Book Title: Shastra Vartta Samucchay Part 01
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 269
________________ २२६ संक्षिप्त भावार्थ પુણ્ય અને પાપના ક્ષયથી [ ધર્મ અને અધર્મના ક્ષયથી ] મોક્ષ થાય છે, એવું જે કથન છે તે હેય એવા પુણ્ય ધર્મને આશ્રીને છે; પરંતુ સંજ્ઞાનયોગે ધર્મને આશ્રીને નથી. (૨૬). ઉપસંહાર अतस्तत्रैव युक्तास्था, यदि सम्यङ् निरूप्यते । संसारे सर्वमेवान्यद् , दर्शितं दुःखकारणम् ॥ २७ ॥ ઉપરોક્ત કારણથી સંજ્ઞાનયોગલક્ષણ ધર્મમાં આસ્થા કરવી તે યુક્ત છે. ખરી રીતે જે વિચાર કરીએ તો સંસારમાં બાકીની સમસ્ત વસ્તુઓ દુઃખનું જ કારણ છે. (૨૭) ___ तस्माच्च जायते मुक्तिर्यथा मृत्यादिवर्जिता। तथोपरिष्टाद् वक्ष्यामः, सम्यक् शास्त्रानुसारतः ॥ २८॥ સંજ્ઞાનયોગ લક્ષણ ધર્મથી મરણાદિરહિત મોક્ષ કઈ રીતે થાય છે, તે વાત અમો રૂડી રીતે શાસ્ત્રાનુસારે આગળ કહીશું. (૨૮) શાસ્ત્રપરીક્ષા इदानीं तु समासेन, शास्त्रसम्यक्त्वमुच्यते। कुवादियुक्त्यपव्याख्यानिरासेनाविरोधतः ॥ २९ ॥ હમણાં તો નાસ્તિક આદિ કવાદીઓની યુક્તિઓ અને અપવ્યાખ્યાનોનું નિરસન–પ્રમાણબાધ્યત્વ અને ભ્રાતિમૂલત્વ જણાવવા દ્વારા કોઈ પણ શાસ્ત્રનો વિરોધ ન આવે તે રીતે શાસ્ત્રનું યથાર્થપણું સંક્ષેપથી કહીએ છીએ. (૨૯) ચાર્વાકની માન્યતા– पृथिव्यादिमहाभूतमात्रकार्यमिदं जगत् । न चात्मा-ऽदृष्टसद्भावं, मन्यन्ते भूतवादिनः॥३०॥ પૃથિવી પાણી અગ્નિ અને વાયુ એ ચાર મહાભૂત કહેવાય છે, આ મહાભૂતમાંથી જગત ઉત્પન્ન થયેલ છે; આવી માન્યતા ધરાવતે નાસ્તિક આત્મા પુણ્ય અને પાપ આ ત્રણ વસ્તુને માનતો નથી. (૩૦) આસ્તિકની માન્યતા– अचेतनानि भूतानि, न तद्धर्मो न तत्फलम्। चेतनाऽस्ति च यस्येयं स एवात्मेति चापरे ॥३१॥

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300