Book Title: Stree Jivanni Vikas Disha Author(s): Nyayavijay Publisher: Keshavlal Mangalchand Shah View full book textPage 7
________________ સિદ્ધએ છી' આપણા Aઆપણે ( ૪ ) તપથી આપણે એજ પ્રકાશ મેળવવા ઈચ્છીએ છીએ. આપણું અજ્ઞાન, વહેમ, અન્ધશ્રદ્ધાને આપણે તપથી દૂર કરવા માંગીએ છીએ. અને આપણે વિચાર તથા આચારની શુદ્ધિ કરવા ધારીએ છીએ. આટલા માટે જ તપ છે. અને એની સિદ્ધિમાં જ તપની સફલતા છે. અન્યથા તપ એક લાંઘણુ” જ બની જાય. શાસ્ત્રકારે કહે છે – " कषायविषयाहारत्यागो यत्र विधीयते । ___ उपवासं विजानीयात्, शेषं लंघनकं विदुः " || અર્થા–કષાય, વિષયે અને આહારને ત્યાગ કરાય એનું નામ ઉપવાસ છે. બાકી તે “લાંઘણ” છે. ઉપવાસને અર્થ જ એ છે કે આન્તરશુદ્ધિમાં વસવું. આ હેતું સમજ્યા વગર અજ્ઞાનપણે ઉપવાસ ઘણા થાય છે. પણ એ જીવનને લાભકારક નથી થતા. એટલું જ નહિ, તપસ્યાથી જે શારીરિક લાભ પહોંચવા જોઈએ તે પણ નથી સધાતા. કેમકે વિવેક વગરની તપસ્યાથી અને તપસ્યા પછી પારણાની વિધિ ન જાળવવાથી માણસ પોતાના શરીરને વધુ બગાડે છે. આજનું ઉપવાસચિકિત્સાનું વાચન જેમણે અવલેર્યું હશે તેમને ખબર હશે કે વિવેકવિભૂષિત ઉપવાસોથી યુરોપ અને અમેરિકા વગેરે દેશના કેટલાક માણસોએ પિતાના જૂના વખતના રોગોને હાંકી કાઢી કેવું આરોગ્ય સંપાદન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38