SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક ભટ્ટારકો : શ્રીપૂજ્યો ઃ તિવરો : ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજ કચ્છ પ્રદેશના વરાહી ગામના એશવાલ જ્ઞાતિના શાહ શિવગણના ધર્મ પત્ની ભાણીબાઈની કુક્ષીએ સ. ૧૯૭૭માં એમના જન્મ થયા હતા. સં. ૧૬૮૬માં માઘ સુદ ૧૧ના દિવસે શ્રી વિજયદેવસૂરિજી પાસે દીક્ષા લઇ, શ્રી સિ'હસૂરિજીના શિષ્ય તરીકે વીરવિજય નામે ઘોષિત થયા. શાસ્ત્રાભ્યાસ બાદ સ. ૧૭૦૧માં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. શ્રી વિજયસિ’હસૂરિના સ્વર્ગવાસ બાદ ગચ્છનાયક અનાવવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં, પ શ્રી સત્યવિજયજીએ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાથી ગચ્છનાયકપદના અસ્વીકાર કરતાં, પ. વીરવિજયજી પણ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાવાળા હોવા છતાં, અને ક્રિયાદ્વારના પટ્ટકમાં પણ પોતે સહી કરી હાવા છતાં, શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી સર્વ ગીતાર્થી અને સંઘના આગેવાનોની સ'મતિથી તેમને સ'. ૧૭૧૦ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને ગધારમાં, અમદાવાદનિવાસી અમેચંદ દેવચંદના પત્ની સાહિબન્નેએ કરેલા મહેાત્સવપૂર્વક આચાય પદે સ્થાપવામાં આવ્યા; સ. ૧૭૧૧ના માગશર માસમાં, અમદાવાદમાં, આચાય વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું; અને શ્રી વિજયદેવસૂરિએ તેમને પેાતાની પાટે સ્થાપના કરીને ગચ્છનાયકપદે સ્થાપન કર્યાં. આ પ્રસંગે સુરાના પુત્ર શા. ધનજીએ આઠ હાર ખેંચીને ગણાનુજ્ઞાનાનંદિમહાત્સવ કર્યાં હતા. શ્રી વિજયપ્રભસૂરિ 'મરમાં, દીક્ષાપર્યાયમાં નાના હોવા છતાં શ્રી વિજયદેવસૂરિએ તેમનાં સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈને તેમને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમની ઊંડી સૂઝ અને ઉદારતાને લીધે તપાગચ્છનુ એકમ મજબૂત બન્યું હતું. બધા ગીતાર્થી, બધા યતિએ અને મુનિએ તેમની આજ્ઞા શિરાધા ગણતા હતા. તેએ સ. ૧૭૪૯માં જે સુદ ૧૨ના ઉનામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. શ્ર. ૪૫ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy