SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૫૧ અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના ઉદ્ધારક અને અન્ય અનેકવિધ ઘર્મકાર્યોથી શાસન ઉદ્યોત કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી રત્નવિજયજી ગણિવર્ય - પૂજ્ય પંન્યાસશ્રી રત્નવિજયજી ગણિને જન્મ વિ. સં. ૧૮૯૩માં, રાધનપુરમાં થયે હતા. તેમના પિતાનું નામ હકમચંદ અને માતાનું નામ લહેરીબાઈ હતું. તેમનું સંસારીનામ રાવજી હતું. રાવજીને છ વર્ષની બાળવયે માતાને વિયોગ થયો અને તેમની દસ વર્ષની વયે પિતાએ દીક્ષા અંગીકાર કરી. આથી તેમને ઉછેર પિતાની માતા-દાદી અમરતબાઈની છત્રછાયામાં થયે. તેઓ વ્યાવહારિક શિક્ષણ મેળવ્યા બાદ વ્યવસાયમાં જોડાયા; પરંતુ તેમનું ચિત્ત વ્યવસાયમાં લાગતું ન હતું. પિતા ગયા તે માર્ગે જવાની ભાવના સતત રહ્યા કરતી હતી. તેમાં એક વખત ડામરશી સુજાણના સંઘમાં કચ્છ ગયા અને ત્યાં પં. સૌભાગ્યવિજય ગણિને સમાગમ થતા તેમની વૈરાગ્યભાવના સાકાર બની અને શ્રી સૌભાગ્યવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી મુનિ રત્નવિજ્યજી નામે તેમના શિષ્ય બન્યા. વિહાર કરતાં કરતાં તેઓ ગુરુજી સાથે ભાવનગર પધાર્યા, જ્યાં તેમની વડી દીક્ષા થઈ. | મુનિ રત્નવિજયજીએ શેડા જ સમયમાં સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક જિનાગને ઊંડો અભ્યાસ કરી સારું એવું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. વિ. સં. ૧૯૨૫માં ગુરુની આજ્ઞાથી તેઓ જેમલ નામના એક મુમુક્ષુને દીક્ષા આપવા વાગડ પધાર્યા. જેમલને દીક્ષા આપી શ્રી પદ્મવિજયજીના શિષ્ય બનાવ્યા. અને આદ્રા બેસી જતાં ચોમાસું પણ વાગડમાં જ કર્યું. પૂ. ગુરુદેવ શ્રી સૌભાગ્યવિજયજી ત્યારે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયે વિરાજતા હતા. વિ. સં. ૧૯૨૬ના કાતિક માસમાં ગુરુદેવ સ્વર્ગવાસ પામતા, ગુરુદેવના વિયોગથી ખૂબ દુઃખ અને આઘાત અનુભવ્યા. કચ્છ-વાગડથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. વિ. સં. ૧૯૨૯ના કાતિક વદ ૧૧ના રોજ પં. મણિવિજ્યજી ગણિવરે તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા. પ. રત્નવિજયજી કાવ્ય, કેષ, ન્યાય અને ધર્મશાના ઊંડા જાણકાર બન્યા હતા. તેમને પ્રભાવ ચતુર્વિધ સંઘમાં અનોખો હતા. શ્રી આત્મારામજી મહારાજ વિ. સં. ૧૯૩૧માં અમદાવાદ પધાર્યા ત્યારે પં. રત્નવિજ્યજી સાથેના વાર્તાલાપે તેમના ઉપર સારી અસર કરી હતી. અમદાવાદના નામાંકિત શ્રેષ્ઠીઓ-ઉમાભાઈ હઠીસિંગ, મગનભાઈ કરમચંદ (અંબાલાલ સારાભાઈને પિતામહ) કેવલચંદ લક્ષ્મીચંદ, લલ્લુભાઈ ખીમચંદ, હઠીસિંગ મોતીભાઈ ચુનીલાલ કેસરીસિંગ પિરવાડ, છગનલાલ ઈચ્છાચંદ, ભગુભાઈ જેઠાભાઈ એસવાલ, દલાભાઈ ઝવેરી, હરગોવનભાઈઉત્તમચંદ, અમૃતલાલ નાઝર, સારાભાઈ મગનલાલ, લલ્લુભાઈ વખતચંદ વગેરે તેમના અનન્ય ભક્તગણ હતા. પં. શ્રી રત્નવિજયજીએ અનેક સાધુ-સાધ્વીજીઓને ગદ્વહન કરાવ્યાં હતાં, અનેકને પદવીઓ આપી હતી, અનેકને દીક્ષા આપી હતી. શ્રી ભાવવિજ્યજી, શ્રી સુજ્ઞાનવિજયજી, શ્રી કાંતિવિજયજી, શ્રી મેહનવિજયજીની દીક્ષાઓ તેમના હસ્તે સુસમ્પન્ન થઈ હતી. કુવાલામાં દીક્ષા પ્રસંગે ૪૫ ગામના સંઘેએ એકત્ર થઈ ભવ્યાતિભવ્ય મહોત્સવ ૩જવ્યું હતું. તેઓશ્રીના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy