Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
૩૯૨
શાસનપ્રભાવક
ધ પ્રેમી પિતા તુલસીદાસને ત્યાં શીલવતી શ્રીમતી ધનબાઈ ની રત્નકુક્ષિએ સ. ૧૭૪૬માં એક પુત્રે જન્મ લીધા. આ બાળક ગર્ભાવસ્થામાં હતા ત્યારે માતા ધનબાઈ ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મહારાજનાં દર્શીને ગયા હતા; અને પૂ. ઉપાધ્યાયશ્રીને કહ્યું હતું કે, જો મને પુત્ર અવતરશે, તે તેને આપને વહેારાવીશ. પુત્ર અવતર્યાં. દેવે દીધેલા આ પુત્રનુ નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું. માતા–પિતાના ધમ સંસ્કારોના ભવ્ય વારસો અને પવિત્ર વાતાવરણમાં ઊછરતાં બાળકે પૂર્વ ભવથી પુણ્યસંચય કર્યો હશે કે શૈશવકાળમાં જ માળકને ધર્મ પ્રત્યે અપ્રતિમ પ્રીતિ હતી. બાલ્યાવસ્થામાં જ પાઠ ભણવાની અપૂર્વ ભાવના જાગી. પુત્ર આઠ વના થતાં માતા ધનબાઈ એ તેને ગુરુમહારાજને વહેારાવ્યા. પૂજ્ય ગુરુદેવશ્રી રાજસાગરજી મહારાજે સં. ૧૭૫૬માં માત્ર દસ વર્ષોંની કુમળી વયે લઘુ દીક્ષા આપી; અને નવદીક્ષિત શિષ્યને સરસ્વતીમંત્ર આપ્યા. ખાલમુનિ શ્રી રાજવિમલજીએ યાને શ્રી દેવચદ્રજીએ બિલાડા ગામમાં વેણા તટે ભેાંયરામાં મંત્રનુ` આરાધન કરી શારદા માતાની કૃપાદૃષ્ટિ મેળવી. સાથેાસાથ પોતાના ગુરુની અનન્ય ભક્તિપૂર્વક સેવા કરવા માંડી. ગુરુદેવ પણુ શિષ્યના વિનય, વિવેક અને સેવાથી પ્રસન્ન થયા અને બાલમુનિને શાશ્ત્રા, વ્યાકરણ, જ્યાતિષ, પિગળ, નાટક, સ્વરોદય, રાજ્યશાસ્ત્ર આદિ વિવિધ શાસ્ત્રાના પારાયણ દ્વારા પ્રકાંડ પડિત બનાવ્યા. સર્વ શાસ્ત્રપારંગત એવા એ મુનિરાજે સં. ૧૭૬૬માં ૨૦ વર્ષોંની વયે અને ૧૦ વર્ષના અધ્યયનને અંતે, ધ્યાનનું સંપૂર્ણ` સ્વરૂપ આલેખતે ધ્યાનીપિકા ' ગ્રંથ અને દ્રવ્યાનુયોગ વિષય પર વ્રજ ભાષામાં ‘ દ્રવ્યપ્રકાશ ’ નામના કાવ્યગ્રંથ રચ્યા. દરમિયાન પૂ.આ. શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને વડી દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી સં. ૧૭૭૬ સુધી મારવાડમાં જ જુદે જુદે સ્થળે વિચરતા રહ્યા અને ત્યાર બાદ ગુજરાતમાં પધાર્યા.
મારવાડમાં વિહાર દરમિયાન તેઓશ્રીના હસ્તે આગમસાર નામના ભવ્ય ગદ્યગ્રંથ રચાયા; જેમાં ષદ્ભવ્ય, નય, નિક્ષેપ, પક્ષ, પ્રમાણ, સસભંગી આદિની ગહન ચર્ચા પ્રાપ્ત થાય છે. સ’. ૧૭૭૭માં પાટણ પધાર્યા ત્યાં શ્રી જ્ઞાનવિમલસૂરિજી સાથે સમાગમ થયા. તેઓશ્રી ખરતરગચ્છના હોવા છતાં તપાગચ્છના મહાન સાધુઓએ તેમની પાસે અભ્યાસ કર્યાં હતા. પૂજ્યશ્રીમાં મતમતાંતર અને ભેદભાવ એગળી નાખે એવી વત્સલતા અને મહાનતા હતી. તેથી જ તપાગચ્છના શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી પદ્મવિજયજી આદિ મુનિવરેની કાવ્યરચનાઓમાં ગુરુદેવશ્રી દેવચ`દ્રજી મહારાજના ઉલ્લેખા સાદર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પધારી, તેઓશ્રીએ સ. ૧૭૮૭માં અમદાવાદમાં નાગેરી—સરાદમાં ભગવતીસૂત્રનું વાચન કર્યું; હું ઢક માણેકલાલને મૂર્તિ પૂજક બનાવ્યા; શાંતિનાથજીની પાલમાં સહસ્રા બિંબની સ્થાપના કરી; સહસ્રાફૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સ. ૧૭૮૫-૮૬-૮૭માં શત્રુજય પર પ્રતિષ્ઠાએ કરી. વળી, અમદાવાદ પધારી તે સમયે ફેલાયેલા મરકીના ઉપદ્રવમાં સમાજસેવામાં જોડાયા. અનેક વૈષ્ણવાને પ્રતિષેાધીને જૈન બનાવ્યા. સ. ૧૭૯૬-૯૭માં નવાનગરમાં રહીને દુકાને જીતીને મૂર્તિ પૂજકો બનાવ્યા અને ચૈત્યોમાં બંધ પડેલી પૂજા ચાલુ કરાવી. સ. ૧૮૦૨-૩-૪માં ૧૮૦૫-૬માં લી’બડી ધ્રાંગધ્રા અને ચુડામાં પ્રતિષ્ઠા મહાત્સવેા ઉજવ્યા.
ભાવનગર,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722