________________
ભિક્ષુ એટલે શ્રમણ, ભિક્ષુ
૧૫
સ-ભિખ્ખુ એટલે મુનિ-સાધુ. સાધુનો વેશ
ધારણ કરવા માત્રથી કોઇ સાધુ કે ભિક્ષુ બની જતો નથી. ભિક્ષુનું વ્યક્તિત્વ કેવું હોવું જોઇએ તે આ
અધ્યયનમાં બતાવ્યું છે.
સોળ ગાથાઓનું આ અધ્યયન પ્રત્યેક સાધુ અને સાધ્વીના અધ્યયન, ચિંતન અને મનનમાં સતત રહેવું જોઇએ. દીક્ષા લીધા પછી સાધુ-સાધ્વીને આ
અધ્યયનનો બોધ કરાવવો જોઇએ અને દરરોજ એનો સાધુ સાધ્વીએ સ્વાધ્યાય કરવો જોઇએ. સાધુના વિચારો, વાણી અને સાધુનો જીવનવ્યવહાર કેવો હોવો જોઇએ? એ આ અધ્યયનમાં ભગવંતે બતાવ્યું છે.