SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ શાસનપ્રભાવક સાંનિધ્યે અમદાવાદમાં નંદીશ્વર દ્વીપના દેરાસરની પ્રતિષ્ઠા પાલનપુરમાં જડાવબહેન રાયચંદ મહેતા દ્વારા ઉપધાનતપ, પાટણ અને ગઢમાં ઉપધાનતપ અને માળાપણુ પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો શેઠ આલમશા દ્વારા યાત્રાસંઘ; તથા અનેક સ્થળોએ ત્રચ્ચાર આદિ ધર્મકાર્યો થયાં હતાં. પૂ. પંન્યાસજીના ઉપદેશથી ગઢ ( બનાસકાંઠા)માં અને અમદાવાદ–કસુંબાવાડમાં સંઘમાં પ્રવર્તતા કલેશ દૂર થયા હતા. ૫. શ્રી રત્નવિજ્યજી દ્વારા શાસન—ઉદ્યોતનાં અનેક કાર્યો થયાં, તેમાં અમદાવાદડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના તેમ જ થરાદના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય યશસ્વી અને ચિરસ્મરણીય હતું. ડહેલાના ઉપાશ્રયના હસ્તલિખિત ભંડારની સમગ્ર ગોઠવણ અને પ્રતિઓની યાદી તેમના જ હાથે તૈયાર થઈ હતી, જે તેમની ઊંડી સૂઝ અને અથાગ પરિશ્રમનું પરિણામ હેવાની સાક્ષી પૂરે છે. પં. શ્રી રત્નવિજયજી ગણિ વિ. સં. ૧૯૪૪ના વૈશાખ વદ ૧૩ના રેજ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા હતા. શાંત, સરળ, સૌમ્ય અને ભદ્રપરિણામી પૂજ્ય પંન્યાસ શ્રી મોહનવિજયજી ગણિવર પંન્યાસ શ્રી મેહનવિજયજી ગણિને જન્મ વિ. સં. ૧૯૧૮માં પાટણમાં થયું હતું. તેમના પિતાનું નામ નથુચંદ, માતાનું નામ ચુનીબાઈ, વડીલબંધુનું નામ લલ્લુભાઈ અને તેમનું પિતાનું જન્મ નામ મગનલાલ હતું. મગનલાલ બાળપણથી જ સરળ, શાંત અને ધર્મભાવનાથી પરિપુષ્ટ હતા. પિતા નથુચંદનું અવસાન થતાં તેમની ભાવના વૈરાગ્યભાવમાં પરિણમી. વડીલબંધુએ વ્યવસાયાર્થે મેહમયી મુંબઈ મોકલ્યા, ત્યારે મુંબઈ જવાને બદલે સીધા અમદાવાદ જઈ ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન પં. શ્રી રત્નવિજયજી પાસે દીક્ષા લેવાની પોતાની ઉત્કટ ભાવના પ્રદર્શિત કરીને, મહજન્ય સંસારને ત્યાગ કરીને, ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. વિ. સં. ૧૯૪૪માં હરીભાઈની વાડીમાં પં. રત્નવિજયજી ગણિએ તેમને દીક્ષા આપી અને પિતાના શિષ્ય બનાવી મુનિ મેહનવિજ્યજી નામ રાખ્યું. દીક્ષા બાદ મુનિ મેહનવિજયજીએ પોતાના વડીલ ભાઈ અને માતાને આ વાતની જાણ પત્રથી કરી. અંતે તેઓએ પણ એમની વર્ષોની ત્યાગભાવનાને ચરિતાર્થ થયેલી જોઈ આનંદ વ્યક્ત કર્યો. | મુનિ મેહનવિજયજીએ થોડા જ સમયમાં સારે એ ધર્માભ્યાસ કરી યોગદ્વહન શરૂ કર્યા. ગુરુદેવ સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેઓ પં. પ્રતાપવિજયજી સાથે વિસનગર હતા. ગુરુદેવના વિરહથી તેમણે ઊંડો આઘાત અનુભવ્યું. આ પછી વિ. સં. ૧૯૪૬માં તેઓશ્રીને પન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ઉપધાનતપ, ઉદ્યાપન મહોત્સવ, કેશરિયાજીને યાત્રા સંઘ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન થયાં હતાં. તેમના હસ્તે શ્રી હંસવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી શાંતિવિજયજી તેમ જ પ્રશિષ્ય શ્રી ચિમનવિજયજી, સિદ્ધિવિજ્યજી—એમ અનેક પુણ્યાત્માઓની દીક્ષા થઈ હતી. તેઓશ્રી વિ. સં. ૧૯૫૬ના અષાઢ સુદ ૪ના રોજ અમદાવાદમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy