Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શ્રી ધરણે પદ્માવતી સંપૂજિતાય છે. હું શ્રી શ્રીશંખેશ્વર પાશ્વનાથાય નમઃ
શ્રી દાન-પ્રેમ-હીરસૂરિગુરુભ્યો નમઃ
ઉં નમ:
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયકીર્તિસૂરિ વિરચિત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી સંમતિલકસૂરિ કૃત શીલતરંગિણું ટીકા સહિત
શીપદેશમાલા ગ્રંથનો આચાર્ય શ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ
ટીકાકારનું મંગલાચરણ ઉપદેશ આપવાના સમયે જેમના દાંતનાં કિરણોથી મિશ્રિત થયેલા અને ખભા ઉપર ફેલાતા કેશના અંકુરોએ સુવર્ણ પાત્રમાં રહેલા દહીંથી મિશ્રિત થયેલી અને લાંબી એવી દૂર્વાની (ધ્રોખડની) લીલાને (કચેષ્ટાને) ધારણ કરી, અર્થાત્ તેના જેવી શોભાને ધારણ કરી, તે આદિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ. (૧)
મૃગના લાંછનવાળા અને પૃથ્વીમંડલ ઉપર હર્ષ પામતા જીવોના પારમાર્થિક વિકાસને કરતા એવા જે શાંતિનાથ ભગવાન સંસાર ઉપર અરુચિભાવવાળા મક્ષના ઉત્તમ સાધનને (=ચારિત્રને) પામીને સ્થિર અને દેદીપ્યમાન લક્ષમીવાળા થયા, તે શાંતિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ.' (૨)
૧. આ શ્લોક ઠચર્થક હોવાથી તેના અર્થની ચંદ્ર અને શાંતિનાથ ભગવાન એ બેમાં ઘટના થાય છે. તે આ પ્રમાણે - જેમ (મૃગઈચ્છા = ) ચંદ્ર (કુમુદ્દો = ) ચંદ્રવિકાશી કમળાને ( વિરારા= ) યોગ્ય વિકાસ (ઘા = ) કરે છે, તેમ (પઢાન: રન = ) મૃગલાંછનવાળા થયા છતા (:= ) જે શાંતિનાથ ભગવાન ( મુરાંગ) પૃથવીમંડલ ઉપર હર્ષ પામતા જીના (ગુજં વિજ્ઞા= ) વાસ્તવિક વિકાસને (રઘાન:= ) કરે છે, જેમ ચંદ્ર (મથાતિ +માથંક) પાર્વતીને હિતકર ભાવવાળા (શિવોત્તમr=) મહાદેવના મસ્તકને (=મસ્તક રૂપ આશ્રયને) (595) પામીને (રિથરમાણુtી:) સ્થિર અને દેદીપ્યમાન શોભાવાળા (મમત= ) થયો, તેમ જે શાંતિનાથ ભગવાન (મનમાહિત+માર્ચ=) સંસાર વિષે અરુચિભાવવાળા (fહારમાÉ= ) મોક્ષના ઉત્તમ સાધનને=ચારિત્રને (=) પામીને (
રિમાણુ = ) સ્થિર અને દેદીપ્યમાન (અનંતસુખાદિરૂ૫) લક્ષ્મીવાળા (અમૂતeથયા, (fછ ર ત =) તે શાંતિનાથ ભગવાન કલ્યાણ માટે થાઓ.