Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 11
________________ અત્યારે આપણી વચ્ચે નથી, તેનું આપણને દુઃખ રહે એ સ્વાભાવિક છે. છતાં તેઓએ આ ઇતિહાસનાં હસ્તલિખિત તેર પ્રકરણે જાતે જોયાં–તપાસ્યાં હતાં અને તેનાં સંકલન અને રજૂઆત પર ખૂબ આનંદ અને સંતોષ વ્યક્ત કરેલ હતું; અને એ રીતે તેઓએ લેખકને પણ આ કાર્ય માટે બિરદાવ્યા હતા અને કાર્ય પૂરું કરવાના પ્રેરણા અને બળ આપ્યાં હતાં, તેથી અમે કંઈક સંતોષની લાગણી અનુભવીએ છીએ. - આ ઈતિહાસને ગ્રંથ બહુ દળદાર ન થાય તે ઔચિત્યને ખ્યાલ કરીને, તેને બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ એને પહેલો ભાગ છે. તેમાં દસ પ્રકરણે આપવામાં આવ્યાં છે અને દરેક પ્રકરણમાં, યથાયોગ્ય રીતે, જુદી જુદી હકીકતને આવરી લેવામાં આવી છે. આ ગ્રંથમાં પ્રકરણવાર શી શી સામગ્રી આપવામાં આવી છે તેને ખ્યાલ ગ્રંથના વિસ્તૃત અનુક્રમ તથા લેખકની પ્રસ્તાવનામાંથી મળી શકે તેમ હોવાથી તેની વિગતે અત્રે આપવાનું જરૂરી માનેલ નથી. - આશા રાખીએ કે, પેઢીની કામગીરીનું વિગતે દર્શન કરાવતે આ ગ્રંથ શ્રીસંઘના દરેક સ્તરના વાચક સમુદાયને પેઢીના કાર્ય અને સંકલનની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં ઉપયોગી નીવડશે અને તીર્થરક્ષા તથા શાસનપ્રભાવનાની પ્રેરણા આપશે. ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧. તા. ૭-૧૦-'૮૨ -દ્રસ્ટી મંડળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 405