Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 683
________________ છેશ્રમણ સંઘના પ્રબુદ્ધ ધર્મગુરુઓ પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અનેખું છે. ઇસ્વીસનના સેળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનાં સર્જનો ફાળો આપે છે. તેઓશ્રીએ એક પ્રતિભાસંપન્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. - પૂ. સમયસુંદરજીના જીવન વિશે તેમણે પિતે રચેલા ગ્રંથને આધારે અને તેમના શિષ્યોએ રચેલાં કાવ્યોમાં કરેલાં તેઓશ્રી વિશેના નિદેશોને આધારે, તેમના કવનકાળ વિશે અને કાળધર્મ વિશે ચક્કસ તિથિ-વાર–વર્ષના ઉલ્લેખો મળી આવે છે, પરંતુ તેમનાં બાલ્યકાળ અને દીક્ષાગ્રહણતિથિનાં નિશ્ચિત પ્રમાણે સાંપડતાં નથી. કાવ્યકૃતિઓમાંના નિદેશે પ્રમાણે તેઓશ્રીને જન્મ મારવાડમાં સારની પ્રાગ્વાટ (પિરવાડ) વણિક જ્ઞાતિમાં થયે હતો. તેમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પૂજ્યશ્રીને પ્રથમ ગ્રંથ “માઘરાતા” સંસ્કૃત ભાષામાં રચેલે મળી આવે છે, તેની રચના સાલ સં. ૧૬૪૧ છે. તેમાં કવિ પિતાને ઉલ્લેખ “ગણિ સમયસુંદર” તરીકે કરે છે. એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત આઠ–દસ વર્ષની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શક્યા. તે પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુંદરજી મહારાજ તરીકે જાહેર થયા. વળી, શ્રી સમયસુંદરજીના જ એક શિષ્ય વાદી હર્ષનંદને એક કાવ્ય રચનામાં નિર્દેશ કર્યો છે તે મુજબ – “નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો જી, સઈ હાથે શ્રી જિનચંદ” – “નવ યૌવનમાં દીક્ષા લીધી. એટલે તેમની વય દીક્ષા સમયે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722