Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 646
________________ ૩૫૨ શાસનપ્રભાવક સાંનિધ્યે અમદાવાદમાં નંદીશ્વર દ્વીપના દેરાસરની પ્રતિષ્ઠા પાલનપુરમાં જડાવબહેન રાયચંદ મહેતા દ્વારા ઉપધાનતપ, પાટણ અને ગઢમાં ઉપધાનતપ અને માળાપણુ પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો શેઠ આલમશા દ્વારા યાત્રાસંઘ; તથા અનેક સ્થળોએ ત્રચ્ચાર આદિ ધર્મકાર્યો થયાં હતાં. પૂ. પંન્યાસજીના ઉપદેશથી ગઢ ( બનાસકાંઠા)માં અને અમદાવાદ–કસુંબાવાડમાં સંઘમાં પ્રવર્તતા કલેશ દૂર થયા હતા. ૫. શ્રી રત્નવિજ્યજી દ્વારા શાસન—ઉદ્યોતનાં અનેક કાર્યો થયાં, તેમાં અમદાવાદડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના તેમ જ થરાદના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય યશસ્વી અને ચિરસ્મરણીય હતું. ડહેલાના ઉપાશ્રયના હસ્તલિખિત ભંડારની સમગ્ર ગોઠવણ અને પ્રતિઓની યાદી તેમના જ હાથે તૈયાર થઈ હતી, જે તેમની ઊંડી સૂઝ અને અથાગ પરિશ્રમનું પરિણામ હેવાની સાક્ષી પૂરે છે. પં. શ્રી રત્નવિજયજી ગણિ વિ. સં. ૧૯૪૪ના વૈશાખ વદ ૧૩ના રેજ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા હતા. શાંત, સરળ, સૌમ્ય અને ભદ્રપરિણામી પૂજ્ય પંન્યાસ શ્રી મોહનવિજયજી ગણિવર પંન્યાસ શ્રી મેહનવિજયજી ગણિને જન્મ વિ. સં. ૧૯૧૮માં પાટણમાં થયું હતું. તેમના પિતાનું નામ નથુચંદ, માતાનું નામ ચુનીબાઈ, વડીલબંધુનું નામ લલ્લુભાઈ અને તેમનું પિતાનું જન્મ નામ મગનલાલ હતું. મગનલાલ બાળપણથી જ સરળ, શાંત અને ધર્મભાવનાથી પરિપુષ્ટ હતા. પિતા નથુચંદનું અવસાન થતાં તેમની ભાવના વૈરાગ્યભાવમાં પરિણમી. વડીલબંધુએ વ્યવસાયાર્થે મેહમયી મુંબઈ મોકલ્યા, ત્યારે મુંબઈ જવાને બદલે સીધા અમદાવાદ જઈ ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન પં. શ્રી રત્નવિજયજી પાસે દીક્ષા લેવાની પોતાની ઉત્કટ ભાવના પ્રદર્શિત કરીને, મહજન્ય સંસારને ત્યાગ કરીને, ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. વિ. સં. ૧૯૪૪માં હરીભાઈની વાડીમાં પં. રત્નવિજયજી ગણિએ તેમને દીક્ષા આપી અને પિતાના શિષ્ય બનાવી મુનિ મેહનવિજ્યજી નામ રાખ્યું. દીક્ષા બાદ મુનિ મેહનવિજયજીએ પોતાના વડીલ ભાઈ અને માતાને આ વાતની જાણ પત્રથી કરી. અંતે તેઓએ પણ એમની વર્ષોની ત્યાગભાવનાને ચરિતાર્થ થયેલી જોઈ આનંદ વ્યક્ત કર્યો. | મુનિ મેહનવિજયજીએ થોડા જ સમયમાં સારે એ ધર્માભ્યાસ કરી યોગદ્વહન શરૂ કર્યા. ગુરુદેવ સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેઓ પં. પ્રતાપવિજયજી સાથે વિસનગર હતા. ગુરુદેવના વિરહથી તેમણે ઊંડો આઘાત અનુભવ્યું. આ પછી વિ. સં. ૧૯૪૬માં તેઓશ્રીને પન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ઉપધાનતપ, ઉદ્યાપન મહોત્સવ, કેશરિયાજીને યાત્રા સંઘ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન થયાં હતાં. તેમના હસ્તે શ્રી હંસવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી શાંતિવિજયજી તેમ જ પ્રશિષ્ય શ્રી ચિમનવિજયજી, સિદ્ધિવિજ્યજી—એમ અનેક પુણ્યાત્માઓની દીક્ષા થઈ હતી. તેઓશ્રી વિ. સં. ૧૯૫૬ના અષાઢ સુદ ૪ના રોજ અમદાવાદમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722