Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 3
________________ કેટલાક અભિપ્રાય “સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખો ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા .... અભ્યાસપૂર્વક લખાયેલા છે. – અરદેશર ફરામજી ખબરદાર વડોદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચાહી માસિકને ચૈત્ર-૧૯૯૫નો અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળે છે. જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણીય લખાણ તંત્રી...મેળવી શકાય છે એ આનંદનો વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. ---માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. –જન્મમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામાં તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન “સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે. તેના સંચાલને ધન્યવાદ છે. . આ પદ્ધતિને બધાં સામયિકવાળા સ્વીકાર કરે તે અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્ય—પ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. - પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખ, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. –બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે. -સયાજીવિજય “સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે. –ત્રી - દેશી રાજ્ય સુવાસના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને 'સંગ ટાગેર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. -બ. મ. પરીખ “સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે. મિકપ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52