________________
૩૨
આ અધ્યયનમાં, શ્રમણોએ કેવા
કેવા પ્રમાદોનો ત્યાગ કરવો જોઈએ (પ્રમાદસ્થાના
અને રાગ-દ્વેષ-મોહને મૂળમાંથી ઉખાડી કાઢવા માટે કેવા કેવા ઉપાયો કરવા
જોઈએ એ વિસ્તારથી બતાવ્યું છે. - સૌથી પહેલાં તો બ્રહ્માચર્ય પાલનની બાબતમાં કહેવામાં આવ્યું છે.
v કામ ભોગોનું દારૂણ પરિણામ બતાવ્યું છે. .. રાગદ્વેષથી મુક્ત બની સમાધિ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.
. ચક્ષુરિન્દ્રિયના દોષોથી બચવું જોઇએ. રૂપના મોહને પ્રમાદ કહ્યો છે.
- શ્રવણેન્દ્રિયના દોષો બતાવ્યા છે. શબ્દના રાગદ્વેષથી બચવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
ધ્રાણેન્દ્રિયના દોષો બતાવી, સુગંધ-દુર્ગધના રાગદ્વેષથી બચવાનું કહેવામાં આવ્યું છે.
i રસનેન્દ્રિયના દોષો બતાવી મધુરાદિ રસોના રાગદ્વેષથી બચવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
સ્પર્શનેન્દ્રિયનો દોષ બતાવી અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શના રાગદ્વેષથી બચવાનું કહ્યું છે.
પ મનના અશુભ ભાવોથી મુક્ત થવાની વિસ્તારપૂર્વક પ્રેરણા આપવામાં આવી છે. આ રીતે ૧૧૧
શ્લોકોમાં વિષય-કષાય રૂપ પ્રમાદના વિવિધ સ્થાનોથી સાધુ-સાધ્વીને દૂર રહેવાનો ઉપદેશ કરાયો છે.