________________
**
'जहालाहोतहा लोहोलाहालोहोपवड्ढ़इ।' કિપિલીયા આ સૂક્તિ ઉત્તરાધ્યયન સૂત્ર
ની છે. જેમ જેમ લાભ (દ્રવ્યલાભ) થતો જાય છે તેમ તેમ લોભ વધતો
- જાય છે. આ વિષે કપિલ કેવલી' ની કથા જાણીતી છે. કપિલકેવલીએ પોતાના મુખે પોતાની જીવનકથા કહી છે અને લોભ કેવો અનંત હોય છે તે બતાવ્યું છે. જો કે અહીં આ અધ્યયનમાં તો આ કથાનો માત્ર નિર્દેશ જ છે. પણ વિસ્તૃત કથા ટીકા-ગ્રંથમાં મળે છે.
કપિલ એક સ્ત્રીના મોહમાં મૂઢ બની ગયા હતા. એ સ્ત્રી માટે તેઓ સજાની પાસે થોડું સોનું માગવા ગયા હતા. પરંતુ રાજાની ઉદારતા જોઈને... એમના મનમાં છે કરોડો સોનામહોરો માગવાનો લોભ પેદા થાય છે. છે એટલે ભગવાન કહે છે : “સ્ત્રીની ઈચ્છા ન કરો. | સ્ત્રીથી સર્વથા દૂર રહો અને બ્રહ્મચર્ય રૂપ ધર્મમાં આત્માને સ્થાપિત કરો.
-આબુરોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે जे लक्खण च सुविणं च अंगविज्ज च जे पउंजति । न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥
જે સાધુ સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, અંગરકુરણ વગેરેનું સેવન કરે છે તે સાધુ નામને લાયક નથી.”
વીશ ગાથાઓના આ અધ્યયનમાં સ્ત્રી, ધન વગેરેથી દૂર રહેવાનો અને લોભથી મુક્ત થવાનો ઉપદેશ આપેલો છે.