Book Title: Stree Jivanni Vikas Disha
Author(s): Nyayavijay
Publisher: Keshavlal Mangalchand Shah

View full book text
Previous | Next

Page 21
________________ ( ૧૮ ) છે. પણ દિલગીરીની વાત છે કે ગુજરાત-કાઠિયાવાડમાં એઠાજૂઠાને વિચાર બહુ ઓછા હોય છે. આ ગન્ડાઈને લીધે તેઓ વગેવાય છે, બીજા દેશવાળાએ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લેટા કે પ્યાલા ફરીથી એમાં બળાય એ ઓછી મલિનતા છે? એવા પાણીમાં અનેક માણસોનાં મેઢાની લાળ અને છોકરાનાં નાકનાં લીંટ દાખલ થવાને સંભવ નથી કે ? આથી ધાર્મિક દૃષ્ટિએ જીવેની વિરાધના થવા ઉપરાંત ક્ષય, ખાંસી વગેરે ચેપી રોગો પણ લાગુ પડે. એઠી ભાત હાંડલામાં કે તપેલીમાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી રોટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય, કડછીમાં કઢી ચાખીને પછી એની એ કડછી કઢીના વાસણમાં નંખાય, કાળાંમેંશ જેવાં મહેતાથી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બાળકનું હે કે નાક સાફ કરી એવાને એવા લીંટાળા હાથે ફરી કણેક મસળાય–આવી આવી અનેક ગંદાઈઓ લેકેનાં ઘરમાં ઘુસેલી છે એ ખરેખર શરમાવા જેવું છે. આરોગ્ય માટે કપડા-લત્તાની જેમ બીછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગંદાં રાખી જીત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જન્તુએ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ ગ્ય ગોઠવણ રાખવી એમાંજ અહિંસાધર્મનું પાલન છે. સુવાવડ. ખેદની વાત એ પણ છે કે સમાજમાં સુવાવડી તરફ એવી ધણદષ્ટિ રખાય છે કે તે બીચારીને લૂટેલા વાણને ખાટલે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38