Book Title: Uttaradhyayan Sutra
Author(s): Vijaysinhsensuri
Publisher: Vijaymeruprabhsuri Smarak Trust

View full book text
Previous | Next

Page 300
________________ ૩૬ જીવાજીવ વિભક્તિ આ અધ્યયનમાં સૌથી પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના માધ્યમથી અજીવ તત્ત્વની પ્રરૂપણા કરવામાં આવી છે. # એ પછી જીવ તત્ત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. = અજીવ તત્ત્વના વિવેચનમાં ૧. સ્કંધ, ૨. દેશ, ૩. પ્રદેશ અને ૪. પરમાણુના વિષયમાં વિશદ બોધ કરવામાં આવ્યો છે. – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી પરિણમતા સ્કંધાદિના પ્રકાર (ભેદ) બતાવવામાં આવ્યા છે. = સંસ્થાન [આકાર]થી પરિણમિત સ્કંધાદિના પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. જીવ તત્ત્વ વિસ્તારથી બતાવ્યા પછી દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખનાનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. – તે પછી કદર્પભાવના, આભિયોગ્ય ભાવના, કિલ્વિષ ભાવના, મોહ ભાવના અને આસુરી ભાવના આ પાંચ ભાવનાઓને દુર્ગતિના હેતુરૂપ બતાવવામાં આવી છે. ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. અ અધ્યયનમાં ૨૬૬ ગાથાઓ છે.

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330