Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 100
________________ ~ ~--~ સુખપાદિ ચાર મિત્રોની . (૯૧) વધારે મજબૂત કર્યો. પછી સભા વિસર્જન કરી, દૈનિક કૃત્ય આચરીને શુભ અવસરે રાજા, સૈન્ય અને તે વિપ્ર સહિત તરત વીરપુર તરફ ચાલે. કાર્ય કરવામાં વિલંબ ન કરે તે જયેચ્છનું લક્ષણ છે. હવે વીરપુરની નજીક આવતાં તેણે તે રાજાને દૂત મોકલ્ય, અને તે જઈ નમન કરીને રાજાને કહેવા લાગ્યા નય અને પરાક્રમમાં પ્રવીણ સુમુખ નામે રાજા તારા દેશના સીમાડામાં આવેલ છે, તે જયની ઈચ્છાથી તને આદેશ કરે છે કે હે રાજન ! જયશ્રી કન્યા, મને આપીને મારી સેવા - કર, અને તું નાલાયક તથા નાસ્તિક છતાં પિતાએ આપેલ રાજ્ય ભગવ. જો તેમ ન કરે, તે રણભૂમિમાં બંને જયશ્રી આપ; પછી એમ ન બેલાજે કે મને કહેવરાવ્યું નહિ. કારણ કે મહાપુરૂષ છલથી ઘાત કરનાર ન હોય.” એટલે ક્રોધાયમાન થયેલ રાજા બે –એ સુમુખ રાજા કોણ છે ? કે જે વિમુખ છતાં સંગ્રામમાં આવવાને મારી આગળ સમર્થ થાય. જેની આગળ વૈરીઓનું અસ્તિત્વ નથી, તે હું નાસ્તિક છું. જે એક ક્ષણ પણ રણાંગણમાં ઉ રહે તેની હું ઉમેદ પૂરી કરૂં.” ત્યારે દૂત સંતુષ્ટ થઈને વિચારવા લાગ્યો કે આની દેવાધીન વાણીથી મારા સ્વામીની યુદ્ધની ઉમેદ જરૂર પૂરી થશે.” પછી તેણે કહ્યું કે જે એમ હેય તે ગ્રહગર્જના મૂકી ઘો અને યુદ્ધને માટે સત્વર સજજ થાઓ. આવા કામમાં વિલંબ કરા એ કાયરતા છે. ' ત્યારે રાજાએ કહ્યું-“તું જા અને હું આ આગે.” એમ કહીને તેણે પિતાનું સૈન્ય એકત્ર કરવા ઉતાવળથી રણભેરી વગડાવી. હવે તે જઈને તે બધું સુમુખ રાજાને કહી સંભળાવ્યું. એવામાં નરસિહ રાજા પણ સૈન્ય સહિત તરત નગરથી બહાર નીક ન્યો અને વાઘનાદથી તથા હાથીઓના ગજરવથી દિશાઓને બધિર બનાવતે અને અશ્વોના પદાઘાતથી તેમજ રથચકોથી પૃથ્વીને કંપાવતે તે આવ્યું. પોતાના દેશથી દૂર છતાં રાત્સાહથી તે તરત સીમાડામાં આવી પહોચે. શત્રુએ કરેલ પોતાના દેશનું દબાણ ક વીમાની સહન કરે ? ત્યાં હાસ્તિક (ગજસ વારે) હાસ્તિક સાથે, સવારે સવારે સાથે, થાઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110