________________
-
574
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - એ સૂરિ મહારાજાની સેવામાં વિહરતા જે જે અણગાર આહારનો પરિહાર કરે છે, તે તે અણગારને તે સૂરિ મહારાજા, નિર્વેદને ઝરવાવાળી વાણી દ્વારા નિર્જરા કરાવતા હતા.” શિષ્યોને આજ્ઞા
નિશ્રામાં રહેતા શિષ્યોને જે રીતે હિત થાય તે જ રીતની પ્રવૃત્તિ કરતા સૂરિ મહારાજાની એ પણ ફરજ છે કે, “અંતિમ અવસ્થામાં વર્તતા શિષ્યગણને સારામાં સારી રીતની આરાધના કરાવવી.” અને એ અનુપમ તથા અનિવાર્ય ફરજને અદા કરતા સૂરિ-મહારાજા, અનશન દ્વારા પરલોકને સાધતા પોતાના ' શિષ્યોને ફરમાવતા કે –
“દેવલોકમાં ગયેલા તમારે ફરી અમને દર્શન દેવું.” *.
આ ફરમાનને અંગીકાર કરવા છતાં પણ તે શિષ્યો, દેવલોકમાં ગયા પછી દેવપણામાં કરવા લાયક કૃત્યોની વ્યગ્રતાના પ્રતાપે આવીને પોતાના ઉપકારી એવા પણ ગુરુને દર્શન ન આપી શક્યા. આ પછી પોતાને બહુમત એક શિષ્ય, કે જે ખૂબ વિરાગભાવને પોષી રહ્યો હતો, તેણે એક દિવસે અનશન અંગીકાર કર્યું; તે શિષ્યને સૂરિ-મહારાજાએ અતિશય પ્રાર્થનાના રૂપમાં ફરમાવ્યું કે -
હે પવિત્ર આશયવાળા વત્સ ! અહીંથી વેગપૂર્વક દેવલોકમાં ગયેલા તારે અવશ્ય અહીં આવીને અમને તારું પોતાનું દર્શન દેવું.”.
પોતાના પરમ ગુરુદેવના આ ફરમાનને સાંભળીને આચાર્યવર્યના તે શિષ્ય ગુરુદેવની આજ્ઞા મુજબ આવવાની પ્રતિજ્ઞા કરી, તે છતાં પણ દિવ્ય સ્ત્રીઓના ભોગની લાલસામાં પડી ગયેલો તે, પોતાના ગુરુદેવને દેવ તરીકેનું પોતાનું દર્શન દઈ શક્યો નહિ. હૃદયમાં ઉદ્ભવેલી શંકા અને પતન?
જ્યારે અનેક શિષ્યો કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા અને કહેવા છતાં પણ અનેકમાંથી એક પણ દર્શન દેવા ન આવ્યો, ત્યારે તેવા તત્ત્વવેદી આચાર્યશ્રીના
* રોડનાર મદિર -રારં વારતિ દિન
સં સં નિર્નવાની-તે નિર્વેવિારા જિર પાર"
+ “સુરમિતેર્ખો, રેવં વં સર્જન દિન: ”
“થર્વવ વત્સ ! વેન, નર્તન ઐશ પમ્ | अवश्यमेत्य देयं नो, दर्शनं स्वं महाशय ।।१।।"