Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 83
________________ ચાર નિયમ પાળવા ઉપર શક સામાનિક મહાન દેવ થયો. ચિરકાળથી રાજાને મિત્રના વિયેગથી થતી પીડા, સંસારસુખના સર્વસ્વ કારણરૂપ અને સદ્દગુણવતી એવી શ્રીકાંતાએ દૂર કરી. કહ્યું છે કે-- “ સંતાપલિનાનાં, તિલ્લો વિશ્રામ મૂમયઃ | પત્ય ૨ વ્ર ૨, સર્વચા મોડથવા” || | અથ–“સંસારના તાપથી ખેદ પામેલા જીવોને અપત્ય (સંતાન), ભાર્યા અને જિન-આગમ-એ ત્રણ વિસામાના સ્થાન છે.” હવે વખત જતાં મેઘ જેમ ચળકતી મણિને ઉત્પન્ન કરે, તેમ અણુવતીએ ભાગવતી કન્યાને જન્મ આપે. તે અનુક્રમે ચેસઠ કળાઓ શીખી થવા પામી અને જાણે સાક્ષાત્ સભાગ્યલક્ષ્મી હોય તેમ સ્ત્રીના સર્વ ગુણે તેમાં દાખલ થયાં. પછી લાંબે વખત જતાં પણ તે રાજાને બીજું સંતાન ન થયું. એવામાં એકદા રાત્રે સુતેલા રાજાને કોઈ દિવ્ય પુરૂષે કહ્યું કે--“હે રાજન ! બંને રીતે સત્વર જાગ્રત થા. તારું ઘર બળતાં આ ચેરે સર્વસ્વ લુંટી રહ્યા છે.” ત્યારે રાજા જાગ્રત થઈ એકદમ ક્ષોભ પામતાં ઉઠીને તરફ જેવા લાગ્યો, પરંતુ તેણે બળતું ઘર કે ચોરે કયાં દીઠા નહીં. એટલે દેહાલંકારના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા તે દિવ્ય નરને જોઈ રાજાએ નમસ્કાર કરી, અંજલિ જોડીને કહ્યું કે-“હે પ્રભે! તું કેણુ છે? બંને પ્રકારે જાગવું શું? અગ્નિ શું? અને ચેરે કોણ? તું ભાગ્યયોગે દષ્ટિગોચર થયે છે તેથી એ બધું સમજાવ, હું સમજી શકતે નથી.” ત્યારે તે બે -“હું દેવ છું. પ્રબોધ (જાગરણ) તે દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે નિદ્રા–મેહને ત્યાગ કરવાથી આ લેક અને પરભવે હિતકારી થાય છે. જીવ તે ગૃહસ્થ ( ઘરમાં રહેનાર) છે, અને શરીર તે ગ્રહ છે, જરા-અગ્નિ એને બાળે છે, તથા વિષય-કલાયરૂ૫ રે સુકૃત-ધનને લુંટી રહ્યા છે. જ્યાં સુધી જરા આવીને ન સતાવે, ત્યાં સુધીમાં મેહ અને વિષય-કષાયને ત્યાગ કરીને સ્વહિતકારી સુકૃતનું આચરણ કર. હે રાજન્ ! એક સ્વાર્થમાંજ ત૫ર, ભિન્ન ભિન્ન વૃત્તિવાળા, અપ દિવસેના સં. યોગી, નશ્વર, રક્ષણ કરવાને અસમર્થ તથા દુઃખ આપનારા એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110