Book Title: Stotravali
Author(s): Yashovijay
Publisher: Yashobharati Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 15
________________ તે ઘણો આનંદ થશે અને તેથી હવે પછી મુદ્રિત થનાર ગુજરાતી અનુવાદ વાંચકે ને સુયોગ્ય રીતે પ્રામાણિકપણે આપી શકાશે. - પ્રાથમિક યોજના મેં એવી નકકી કરી હતી કે દરેક ક્ષેકની નીચે ગુજરાતી અને હિન્દી અનુવાદો આપવા જેથી મારા ગુજરાતી દાતારો અને વાંચકોને ખૂબજ સંતોષ થાય પણ ગુજરાતી અનુવાદ માટે હું સમય કાઢી શકું તેમ હતું નહિં, બીજા દ્વારા પ્રયાસ કર્યો પણું સમય બહુ જાય તેમ હતું. સુયોગ્ય અનુવાદ ન થાય તે કશો અર્થ ન સરે એટલે તત્કાલ તે હિન્દી અનુવાદથી જ સંતોષ માને છે. ભવિષ્યમાં જેમ બને તેમ જલદી ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી જલદી પ્રકાશિત થાય તે માટે જરૂર પ્રયત્નશીલ રહીશ. કઈ સંસ્કારી ભાષાના લેખક મુનિરાજ યા કેઈ વિદ્વાન આવું ઉપકારક કામ કરવા તૈયાર હોય તેઓ મારી સાથે જરૂર પત્ર વહેવાર કરે તેની સાદર નમ્ર વિનંતિ કરું છું. પ્રસ્તુત સ્તોત્રો, કાવ્ય, ઉપ્રેક્ષા, અલંકાર, અર્થ, ભાષ્ય, અને વિવિધ દૃષ્ટિએ કઈ રીતે ઉત્તમ પ્રકારના છે, ઉપાધ્યાયજીએ પ્રાસંગિક કયાં કયાં માર્મિક અને મહત્વની વાતે રજૂ કરી છે તે, સમન્વયાત્મક દષ્ટિએ અવકન વગેરે અંગે હું કશું લખી શક્યો નથી પણ જો કોઈ સુયોગ્ય વિદ્વાન સમીક્ષા કરીને મોકલશે તો ગુજરાતી આવૃત્તિમાં તે જરૂર પ્રગટ કરીશું અને ગૃહસ્થ વિદ્વાન હશે તે યોગ્ય પુરસ્કારની પણ વ્યવસ્થા સંસ્થા કરશે. આ સ્તોત્રના શ્લોકેના ટાઈપ જે વાપર્યા છે તેથી દોઢા મોટા વાપરવાના હતા પણ પ્રેસ પાસે સગવડ ન હોવાથી બની શક્યું નથી. - આ પુસ્તકમાં આપેલા તેત્રમાંથી ઘણું તો જો કે અગાઉ જુદી જુદી સંસ્થા તરફથી પુસ્તકાકારે તથા પ્રતાકારે પ્રગટ થયાં છે છતાંય એક જ સાથે એક જ પુસ્તકમાં તે આ વખતે પ્રથમ જ પ્રગટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 384