए ॥ નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવ વિનાનો, કેવલજ્ઞાની, કર્મમુક્ત થઈને એ પરિનિર્વાણ પદને પામે છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy